________________
ભાષાંતર] ગૌતમ ગણધરનો વાદ.
[૩૭ માત્ર નથી, એમ તારે માનવું જોઈએ, જેમકે શરીર આત્મા નથી. પરંતુ આત્માનો સર્વથા અભાવ ન માનવો જોઈએ.
ગૌતમ - જો એ પ્રમાણે જેનો નિષેધ કરાય, તે વસ્તુ હોય છે જ - એમ કહેતા હો, તો “મારે વિષે ત્રણ લોકનું સ્વામિપણું છે” અને “સમવાય આદિ ચાર પ્રતિષેધનો પાંચમો પ્રતિષેધ પ્રકાર પણ છે' - આ બંનેનો તમારા વડે નિષેધ કરાયેલો છે માટે એ છે-એમ માનવું જોઈએ, કારણ કે તમે જ કહો છો કે જેનો નિષેધ કરાય છે, તે વસ્તુ હોય છે જ.
ભગવત્ત :- ગૌતમ ! તારી એ માન્યતા અયોગ્ય છે; કેમકે જેમ મોતીઓના ઘટપ્રમાણ રૂપ વિશેષનો નિષેધ કરાય છે, તેમ ત્રિલોકની ઈશ્વરતા રૂપ વિશેષ માત્રનોજ તારામાં નિષેધ કરાય છે, સર્વથા ઈશ્વરતા નિષેધાતી નથી, કેમકે સ્વશિષ્યાદિની ઈશ્વરતા તો તારામાં વિદ્યમાન છે. વળી પ્રતિષેધની સંખ્યામાં પણ પાંચમી સંખ્યાનો નિષેધ છે, સર્વથા પ્રતિષેધનો અભાવ નથી, કેમ કે ચાર સંખ્યા વિશિષ્ટ પ્રતિષેધ તો છે જ.
ગૌતમ - તમે જે કહો છો, તે સંબંધ વિનાનું જણાય છે; કેમકે મારામાં ત્રિલોકનું સ્વામિત્વ નથી, તેનો જ નિષેધ થાય છે, અને પાંચ સંખ્યા વિશિષ્ટ સંબંધનો પ્રતિષેધ, જે અવિદ્યમાન છે, તેનો જ નિષેધ કરાય છે, વળી સંયોગ-સમવાય-સામાન્ય અને વિશેષ તે ગૃહ દેવદત્ત અને ખરવિષાણાદિમાં અવિદ્યમાન છે, તેનોજ નિષેધ કરાય છે. આથી “જેનો નિષેધ કરાય, તે વસ્તુ છે જ” એમ કહેવું તે કેવળ સંબંધ વિનાનું જ છે.
ભગવત્ત - મહાનુભાવ! એમ નહિ. ગૃહ આદિમાંજ દેવદત્તાદિના સંયોગ વિગેરેનો નિષેધ છે, અન્યત્ર નિષેધ નથી. એટલે કે ઘરની સાથે દેવદત્તનો સંયોગ નથી, અન્યત્ર ક્ષેત્ર-દુકાન ગામ આદિની સાથે છે, એવીજ રીતે ઘરનો સંયોગ પણ દેવદત્તની સાથે નથી, બીજા ખાટલા-ગોદડા વિગેરેની સાથે છે. એજ પ્રમાણે શીંગડાનો સમવાય ગધેડાંમાં નથી, બળદ-ગાય આદિમાં તો છે. બીજા ચંદ્રના અભાવથી, ચંદ્રમાં સામાન્ય નથી, પણ બીજા ઘટ-પટ-ગાય આદિમાં તો છે. ઘટ જેવડું પ્રમાણ મોતીઓમાં નથી, અન્યત્ર કોળા વિગેરેમાં તો છે જ. ત્રિલોકનું સ્વામિત્વ તારામાં નથી, પણ અન્યત્ર તીર્થકરાદિમાં તો છે જ. પાંચ સંખ્યા પ્રતિષેધમાં નથી, પણ અન્યત્ર અનુત્તર વિમાનાદિમાં તો છે જ. આ અપેક્ષાએજ અમે કહીએ છીએ કે “જેનો નિષેધ કરાય છે, તે વસ્તુ સામાન્યથી છે જ.” પણ એમ નથી કહેતા કે “જેનો જ્યાં નિષેધ કરાય, તે વસ્તુ ત્યાંજ હોવી જોઈએ.” કે જેથી તેં કહેલો દોષ આવે.
હું પણ શરીરમાંજ આત્માનો નિષેધ કરું છું, અન્યત્ર નિષેધ નથી કરતો', એમ કહેતો હોય, તો તે યોગ્ય છે, કેમ કે અમે જે જીવની સિદ્ધિ માટે આટલો યત્ન કરીએ છીએ, તે તેથી સિદ્ધ થયો, તો પછી તેની સિદ્ધિ માટે બીજી યુકિત નકામી છે, કેમકે શરીર આશ્રયથીજ આત્મા સિદ્ધ થાય છે, શરીર વિના આત્મા અન્ય સ્થળે હોતો નથી, શરીરમાંજ આત્મા છે, એમ લક્ષણથી જણાય છે. આથી એમ ન કહેવું, કે શરીર એજ આત્મા છે, કેમકે એમ માનવાથી “જીવે છે, મરી ગયો -મૂછ પામ્યો” ઈત્યાદિ વ્યવહારની વ્યવસ્થા નહિ બને. એ સંબંધી આગળ વિશેષથી કહેવાશે. ૧૫૭૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org