SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર] દીર્થ ક્રિયાકાલ નામના દોષનું ખંડન. [૨૭૭ पइसमयकज्जकोडीविमुहो संथारयाहिकयकज्जो। पइसमयकज्जकालं किह संथारम्मि लाएसि ? ॥२३२३॥ જે સંથારો જે આકાશ પ્રદેશમાં જે જે સમયમાં પથરાય છે, તે સંથારો તે તે સમયમાં પથરાયેલો છે, અને તે જ પથરાય છે પણ ખરો. વળી ઘણાં વસ્ત્ર પાથરવાની વિભિન્ન દેશ ક્રિયા વગેરે કાર્યની પરંપરાનો દીર્ઘકાળ તમે માનો છો, તો એમાં સંથારાનો દીર્ઘકાળ ક્યાં છે? તમે સંથારારૂપ કાર્યમાં જ બુદ્ધિવાળા હોવાથી, દરેક સમયની કાર્યપરંપરાથી વિમુખ છો, ને દરેક સમયના કાર્યકાળને સંથારામાં કેમ યોજો છો ? ૨૩૨૧ થી ૨૩૨૩. જમાલિઃ- જે સંથારો જે આકાશ પ્રદેશમાં જે જે સમયે પથરાય છે, તે સંથારો તેટલા પ્રમાણમાં તે આકાશ પ્રદેશમાં તે તે સમયે પથરાયેલો છે, અને પથરાય છે પણ ખરો. મતલબ કે કેટલીક સંથારો પથરાય છે, ને કેટલોક પથરાયો છે, પણ સર્વ સંથારો પથરાયેલો ન કહેવાય; અને એથી “જે કરાતું હોય તે કર્યું કહેવાય” ઈત્યાદિ જે મહાવીરદેવનું વચન છે તે અસત્ય જણાય છે. સ્થવિરો:-જમાલિ! તમે ભગવંતના વચનનો અભિપ્રાય જાણ્યો નથી, માટે જ એમ અયુક્ત કહો છો; કારણ કે ભગવંતનું વચન સર્વનયાત્મક હોય છે, એથી કરાતું હોય તે કર્યું નથી.” એવું પણ કોઈક વખત વ્યવહાર નયની અપેક્ષાએ માની શકાય છે. પરંતુ “તમને gિ કરિના વરિy” ઈત્યાદિ જે સૂત્રો છે, તે તો નિશ્ચયનયના મતે કહેલાં છે, તેથી એ નયના અભિપ્રાયે “કરાતું હોય તે કર્યું, પથરાતું હોય તે પાથર્યું” ઈત્યાદિ સર્વ ઘટી શકે છે, કેમકે નિશ્ચયનય એમ માને છે, કે પ્રથમ સમયથી જ ઘટ કરવાનો આરંભ કર્યો નથી, પરંતુ માટી લાવવી તેને મસળવી વગેરે જુદાં જુદાં કાર્યો દરેક સમયે આરંભાય છે. એમાંનું જે કાર્ય જે સમયે આરંભાય છે, તે કાર્ય તે જ સમયે ઉત્પન્ન થાય છે, કેમ કે કાર્યકાળ અને નિષ્ઠાકાળ એક જ હોય છે, અન્યથા પૂર્વે કહેલા દોષો પ્રાપ્ત થાય. માટે “જે કરાતું હોય તે કરેલું જ છે.” એ જ પ્રમાણે પ્રસ્તુત વિવાદગ્રસ્ત એવો સંથારો પણ, પ્રથમ સમયથી જ સઘળો પાથરવા માંડયો નથી, પરંતુ દરેક સમયે, તેના જુદા જુદા અવયવો પથરાય છે, એમાંનો જે અવયવ જે સમયે પાથરવા માંડ્યો હોય, તે અવયવ તે જ સમયે પથરાય છે પણ સંપૂર્ણ સંથારો તો છેલ્લા સમયે જ પથરાય છે, અને ત્યાં જ સંપૂર્ણ પથરાઈ રહે છે એટલે “પથરાતું હોય તે પથરાયેલું છે.” વળી જે કાર્યનો તમે દીર્ઘકાળ માનો છો, તે તો જુદા જુદા દેશકાળે વસ્ત્ર-કંબળ વગેરે જુદી જુદી વસ્તુઓ પાથરવા સંબંધી ક્રિયારૂપ કાર્યની પરંપરાનો છે, એમાં સંથારો કરવામાં દીર્ઘકાળ કંયાંથી આવ્યો ? જમાલિઃ- જો પહેલાં જુદાં જુદાં કાર્યો થતાં હોય, અને સંથારો તો છેલ્લા સમયે જ આરંભાતો હોય, ને ત્યાં જ પૂરો થતો હોય, એમ ક્રિયાનો કાર્યકાળ અને નિષ્ઠાકાળ (કાર્યની સમાપ્તિનો કાળ) એક જ હોય, તો પછી મને સંથારાનો જ દીર્ધ ક્રિયાકાબ કેમ અનુભવાય છે ? સ્થવિરો - દરેક સમયે થતી કાર્યની પરંપરાથી તમે વિમુખ છો, અને માત્ર સંથારારૂપ કાર્યમાં જ બુદ્ધિવાળા છો, તેથી દરેક સમયે થતા કાર્યની પરંપરાનો કાળ સંથારામાં યોજો છો. એટલે એ બધો કાળ તમને સંથારાનો જ અનુભવાય છે. ૨૩૨૧-૨૩રર-૨૩૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy