SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] પરસ્પર નિતવના દોષો. [૩૫૫ તો દરેક જણ પરસ્પર-એકબીજાને બે-બે દોષ આપે છે; એક પરમતની સંપ્રતિપત્તિ અને બીજાં સ્વમતમાં વિપ્રતિપત્તિ. અબદ્ધિકને નિતવો ત્રણ ત્રણ દોષ આપે છે, તેથી તે પણ બીજાઓને ત્રણ ત્રણ દોષ આપે છે. જ્યારે ત્રણ આદિ નિતવો એકઠા થાય, ત્યારે તેઓ એક બીજાને ત્રણ ત્રણ આદિ દોષો આપે છે. ૨૬ ૧૨ થી ૨૬ ૧૫. વિવેચન :- ગષ્ઠામાહિલ સિવાયના સર્વ નિતવો. વાવજીવ પર્યત સપરિમાણ-પ્રત્યાખ્યાન અને આત્મા સાથે કર્મનો સંબંધ ક્ષીરનીરવત્ માને છે, ગોષ્ઠામાહિલ એ બેમાંથી એક પણ નથી માનતો. જમાલિ સિવાયના તિષ્યગુપ્ત વગેરે નિતવો “કરાતું હોય તે કર્યું” એમ માને છે અને જમાલિ “કરેલું હોય તે જ કર્યું” માને છે. તિષ્યગુપ્ત સિવાયના નિતવો સંપૂર્ણ જીવ પ્રદેશોને જીવ માને છે, અને તિષ્યગુપ્ત એક અંતિમ પ્રદેશને જ જીવ માને છે. એ પ્રમાણે દરેક નિતવો જિનેશ્વરોયુક્ત પદાર્થોમાંથી એકેક પદાર્થ નથી માનતા, પણ ગોષ્ઠામાહિલ બે પદાર્થ નથી માનતા, એ સિવાય સર્વ નિહ્નવો જિનોક્ત સર્વ પદાર્થોને માને છે. એ પ્રમાણે દરેકની માન્યતા ભિન્ન ભિન્ન હોવાથી જ્યારે તેઓ એકઠા થાય, ત્યારે એકબીજાને બળે દોષ આપે છે, જેમકે બહુરત નિદ્ભવ જમાલિ, પ્રાદેશિક નિહ્નવ તિષ્યગુપ્તને કહે છે કે “કરેલું હોય તે જ કર્યું.” આવો મારો મત નિર્દોષ છતાં તું નથી માનતો એ પહેલો દોષ અને “અંતિમ પ્રદેશ જ જીવ છે” એ તારો મત સદોષ છે છતાં માને છે; એ બીજો દોષ સાંભળીને પ્રાદેશિક નિદ્ભવ પણ બહુરત નિદ્વવને વિપરીતપણે એ જ બે દોષ આપે છે. તથા એ જ પ્રમાણે અવ્યક્ત વાદીને પણ દોષવાળો તેનો મત માનવારૂપ અને નિર્દોષ છતાં પોતાનો મત નહીં માનવારૂપ એમ બે દોષ આપે છે. અવ્યક્તવાદી પણ પ્રાદેશિકને વિપરીતપણે એ જ બે દોષ આપે છે. એ જ પ્રમાણે યાવત્ ઐરાશિક નિહ્નવ અબદ્ધિક નિહ્રવને બે દોષ આપે છે અને અબદ્ધિક ઐરાશિકને બે દોષો આપે છે. અહીં એક બીજી વિશેષ વાત જણાવવાની જરૂર છે, કે વ્યક્તિની વિવક્ષાએ અબદ્ધિક નિહ્નવ સૃષ્ટાબદ્ધ કર્મ અને પરિમાણ રહિત પ્રત્યાખ્યાન માનતો હોવાથી તેના બે ભેદા બે મત જુદા માનીએ તો તે અબદ્ધિક તેનાં પ્રતિયોગી નિદ્વવોને ત્રણ દોષ આપે છે, અને તેઓ પણ તેને ત્રણ દોષ આપે છે, પણ જ્યારે તેની બે પદાર્થની માન્યતા ભિન્ન છતાં એક જ માનીએ તો ઉપર કહ્યા મુજબ પરસ્પર બળે દોષો જ લાગે છે. ભાષ્યકાર મહારાજ પણ એ વાત કબૂલ કરે છે અને કહે છે કે તેની બે પદાર્થની ભિન્ન ભિન્ન માન્યતાના બે દોષ અને ત્રીજો તેના પ્રતિયોગીની માન્યતાનો, એમ અબદ્ધિક નિદ્વવ તેના પ્રતિયોગી નિતવને ત્રણ ત્રણ દોષ આપે છે, અને તેઓ પણ તેને ત્રણ ત્રણ દોષ આપે છે; જ્યારે ત્રણ આદિ નિધવો એકઠા થાય ત્યારે તેઓ પરસ્પર એકબીજાને ત્રણ ત્રણ આદિ દોષો આપે છે. જેમકે બહુતરાદિ ત્રણ નિદ્વવો એકઠા થયા હોય, ત્યારે બહુરત નિતવ બીજાઓને કહે છે કે તમે પોતપોતાનો દોષિત મત પ્રરૂપતા હોવાથી બે દોષ અને મારો નિર્દોષ મત ન માનતા હોવાથી એક દોષ એમ ત્રણ ત્રણ દોષ તમને લાગે છે. આ પ્રમાણે અબદ્ધિક સિવાયના બધા નિતવો ત્રણ ત્રણના સંયોગે ત્રણ ત્રણ દોષો વધારીને ચાર દોષ આપે છે. એ જ પ્રમાણે ચાર પાંચ-છ અને સાત નિદ્વવોના સમુદાયમાં દરેક નિહ્નવ એક બીજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy