________________
ભાષાંતર ] સમભિરૂઢ નયની માન્યતા.
[૨૫૩ પ્રસ્થાદિક પણ, પ્રસ્થાદિક જ્ઞાનનું કારણ હોવાથી પ્રમાણ છે, એમ માન્યતા થાય તો તે અયોગ્ય છે, કેમકે પ્રસ્થાદિકનો અભાવ છતાં પણ કોઈને પ્રસ્થાદિકનું જ્ઞાન થાય છે અને કોઈને તે હોવા છતાં પણ થતું નથી અથવા જો તે પ્રસ્થાદિક પદાર્થ તેના જ્ઞાનનું કારણ છે, માટે પ્રમાણ માનેલ છે, તો પ્રમેય પણ પ્રમાણ થાય, અને એથી સર્વ કાંઈ પ્રમાણરૂપ બને. અને તેમ થતાં પ્રમાણ શું અને અપ્રમાણ શું ? પ્રમાણ અપ્રમાણની વ્યવસ્થાનો જ લોપ થાય. તથા દેશી એ દેશ જ છે, વસ્તુ દેશ નથી, દેશીથી ભિન્ન પણ નથી, જો ભિન્ન હોય તો તે દેશ તેનો ન કહેવાય, અને જો તે દેશ તે દેશીનો હોય, તો તે તેનાથી ભિન્ન ન ગણાય. માટે નીલોત્પલાદિકની જેમ
પણ-વિશેષ્યભૂત પદોનો કર્મધારય સમાસ યોગ્ય છે, પણ રાજપુરુષાદિકની જેમ પષ્ઠીતપુરુષ સમાસ યોગ્ય નથી. વળી ઘટકારની વિવક્ષામાં, ઘટ કરવાની ક્રિયા કર્તાથી અભિન્ન છે, તેનાથી અત્તરમતમાં સમવાય તો તેનો માન્યો નથી. કારણ કે એથી ઘટમાં વસ્તુ પર્યાયના સંકરાદિ દોષનો પ્રસંગ થાય. તેથી કરીને જે જેના વડે કરાય અથવા જેને જે કરે છે. તે સર્વ તેનાથી અભિન્ન છે. ર૨૪૫ થી ૨૨૫૦.
જેમ નવલનું પાણી પગના રોગનું કારણ હોવાથી તેને પગનો રોગ કહેવાય છે, તેમ પ્રસ્થાદિક પણ, પ્રસ્થાદિકના જ્ઞાનનું કારણ હોવાથી પ્રમાણભૂત છે, એ પ્રમાણે જો કોઈ કહેવા માગે તો તે અયોગ્ય છે, કારણ કે પ્રસ્થાદિકના અભાવે પણ કોઈક ધાન્ય રાશિમાત્રમાં જ પરિચ્છેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને કોઈ માલિકેરાદિ દ્વીપમાંથી આવેલા અજ્ઞાન મનુષ્યને પ્રસ્થકાદિ વિદ્યમાન છતાં પણ પ્રસ્થક પરિચ્છેદ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. તેથી તે કાષ્ઠમય પ્રસ્થક વગેરે તે સંબંધી જ્ઞાન ઉત્પન્ન કરવામાં કારણભૂત જ છે, એમ એકાંતે કહી શકાય નહિ; એટલે તે પ્રસ્થકાદિ પ્રમાણરૂપ કેવી રીતે થઈ શકે ? ન જ થઈ શકે. અથવા પ્રસ્થાદિ ભલે તેના કારણભૂત થાય, તોપણ તેમને પ્રમાણરૂપતા તો પ્રાપ્ત નહિ થાય; કારણ કે જો પ્રસ્થકાદિક જ્ઞાનની કારણતા માત્રથી જ તે પ્રસ્થકાદિક પ્રમાણરૂપે ઈષ્ટ હોય તો પ્રમેય પણ પ્રમાણજ્ઞાનનું કારણ હોવાથી તેને પણ પ્રમાણ માનવું પડશે. અને એમ થતાં દધિભક્ષણાદિ પણ પરંપરાએ જ્ઞાનનું કારણ થવાથી પ્રમાણરૂપ થશે પછી કોઈ પણ વસ્તુ અપ્રમાણ નહિ રહે. દધિભક્ષણાદિ સર્વ તેનું કારણ છતાં પણ તે પ્રમાણરૂપ નથી, એમ કહેવામાં આવે તો કાષ્ઠમય પ્રસ્થાદિક પણ પ્રમાણ નહિ થાય, આ પ્રમાણે અતિપ્રસંગ થવાથી પ્રમાણ અને અપ્રમાણની વ્યવસ્થાનો જ અભાવ થશે. માટે ત્રણે શબ્દનયોને પ્રસ્થાનું જ્ઞાન તે જ પ્રસ્થક પ્રમાણરૂપે ઈષ્ટ છે. પણ કાષ્ઠમય પ્રસ્થક તે પ્રમાણરૂપે ઈષ્ટ નથી.
વળી ધર્માસ્તિકાય અધમસ્તિકાય-આકાશાસ્તિકાય-પુદ્ગલાસ્તિકાય અને જીવ આ પાંચેના દેશ-પ્રદેશની કલ્પનામાં આ નય ષષ્ઠીસમાસ માનતો નથી, પણ કર્મધારય માને છે. કારણ કે આ નય ધર્માસ્તિકાય વગેરે જે દેશી છે, તે જ દેશ છે, પણ ઘટથી જેમ અરઘટ્ટ અત્યંત ભિન્ન છે, તેવી રીતે દેશ, દેશીથી અત્યંત ભિન્ન સ્વતંત્ર વસ્તુ નથી. દેશ એ સ્વતંત્ર વસ્તુ નથી, એટલું જ નહિ પરંતુ દેશના સંબંધથી અસ્વતંત્ર છતાં પણ દેશ, દેશીથી ભિન્ન છે, એમ કહેવામાં આવે તો તે અયોગ્ય છે, કેમકે “દેશી' રૂપ વસ્તુથી દેશ ભિન્ન નથી; તેમ છતાં પણ જો દેશીથી દેશ ભિન્ન માનવામાં આવે, તો અત્યંત ભિન્ન એવા વિધ્યાચળ અને હિમવાન આદિનો જેમ સંબંધ ન ઘટે, તેમ તે દેશ તથા દેશીનો સંબંધ પણ ન ઘટે, તે દેશીનો આ દેશ છે, એમ માની શકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org