________________
૩૮૪] આહાર, પર્યાપ્ત, સુખ અને જન્મારો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨
मिच्छो उ भावसुत्तो न पवज्जइ सोऽहवा नयमयाओ । सम्मो वा मिच्छो वा निच्छय-ववहारओऽभिहिओ ॥२७२१॥ चउरो जराउजम्मे हुज्ज पवण्णो पवज्जमाणो वा ।।
सेसे तिन्नि पवण्णो दोणि तओ वा पवज्जेज्ज ॥२७२२॥ નિદ્રાથી અને ભાવથી જાગૃત જીવ ચારમાંથી કોઈપણ એક સામાયિક પામે છે. અંડજ-પોતજજરાયુજ-તથા ઔપપાતિક જન્મવાળાને યથાસંભવ બે-ત્રણ-અથવા ચાર સામાયિક હોય છે. સમ્યગ્દષ્ટિ ભાવ જાગૃત કહેવાય છે, તે બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, અને સર્વવિરતિ તથા દેશવિરતિ પ્રતિપદ્યમાન હોય છે. મિથ્યાદેષ્ટિ ભાવસુત કહેવાય છે, તે કોઈ પણ સામાયિક પામતો નથી, અથવા વ્યવહાર અને નિશ્ચયનયના અભિપ્રાયથી તેને સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કહેલ છે. જરાયુજ જન્મમાં ચારે સામાયિક પૂર્વ પ્રતિપન્ન અથવા પ્રતિપદ્યમાન હોય છે. શેષ જન્મમાં ત્રણ સામાયિકના પૂર્વપ્રતિપન્ન હોય છે, ઔપપાતિક જન્મવાળા બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન અને પ્રતિપદ્યમાન હોય છે. ૨૭૧૯ થી ૨૭૨૨.
વિવેચન :- સુપ્ત બે પ્રકારે હોય છે :- દ્રવ્યસુપ્ત અને ભાવસુત. એ જ પ્રમાણે જાગૃત પણ બે પ્રકારે હોય છે :- દ્રવ્યજાગૃત અને ભાવ જાગૃત. તેમાં જે નિદ્રા હોય તેને દ્રવ્યસુપ્ત અને મિથ્યાષ્ટિને ભાવસુપ્ત કહેવાય છે. તથા નિદ્રારહિત હોય તે દ્રવ્યજાગૃત અને સમ્યગુદૃષ્ટિ હોય તે ભાવ જાગૃત કહેવાય છે. એ ભાવજાગૃત સમ્યગુદૃષ્ટિ જીવ વ્યવહારનયના અભિપ્રાયે પ્રથમના બે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, અને નિશ્ચયનયના અભિપ્રાયે પ્રતિપદ્યમાન હોય છે; સર્વવિરતિ અને દેશવિરતિ સામાયિકનો તો પૂર્વપ્રતિપન્ન તથા પ્રતિપદ્યમાન પણ હોય છે.
નિદ્રાસુર્ણ જીવ ચારે સામાયિકનો પૂર્વપ્રતિપન્ન હોય છે, પણ પ્રતિપદ્યમાન નથી હોતા, કેમકે નિદ્રાસ્થજીવને તથાવિધ વિશુદ્ધિ આદિ સામગ્રીનો અભાવ હોય છે. ભાવસુખ જીવ મિથ્યાષ્ટિ હોવાથી કોઈ પણ સામાયિકનો પૂર્વપ્રતિપન્ન નથી, તેમ પ્રતિપદ્યમાન પણ નથી, અથવા ભાવસુતમિથ્યાષ્ટિજીવ વ્યવહાર તથા નિશ્ચયનયના અભિપ્રાયે સમ્યકત્વ-સામાયિક અને શ્રુતસામાયિક પામતી વખતે સમ્યગૃષ્ટિ અથવા મિથ્યાષ્ટિ કહેવાય છે. એટલે કે નિશ્ચયનયના અભિપ્રાય સમ્યગુષ્ટિ જીવ સમ્યકત્વ પામે છે, અને વ્યવહારનયના અભિપ્રાયે મિથ્યાષ્ટિ જીવ સમ્યત્વ પામે છે. આ ઉપરથી વ્યવહારનયના અભિપ્રાયે ભાવસુ-મિથ્યાષ્ટિ પ્રથમના બે સામાયિક પામે છે, એમ સિદ્ધ થયું.
જન્મ ચાર પ્રકારે છે :- અંડજ-પોતજ-જરાયુજ-અને ઔપપાતિક. તેમાં હિંસ વગેરે અંડજ જાણવા, હસ્તિ વગેરે પોતજ જાણવા, મનુષ્ય વગેરે જરાય જન્મવાળા અને દેવ-નારકી ઔપપાતિક જન્મવાળા છે; તેઓને યથાસંભવ બે-ત્રણ અથવા ચાર સામાયિક હોય છે. હંસ વગેરે પ્રથમના બે અથવા ત્રણ સામાયિક કોઈ વખત પામે છે, પણ પૂર્વપ્રતિપન્ન તો તેઓ હોય છે જ, એ જ પ્રમાણે હસ્તિ વગેરેમાં પણ સમજવું. જરાયુજ જન્મવાળા મનુષ્યાદિ ચારે સામાયિક પામે છે, અને પૂર્વપ્રતિપન્ન તો અવશ્ય હોય છે. દેવ-નારકી પ્રથમના બે સામાયિક પામે છે, અને તે બે સામાયિકના પૂર્વપ્રતિપન્ન પણ અવશ્ય હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org