________________
લેશ્યાદ્વાર.
[વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
કૃષ્ણ-નીલ-કાપોત-તેજો-પદ્મ-અને શુક્લ એ છએ લેશ્યાઓમાં નારકાદિ જીવો સમ્યક્ત્વસામાયિક અને શ્રુતસામાયિક પામે છે. દેશિવરિત અને સર્વવિરતિ (ચારિત્ર) સામાયિક ઉપરની ત્રણ તેજોપદ્મ અને શુક્લ એ શુદ્ધ-લેશ્યાઓમાં જ પ્રાપ્ત થાય છે. તથા પૂર્વપ્રતિપન્ન તો છમાંથી કોઈ પણ લેશ્યામાં હોય છે.
૩૯૨]
શિષ્ય :- હે ગુરુ મહારાજ ! પૂર્વ પાંચ જ્ઞાનના વિચારમાં મતિ-શ્રુતાદિ જ્ઞાનનો લાભ તેજો આદિ ત્રણ શુદ્ધ લેશ્યાઓમાં જ કહ્યો છે અને અહીં તો આપ શુદ્ધ તથા અશુદ્ધ એવી છએ લેશ્યાઓમાં સમ્યક્ત્વ અને શ્રુતનો લાભ કહો છો, તેનું શું કારણ ?
આચાર્ય દેવ નારકીને વિષે સમ્યક્ત્વ તથા શ્રુતસામાયિકની જ પ્રાપ્તિ થાય છે અને તે દેવ-નારકીઓ સઘળા અવસ્થિત દ્રવ્ય લેશ્યાવાળા હોય છે, એટલે કે યથાસંભવ કૃષ્ણાદિ છએ દ્રવ્યલેશ્યાઓ તેઓમાં અવસ્થિત હોય છે, ભાવલેશ્યા તો તેમને પરાવૃત્તિએ હોય છે. તિર્યંચ તથા મનુષ્યોને દ્રવ્યલેશ્યા અવસ્થિત નથી હોતી. તેમને તો દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા બન્ને પરાવૃત્તિએ હોય તે, તેથી દેવ-નારકીઓ જ્યારે સમ્યક્ત્વાદિ પામે છે, ત્યારે તેમને તૈજસાદિ ત્રણ શુદ્ધ લેશ્યામાંથી કોઈપણ એક લેશ્યા હોય છે, અશુદ્ધલેશ્યા તો તેઓને અવસ્થિત હોવાથી તેઓ દ્રવ્યલેશ્યાવાળા જ કહેવાય છે. આથી કરીને પૂર્વે જ્ઞાનના વિચારમાં મતિ આદિ જ્ઞાનોની પ્રાપ્તિમાં ભાવલેશ્યાને અપેક્ષીને જ્ઞાનપ્રાપ્તિનો વિચાર કહ્યો છે; અને અહીં સમ્યક્ત્વ તથા શ્રુતસામાયિકની પ્રાપ્તિના વિચારમાં દેવ-નારકીને અપેક્ષીને દ્રવ્યલેશ્યા અધિકૃત છે, તેથી શુદ્ધ અને અશુદ્ધ સર્વ લેશ્યાઓમાં તેનો લાભ કહેલ છે. ભાવલેશ્યાની અપેક્ષાએ તો અહીં પણ તૈજસાદિ ત્રણ શુદ્ધલેશ્યાઓમાં જ તેની પ્રાપ્તિ જાણવી.
શિષ્ય ઃ- ભગવન્ ! જો દેવ-નારકીઓને કૃષ્ણાદિ અશુભ દ્રવ્યલેશ્યાઓ હંમેશાં અવસ્થિત છે, તો પછી તેઓને સમ્યક્ત્વાદિ પ્રાપ્ત થતી વખતે શુભ ભાવલેશ્યાઓ કેવી રીતે થઈ શકે ? દ્રવ્યલેશ્યાઓ ભાવલેશ્યાઓને ઉત્પન્ન કરે છે એમ કહેવામાં આવે, તો તે યોગ્ય નથી, કેમકે કૃષ્ણાદિ લેશ્યાનાં અશુભ દ્રવ્યો શુભભાવલેશ્યાને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? અશુભ કારણથી શુભ કાર્ય થવું સંભવિત નથી.
આચાર્ય :- તારું કહેવું સત્ય છે, કે અશુભ કારણથી શુભ કાર્ય થઈ શકે નહિ, પરંતુ અહીં તો એમ છે કે નારકી વગેરેને સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ વખતે કોઈ પ્રકારે યથાપ્રવૃત્તિકરણવડે તૈજસાદિ દ્રવ્યલેશ્યાનાં શુભ દ્રવ્યો અશુભ લેશ્યાના દ્રવ્યમાં નંખાય છે, તેથી કરીને જેમ દર્પણ શ્વેત છતાં પણ વિવિધ રંગની પુષ્પાદિ વસ્તુના પ્રતિબિંબથી તે (દર્પણ) રક્તાદિ વર્ણવાળો જણાય છે, તેમ કૃષ્ણાદિ અશુભ દ્રવ્યો પણ તૈજસાદિ શુભદ્રવ્યના પ્રતિબિંબથી સ્વસ્વરૂપની ઉત્કટતા તજીને તસ્વરૂપે ભાસે છે. તેમાં તૈજસાદિ શુભ દ્રવ્યો, કૃષ્ણાદિ અશુભ દ્રવ્યના સ્વભાવને મંદ કરીને શુભભાવલેશ્યાને ઉત્પન્ન કરે છે. આથી કરીને દેવ-નારકીઓને કૃષ્ણાદિ દ્રવ્યલેશ્યા અવસ્થિત છતાં પણ, સમ્યક્ત્વાદિની પ્રાપ્તિ વખતે શુભ ભાવલેશ્યાનો સંભવ વિરુદ્ધ નથી. આ સંબંધમાં વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ “સે મુળ મંતે ! ઇિજેસા નીત નેસ' ઈત્યાદિ પ્રજ્ઞાપનાસૂત્ર તથા મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવું. ૨૭૪૦ થી ૨૭૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org