________________
ભાષાંતર ]
દ્રવ્યાર્થિકનયનું વિસ્તારથી સ્વરૂપ.
न भणियं पज्जायट्टियस्स जीवरस एस हि गुणोत्ति । छठ्ठीए तओ दव्वं सो तं च गुणो तओ भिन्नो || २६६०||
उप्पाय-भंगुराणं पड्क्खणं जो गुणाणं संताणो । दव्योवयारमेत्तं जड़ कीरइ तम्मि तन्नाम ||२६६१ ।।
तब्भेयकप्पणाओ तं तस्स गुणोत्ति होउ सामइयं । पत्तरस नीलया जह तस्संताणोदियत्थमिया || २६६२ || उपाय- भंगुरा जं गुणा य न य सोत्ति ते य तप्पभवा । ન ય સો તમવોત્તિ ય બુધ્નરૂ તં તદ્દુવયારાનો ર૬૬રૂ अहवोदासीणमयं दव्वनयं पड़ न जीवओ भिन्नं । भिन्नमियरं पड़ जओ नत्थि तदत्थंतरं जीवो || २६६४ ।।
પર્યાયાર્થિક નયના અભિપ્રાયે ષષ્ઠીનિર્દેશથી સામાયિક જીવનો ગુણ છે, એમ કહ્યું છે. તેથી જીવ દ્રવ્ય છે તથા સામાયિક ગુણ છે, અને તે ગુણ તેનાથી ભિન્ન છે. (આ કથન યોગ્ય નથી, કેમકે) પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય સ્વભાવવાળા ગુણોનો જે સંતાન છે, તેમાં જો દ્રવ્યનો ઉપચાર માત્ર કરાતો હોય, તો તે માનવા યોગ્ય છે, અને તેથી પત્રના સંતાનના ઉત્પન્ન થઈને નાશ પામતા નીલતાદિ ગુણોની જેમ તેના ભેદની કલ્પનાથી તે સામાયિક તે જીવદ્રવ્યનો ગુણ થાય તો કંઈ દોષ નથી. ગુણો ઉત્પાદવ્યય સ્વભાવવાળા છે, પણ સંતાન નથી; ગુણો સંતાનથી ઉત્પન્ન થયેલા છે. સંતાન ગુણથી ઉત્પન્ન થયેલ નથી. માટે ઉપચારથી તે જીવ દ્રવ્ય ઘટે છે. અથવા આ ઉદાસીન મત કહ્યો છે. દ્રવ્ય નયની અપેક્ષાએ સામાયિક જીવથી ભિન્ન નથી. (જીવ જ સામાયિક છે.) અને પર્યાયર્થિક નયની અપેક્ષાએ ભિન્ન છે, કેમકે જીવ સામાયિક ગુણથી જીદો નથી. ૨૬૬૦ થી ૨૬૬૪.
Jain Education International
[૩૬૭
“સો ચેવ વપ્નટ્ટિયર” ઈત્યાદિ નિર્યુક્તિના કથનાનુસારે (૨૬૪૩ ગાથાનું ઉત્તરાર્ધ) પર્યાયનયના અભિપ્રાયે સામાયિક જીવનો ગુણ છે. આ કથનમાં “સામાયિક જીવનો ગુણ છે” એવા ષષ્ઠીનિર્દેશથી એવો નિશ્ચય થાય છે કે, જીવ દ્રવ્ય છે. અને સામાયિક ગુણ છે, તે ગુણ જીવથી ભિન્ન છે. જો એ પ્રમાણે ન હોય તો ષષ્ઠીનિર્દેશ થઈ શકે નહિ, માટે પર્યાયનયના અભિપ્રાયે ભિન્ન ભિન્ન દ્રવ્ય-પર્યાય ઉભયનો સદ્ભાવ છે. આ પ્રમાણે બીજી રીતે વ્યાખ્યા કરનારાઓ કહેવા માગે, તો તેઓને તે સંબંધમાં પૂછવું જોઈએ કે પર્યાય નયના અભિપ્રાયે દ્રવ્યને પારમાર્થિક રૂપે મનાય છે, કે માત્ર કલ્પનાસ્વરૂપ જ મનાય છે ? જો પારમાર્થિક (સત્ય) રૂપે મનાતું હોય, તો તે અયોગ્ય છે, કારણ કે તે સંબંધી પૂર્વે ૨૬૫૪ મી ગાથામાં દોષ બતાવેલ છે.
હવે બીજા પક્ષાનુસાર પર્યાયનયના અભિપ્રાયે દ્રવ્ય માત્ર કલ્પના રૂપ જ મનાતું હોય, તો તેમ માનવામાં કંઈ દોષ નથી, કારણ કે પ્રતિસમય ઉત્પાદ-વ્યય સ્વભાવવાળા ગુણોના સંતાનમાં સમાન બુદ્ધિ અને કથનના હેતુપણે દ્રવ્યનો ઉપચાર માત્ર કરાય તો કંઈ હરકત નથી, કારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org