________________
ભાષાંતર) મૈગમન સામાન્ય વિશેષને ભિન્ન માને છે.
[૨૩૯ આ ઉદાહરણોના અનુસારે બીજાં ઘટાદિ પદાર્થોમાં પણ અશુદ્ધ-મધ્યમ ને વિશુદ્ધ પક્ષ અંગીકાર કરવાનાં ભેદથી ઉદાહરણો સમજી લેવાં. ૨૧૮૬ થી ૨૧૮૮.
सामन्नमन्नदेव हि हेऊ सामन्नबुद्धि-वयणाणं । तस्स विसेसो अन्नो विसेसमइ-वयणहेउत्ति ॥२१८९॥ सदिति भणिएऽभिमन्नइ दब्बाइत्थंतरं तु सामन्नं । अविसेसओ मईए सव्वत्थाणुप्पवित्तीओ ॥२१९०॥ गोत्तादओ गवाइसु निययाधाराणुवित्तिबुद्धिओ ।
परओ य निवित्तीओ सामन्नविसेसनामाणो ।।२१९१॥ નૈગમન સામાન્ય વિશેષને પોતાના આશ્રયથી પણ પરસ્પર ભિન્ન માને છે.
સામાન્ય બુદ્ધિ અને વચનનો હેતુ સામાન્ય છે, તેથી તે વિશેષથી ભિન્ન જ છે, અને વિશેષ પણ વિશેષ બુદ્ધિ તથા વિશેષ વચનનો હેતુ હોવાથી સામાન્યથી ભિન્ન છે. “સત્ - વિદ્યમાન છે” એમ કહેવાથી (આ નય) સામાન્યને દ્રવ્ય આદિથી જુદું જ માને છે. કારણ કે “છે” એવા વચન અને બુદ્ધિની સર્વત્ર પ્રવૃત્તિ થાય છે. ગોત્વ વગેરે ગાય આદિમાં છે, તે પોતાના આધારમાં અનુવૃત્તિસમાન વૃત્તિનો હેતુ છે, અને ભિન્નમાંથી નિવૃત્તનો હેતુ છે, માટે એ ગોવાદિ સામાન્ય વિશેષઅવાજોરસામાન્ય કહેવાય છે. ૨૧૮૯ થી ૨૧૯૧.
નૈગમન સામાન્ય અને વિશેષને માને છે, પરંતુ તે બન્નેને પરસ્પર ભિન્ન માને છે. આ માન્યતાની પુષ્ટિમાં તે એમ કહે છે કે “સ” એટલે “વિદ્યમાન છે” આવી સામાન્યબુદ્ધિ અને
એવા જ સામાન્ય વચનનો હેતુ હોવાથી સામાન્ય જે છે તે વિશેષથી ભિન્ન જુદું જ છેઃ અને નિત્યદ્રવ્યમાં રહેલા અન્ય વિશેષ પણ સામાન્યથી ભિન્ન-જુદો છે, કેમકે “વિશેષ વિશેષ” એવી બુદ્ધિ અને વચનનો વિશેષ એ જ હેતુ છે, મતલબ કે સામાન્ય અને વિશેષ, ઘટ-પટાદિની જેમ ભિન્નભિન્ન કાર્યવાળા હોવાથી અત્યંત જુદા છે.
અહીં એક બીજો વિશેષ જણાવવાની જરૂર છે, કે નૈગમનય સામાન્ય-વિશેષને જ પરસ્પર ભિન્ન માને છે, એમ નહિ, પરંતુ એ બન્નેના આશ્રયભૂત જે ગાય અને પરમાણુ આદિ છે તેનાથી પણ એ ઉભયનો ભેદ માને છે. “ચ્ચ-ગુખ-હૃર્મસુ સા સત્તા” એટલે દ્રવ્ય-ગુણ અને કર્મમાં તે સત્તા છે. આ વાક્યથી સત્તા સમવાયથી જ પરસ્પર વિલક્ષણ એવા દ્રવ્ય-ગુણ અને કર્મમાં સન્ પણાની બુદ્ધિ થાય છે, આથી કરીને સત એટલે છે” એમ કહેવાય છે, એમ નૈગમનય દ્રવ્યાદિથી સામાન્યને જુદા પદાર્થરૂપે જ માને છે. કારણ કે એ સામાન્ય અન્યોન્ય વિલક્ષણ એવા પણ દ્રવ્યગુણ અને કર્મમાં સમાન પણે વર્તે છે. મતલબ કે સત્તા સામાન્ય જો દ્રવ્યાદિથી અભિન્ન હોય, તો દ્રવ્યાદિની જેમ ભિન્નપણાથી સર્વત્ર દ્રવ્યાદિમાં સત્ એવી અભિન્ન બુદ્ધિ ન થાય, કેમકે ભિન્ન પદાર્થથી અભિન્ન બુદ્ધિ કદી પણ ઉપજે નહિ, અને જો કદી ઉપજે, તો ઘટ-પટ-ખંભાદિથી પણ એવી અભિન્ન-એકતાની બુદ્ધિ થવી જોઈએ. અને ભિન્ન પદાર્થોમાં પણ અભિન્ન બુદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. તેથી કરીને તે સતુબુદ્ધિ કરાવનાર સામાન્ય દ્રવ્યાદિથી ભિન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org