________________
ભાષાંતર ]
જ્ઞાનાદિની અનિત્ય સિદ્ધિ.
[૪૧૯
તે બીજાંકુરાદિની જેમ ઉત્પન્ન થાય છે, તેવી રીતે અહીં પણ સમ્યગ્દષ્ટિ-સંતાનીથી અભિન્ન એવો નમસ્કાર પણ સંતાની હોવાથી ઉત્પન્ન થાય છે, માટે નમસ્કાર અનુત્પન્ન નથી પણ ઉત્પન્ન છે.
--
અથવા નમસ્કાર એ જ્ઞાનરૂપ હોય, “નમો રિöતાન” ઇત્યાદિ શબ્દરૂપ હોય, શિરોનમનહાથ જોડવા-અમુક અવયવો સંકોચવાદિ કાયિક ક્રિયારૂપ હોય કે એ જ્ઞાનાદિ સંયોગરૂપ હોય, તો પણ તે નમસ્કાર અનુત્પન્ન કહી શકાય, કારણ કે જ્ઞાનાદિ ચારે વિકલ્પો ઉત્પાદાદિ ધર્મવાળા છે. માટે તે ઉત્પન્ન થાય છે એમ માનવું તે જ વધારે લાભદાયી છે. ૨૮૧૨ થી ૨૮૧૫. હવે આઘનૈગમનય ઉપરોક્ત જ્ઞાનાદિ ચારે વિકલ્પોને નિત્યરૂપે સિદ્ધ કરવાને કહે છે :नणु जीवाओऽणण्णं नाणं, णिच्चो य सो तओ तं पि । निच्चुग्घाडो य सुए जमक्खाक्खराणंतभागो त्ति ।। २८१६ ॥ अहवा अरूवगुणओ नाणं निच्चं नहावगाहो व्व । लयण-प्पयासपरिणामओ व्व सव्वं जहा अणवो ।। २८१७।।
दरिसणपरत्थयाओ अइंदियत्थत्तओऽणवत्थाओ । संबंधनिच्चयाओ सद्दावत्थाणमणुमेअं ||२८१८।।
જ્ઞાન જીવથી અનન્ય છે અને જીવ નિત્ય છે, તેથી જ્ઞાન પણ નિત્ય છે. વળી સૂત્રમાં અક્ષરનો અનન્તમો ભાગ નિત્ય અનાવૃત કહ્યો છે. અથવા જ્ઞાન અરૂપી ગુણ હોવાથી આકાશના અવગાહની જેમ નિત્ય છે, અથવા જ્ઞાનાદિ સર્વ તિરોભાવ અને આવિર્ભાવરૂપ સ્વભાવવાળા હોવાથી પરમાણુની જેમ નિત્ય છે. શબ્દોચ્ચાર પરપ્રત્યાયક હોવાથી અતીન્દ્રિય અર્થનો અભિધાયક હોવાથી અનવસ્થાથી અને નિત્ય સંબંધથી શબ્દનું અવસ્થાન-નિત્યપણું સાધ્ય છે. ૨૮૧૬ થી ૨૮૧૮.
નિત્ય જીવથી જ્ઞાન અભિન્ન છે તેથી જ્ઞાન પણ નિત્ય છે. જ્ઞાન આકાશની જેમ નિત્ય હોવાથી ઉત્પાદાદિ ધર્મવાળું નથી. વળી “સવનીવાળું પિ ચ ાં ગવસ્તરણ ગળત્તમાનો નિવ્વુધાડિયો” સર્વ જીવોને અક્ષરનો-કેવળજ્ઞાનનો અનન્તમો ભાગ હમ્મેશાં અનાવૃત છે. એમ શ્રુતમાં કહ્યું છે, તેથી પણ આકાશની જેમ તે અનાવૃત હોવાથી નિત્ય છે. અથવા આકાશ દ્રવ્યના અવગાહ ગુણની જેમ જ્ઞાન અરૂપી દ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે. અથવા આકાશ દ્રવ્યના અવગાહ ગુણની જેમ જ્ઞાન અરૂપી દ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે અથવા જ્ઞાન-શબ્દ વિગેરે સર્વ કંઇ પરમાણુઓની જેમ આવિર્ભાવ-તિરોભાવરૂપ ધર્મવાળું હોવાથી નિત્ય છે.
એ પ્રમાણે પૂર્વે વિશેષવાદીનયોએ જ્ઞાનાદિ ચાર વિકલ્પોને ઉત્પાદાદિ સ્વભાવવાળા માનીને નમસ્કારને ઉત્પન્ન કહ્યો હતો, તેમાંના પહેલા પક્ષને જ્ઞાનને ઉપર મુજબ નિત્યપણે સિદ્ધ કરીને હવે આઘનૈગમનયવાદી શબ્દને નિત્યપણે સિદ્ધ કરે છે.
શબ્દનો ઉચ્ચાર બીજાને પ્રતીતિ કરાવનાર હોવાથી શબ્દ સદા અવસ્થિત છે. નિત્ય છે. મતલબ એ છે કે વક્તા જે શબ્દનો પ્રયોગ કરે છે, તે કેવળ શબ્દને ઉત્પન્ન કરવા માટે જ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org