________________
ભાષાંતર] પૃથકત્વનો કાલ ને તે કરનાર આચાર્યની ઉત્પત્તિ. [૨૬૫
અનુયોગ પૃથફ કરવાનું કારણ કહે છે. (३२४) देविंदवंदिएहिं महाणुभावेहिं रक्खियजेहिं ।
जुगमासज्जविभत्तो अणुओगो तो कओ चउहा ॥२२८८॥७७४॥ દેવેન્દ્રોથી વંદિત, મહાનુભાવ આર્ય રક્ષિતાચાર્યે દુષમકાળ જાણીને પ્રવચનહિતાર્થે અનુયોગનો વિભાગ કરીને તે ચાર પ્રકારે જુદા જુદા સ્થાપિત કર્યા છે. ૨૨૮૮.
(અહીં આ સંબંધમાં “લા ૪ મા.” વગેરે ગાથાઓ છે, તે મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવી.) (३२५) भणइ अ धोरेअव्वा न हु दायव्वा इमा मए विज्जा ।
अप्पिड्ढिआ उ मणुआ होहिन्ति अओ परं अन्ने ॥७७१॥ (રૂર૬) માટેસરીયો સેસીરિક ની દુશાસનિદાન
गयणयलमइवइत्ता वइरेण महाणुभागेण ॥७७२॥ જેના આચાર્યપદની અનુજ્ઞાનો મહિમા દશપુર નગરમાં દેવોએ કર્યો તે પદાનુસાર લબ્ધિવાળા શ્રીવજસ્વામીજીને હું નમસ્કાર કરું છું. ૭૬૭.
જેમને કુસુમપુર નગરમાં ધનાવહ શેઠે કન્યા અને ધનની નિમંત્રણા કરી તે શ્રી વજસ્વામીજીને હું નમસ્કાર કરું છું. ૭૬૮.
જેમણે મહાપરિજ્ઞા-અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યાનો ઉદ્ધાર કર્યો તે છેલ્લા શ્રતધર (દશપૂર્વી) આર્યવજ સ્વામીને હું નમસ્કાર કરું છું. ૭૬૯.
એ વિદ્યાના પ્રભાવથી જંબૂદ્વીપનું ભ્રમણ કરી માનુષોત્તર પર્વત સુધી જઈ શકે છે. ૭૭૦. તેઓ બોલ્યા કે આ વિદ્યા શાસનના ઉપકાર માટે મારે ધારી રાખવી પરંતુ હવે પછી મનુષ્યો અલ્પઋદ્ધિવાળા થશે માટે કોઈને આપવી નહિ. ૭૭૧.
જે મહાનુભાવ વજસ્વામીજી હુતાશન વનથી પુષ્પસમૂહ ગગનમાર્ગે માહેશ્વરપુરીમાં લાવ્યા. ૭૭ર. (३२९) *माया य रुद्दसोमा पिआ य नामेण सोमदत्तत्ति ।
माया व फग्गुरक्खिअ तोसलिपुत्ता य आयरिआ ॥७७५॥ (३३०) निज्जवण भद्दगुत्ते वीसं पढणं च तस्स पुव्वगयं ।
पव्वाविओ अ माया रक्खिअनमणेहिं जणओ अ ॥७७६॥ શ્રી આર્યરક્ષિતસૂરિજીની માતા રૂદ્રસીમા, પિતા સોમદેવ, ભ્રાતા ફલ્યુરક્ષિત અને આચાર્ય તોસલીપુત્ર હતા. ૭૭૫.
એમણે આર્ય ભદ્રગુપ્તસૂરિજીને નિર્ધામણા કરાવી, આર્ય વજસ્વામી મહારાજ પાસે ભિન્ન ઉપાશ્રયે રહી પૂર્વગત શ્રુતનો અભ્યાસ કર્યો અને પોતાના ભાઈ તથા પિતાને દીક્ષા આપી. ૭૭૬.
३४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org