SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪] સમ્યકત્વાદિની પ્રાણી. (વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ जइ किचिंदप्पओयणमप्पप्पं वा चिसेसियं वत्थु । पच्चक्नेज्ज न दोसो सयंभूरमणाइमच्छु ब्व ॥२६८७॥ जो वा निक्खमिउमणो पडिमं पुत्ताइसंतइनिमित्तं । पडिपज्जेज्ज तओ वा करेज्ज तिविहंपि तिविहेणं ॥२६८८।। जो पुण पुवाद्धाणुज्झियसावज्जकम्मसंताणो । तदणुमइपरिणइं सो न तरइ सहसा नियत्तेउं ॥२६८९।। (३७४) सामाइयम्मि उ कए समणो इव सावओ हवइ जम्हा । एएण कारणेणं बहुसो सामाइयं कुज्जा ॥२६९०।८०१॥ (३७५) जो न विवट्टइ रागे नवि दोसे दोण्ह मज़्जयारम्मि । सो होइ उ मज्जत्थो सेसा सव्वे अमज्जत्था ॥२६९१।।८०२।। પાપકર્મારંભની અનુમતિના સભાવથી જેને સર્વવિરતિ નથી એવો ગૃહસ્થ સર્વસાવદ્યયોગનો ત્રિવિધ ત્યાગ કરું છું એમ કહીને વિરતિ કરે છે તેને સર્વવિરતિ કહેનાર દેશવિરતિ અને સર્વવિરતિ ઉભયનો નાશ કરે છે. (જેમ સાવઘયોગ કરવા-કરાવવાનું ગૃહસ્થ પ્રત્યાખ્યાન કરે છે, તેમ અનુમતિનું પણ પ્રત્યાખ્યાન કેમ નથી કરતો ? એ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે પૂર્વેગૃહાદિમાં પ્રવર્તાવેલા સાવદ્યકર્મ ઉપરનો અભિવૃંગ તજવાને ગૃહસ્થ શક્તિમાન નથી. તેથી સાવધયોગની અનુમતિનું તે પ્રત્યાખ્યાન નથી કરતો. ગૃહસ્થને પણ ત્રિવિધ પ્રત્યાખ્યાન સિદ્ધાંતમાં કહ્યું છે. - ભગવતી સૂત્રમાં કહ્યું છે કે “સમોવાસર નં મંતે ! પુવમેવ યૂ ફિવા, ૩પદ્માણ भवइ, सेणं भंते ! पच्छा पच्चाइकखमाणे किं करेइ ? गोयमा ! तीयं पडिक्कमइ, पडुप्पन्नं संवरेड्, अणागयं पच्चक्खाइ । तीयं पडिक्कममाणे किं तिविहं तिविहण पडिक्कमइ, तिविहं दुविहेण पडिक्कमइ, तिविहं एगविहेण पडिक्कमइ, जाव एगविहं एगविहेण पडिक्कमइ ? गोयमा ! તિવિહેંતિવિહેvi વિમરૂ ગાવUવિદં વિવિદે હમ તો પછી તેનો નિષેધ કેમ કરો છો ? એમ કહેવામાં આવે, તો તે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન સ્થૂલ પ્રાણાતિપાતાદિકનું સમજવું, પણ સર્વસાવઘયોગનું નહિ. જેમ કોઈ સ્વયંભૂરમણ સમુદ્રાદિના મત્સ્ય સંબંધી ત્રિવિધ ત્રિવિધે પ્રત્યાખ્યાન કરે તો તે દોષને માટે નથી, તેમ જો (કાકમાંસાદિ) કિંચિત્ નિપ્રયોજન, અથવા (મનુષ્ય ક્ષેત્રની બહારના હસ્તિદેતાદિ) અપ્રાપ્ય વસ્તુ વિશેષનું ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે, તો તે દોષને માટે નથી બનતું. અથવા કોઈ ચારિત્ર લેવાની ઇચ્છાવાળો, પુત્ર-પરિવારાદિના નિમિત્તે (વિલંબ કરતો) અગીયાર પ્રતિમા અંગીકાર કરે અને તે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે તો દોષ નથી. પણ જે પૂર્વે આરંભેલ અને નહિ તજેલ સાવદ્યકર્મસંતાનવાળો હોય, તે તેની અનુમતિના પરિણામને એકદમ નિવર્તવાને શક્તિમાન નથી થતો, તેથી તે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન ન કરે. સામાયિક કરતી વખતે ગૃહસ્થ શ્રાવક પણ સાધુ જેવો થાય છે. કારણ કે ઘણું કરીને અશુભયોગના રહિતપણાથી ઘણી નિર્જરા કરે છે. (મધ્યસ્થ થઈને) ઘણીવાર સામાયિક કરવાં જોઇએ. જે રાગ અથવા ષમાં ન વર્તતો હોય પણ બન્નેના મધ્યમાં હોય તે મધ્યસ્થ કહેવાય છે, તે સિવાયના સર્વ અમધ્યસ્થ છે. ૨૬૯૦-૨૬૯૧, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy