SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪] પ્રત્યાખ્યાનમાં શક્તિરૂપ અપરિમાણ પક્ષમાં દોષો. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ કરે, એ પ્રમાણે વારંવાર કરવાથી પ્રત્યાખ્યાનની અવસ્થા પ્રાપ્ત થશે. તથા “આટલી જ મારી શક્તિ છે, તેથી અધિક નથી” એવા અધ્યવસાયથી પ્રતિસેવના કરનાર સાધુને તમારા અભિપ્રાયાનુસાર અતિચાર નહિ લાગે, વ્રતભંગ નહીં થાય, પ્રાયશ્ચિત્ત નહિ થાય, પ્રાયશ્ચિત્ત નહિ આવે અને સર્વ વ્રત પાળવાં જોઈએ એવો નિયમ પણ નહિ રહે; કેમકે શક્તિના બહાનાથી તમારા મતાનુસાર એક વ્રત પાળવાથી પણ સંયમી કહેવાય. પણ આ સઘળું શાસનવિરુદ્ધ અને યુક્તિરહિત છે, તેથી તેમ માનવું યોગ્ય નથી. ૨૫૩૬ થી ૨૫૩૭. અપરિમાણ એટલે સર્વ અનાગતકાળ, અથવા અપરિચ્છેદ કહો તો તે પણ અયોગ્ય છે, તે કહે છે : अहवा सव्वाणागयकालग्गहणं मयं अपरिमाणं । तेणापुण्णपइण्णोमओऽवि भग्गब्बओ नाम ॥२५३८।। सिद्धोऽवि संजओ च्चिय सब्बाणागयद्धसंवरधरोत्ति । उत्तरगुण-संवरणाभावो च्चिय सबहा चेव ॥२५३९॥ अपरिच्छेएडवि समाण एस दोसो जओ सए तेणं । वयभंगभयाउ च्चिय जावज्जीवंति निद्दिढें ॥२५४०॥ અથવા સર્વ અનાગતકાળનું ગ્રહણ કરવું તેને તમે અપરિમાણ માનતા હો, તો તેથી અપૂર્ણ પ્રતિજ્ઞાવાળો થવાથી મરણ પામીને પણ તે ભગ્નવ્રતી કહેવાશે. અને સિદ્ધ પણ સર્વ અનાગતકાળ પર્યત સંવરધારી હોવાથી સંયમી કહેવાશે, વળી એ પ્રમાણે માનવાથી ઉત્તરગુણ સંવરણનો સર્વથા અભાવ જ થશે, તથા અપરિચ્છેદરૂપ અપરિમાણ માનવામાં પણ એ જ દોષ સમાન છે. તે માટે વ્રતભંગના ભયથી શ્રુતમાં પ્રત્યાખ્યાનનું પરિમાણ માવજીવ પર્યન્તનું કહ્યું છે. ૨૫૩૮ થી ૨૫૪૦. વિવેચન - સર્વ અનાગતકાળનું પ્રત્યાખ્યાન તે અપરિમાણ પ્રત્યાખ્યાન કહેવાય, એમ જો અપરિમાણની વ્યાખ્યા કરતા હો, તો મરણ પામીને દેવલોકાદિમાં ગયેલ મુનિ ભોગોનું સેવન કરતા અપૂર્ણ પ્રતિજ્ઞાવાળો થવાથી ભગ્નાવતી કહેવાશે; કેમકે સર્વ અનાગતકાળ સુધી પ્રત્યાખ્યાનનું પાલન તેણે નથી કર્યું. વળી અપરિમાણ પ્રત્યાખ્યાનની ઉપરોક્ત વ્યાખ્યાથી મુક્તાત્મા પણ સંયમી કહેવાશે, કેમકે તે સર્વ અનાગતકાળ પર્યત સંવરધારી છે; પરંતુ મુક્તાત્માને સંયમી કહેવા એ આગમ વિરૂદ્ધ છે, કેમકે - “સિદ્ધ નો સંગા નો રૂમસંગ, નો સંગાસંગU” એટલે સિદ્ધના જીવો સંયમી નથી, અસંયમી નથી અને સંયમસંયમી દેશવિરતિ પણ નથી. વળી એ સિવાય બીજા દોષો પણ એ માન્યતામાં આવે છે. પોરિષી-પુરિમાઈ, એકાસણઉપવાસાદિ તપરૂપ ઉત્તરગુણ અને ઘણા આગારોથી ગ્રહણ કરેલ એ એકાસણાદિનાં પ્રત્યાખ્યાનને ભોજનાનંતર આગારો વડે સંક્ષેપવારૂપ સંવરણ એ બંને ઉત્તરગુણ અને સંવરણનો સર્વ અનાગતકાળ પર્યતના પ્રત્યાખ્યાનમાં સર્વથા અભાવ થાય છે, કેમકે તમારા મતે પોરિષી આદિમાં સર્વ અનાગતકાળનું પ્રત્યાખ્યાન ઘટતું જ નથી અને એકાસણાદિમાં સંવરણ પણ કદાપિ ઘટતું નથી, એ સ્પષ્ટ જાણી શકાય એમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy