SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર]. તદ્રવ્ય અને અન્યદ્રવ્ય કારણો. [૨૧૩ છે, તેથી તંતુઓ પટનું તદ્દવ્યકારણ કહેવાય. અને એથી વિપરીત એટલે જેનાથી તદાત્મક કાર્ય ન થાય તે અન્યદ્રવ્ય કારણ જાણવું. જેમ વેમાદિકથી જો કે પટરૂપ કાર્ય થાય છે, પણ તે પટરૂપ કાર્ય વેમાઘાત્મક થતું નથી, તેથી તેમાદિક પટનું અન્ય દ્રવ્ય કારણ છે. શિષ્ય :- ભગવાન્ ! એ પ્રમાણે જો પટ સંબંધી તદ્રવ્ય જ પટનું કારણ થતું હોય, તો કાર્ય-કારણની એકતા થશે, અને એથી પટ અને પટસ્વરૂપની જેમ તંતુ અને પટનો કાર્ય-કારણભાવ નહિ થાય. વળી એ કાર્ય-કારણનું એકત્વ માનવું એ યોગ્ય નથી. કેમકે નામ-સંખ્યા-લક્ષણ અને કાર્યાદિ વડે એ બન્ને ભિન્ન ભિન્ન છે; જેમ કે - “પટ” અને “તંતુઓ” આ નામથી ભેદ છે. પટ એક છે અને તંતુઓ ઘણા છે . આ સંખ્યાથી ભેદ છે. જે વડે જણાય તે લક્ષણ. એવું લક્ષણ, પટનું જુદું છે, અને તંતુનું જુદું છે - આવી રીતે લક્ષણથી ભેદ છે. શીતાદિથી રક્ષણ કરવાદરૂપ કાર્ય પટનું છે, અને બંધનાદિરૂપ કાર્ય તંતુઓનું છે - આ કાર્યર્થ ભેદ છે. આ પ્રમાણે નામાદિ વડે ભેદ હોવાથી ઘટ અને પટની જેમ, પટ અને તંતુરૂપ કાર્ય-કારણનું ભિન્નપણું જણાય છે, પણ આપ કહો છો તેમ બન્નેનું એકત્વ જણાતું નથી. આચાર્ય :- તંતુ અને પટની એકતામાં કાર્ય-કારણના અભાવપણાનો જે દોષ તારા મનમાં ઉદ્ભવ્યો છે, તે દોષ તંતુ અને પટનો ભેદ માનવામાં પણ સરખો જ છે. જેમકે તંતુઓ ઘટની જેમ પટથી ભિન્ન હોવાથી પટનું કારણ નથી. વળી તંતુ અને પટની જેમ એકતા માનવામાં આવે તેમાં પણ વસ્તુઓનાં નામ વિગેરે જુદાં જુદાં જણાય તે વિરુદ્ધ નથી, જેમકે ઘટ અને રૂપ વગેરેની એકતા તો લોકમાં પ્રસિદ્ધ છે, પણ નામ વગેરે તો તેઓના ભિન્ન જ છે. જેમ કે “ઘટ” અને “રૂપ વગેરે” એ નામથી ભેદ. ઘટ એક છે અને રૂપ વગેરે ઘણાં છે, એ સંખ્યાથી ભેદ, પહોળા ઉદરાદિ આકારવાળો ઘટ છે અને રક્તપીતાદિ લક્ષણવાળાં રૂપ વગેરે છે, એ લક્ષણથી ભેદ. પાણી લાવવાદિરૂપ ક્રિયા કરનાર ઘટ છે અને વર્ણ ધારણ કરવાદિના કારણભૂત રૂપ વિગેરે છે, એ કાર્યથી ભેદ. આ પ્રમાણે નામાદિનાં ભેદથી ભેદ છે, એ કથન અનેકાન્તિક છે, કેમકે એની વિરૂદ્ધમાં એમ પણ કહી શકાય છે કે-નામાદિના ભેદથી ઘટ અને ઘટના રૂપાદિકની જેમ, પટ અને તંતુ આદિરૂપ જે કાર્ય-કારણ તે અભિન્ન છે. શિષ્ય :- પ્રભો ! જો એ પ્રમાણે કાર્ય-કારણના ભેદ અને અભેદ પક્ષમાં સરખો જ દોષ આવતો હોય, તો પછી જગતમાં તંતુ અને પટનો જે કારણ-કાર્ય ભાવ પ્રસિદ્ધ છે, તે કેવી રીતે યોગ્ય માની શકાય ? - આચાર્ય - પ્રાજ્ઞ! સાંભળ. જેમ માટીથી વ્યતિરિક્ત-ભિન્ન ઘટ જણાતો નથી, તેથી માટીથી ઘટ અનન્ય-અભિન્ન છે એમ કહી શકાય. અને સ્વસ્વરૂપે ઉત્પન્ન થયા પહેલાં ઘટ હતો નહિ, પણ કેવળ માટી જ હતી, તેથી ભિન્ન છે એમ કહેવાય. જો એમ ન માનતાં સર્વથા એકપણું માનવામાં આવે તો જે કાળે એકલી પૃથ્વી હતી તે કાળે પણ ઘટ જણાવો જોઈએ, પરંતુ તે કાળે તે જણાતો નથી, માટે પૃથ્વીથી-માટીથી ઘટ ભિન્ન છે, આ પ્રમાણે જેમ કારણ અને કાર્યરૂપ માટી અને ઘટનું ભિન્નભિન્નત્વ છે, તે જ પ્રમાણે સર્વત્ર કારણ કાર્યમાં ભિન્નભિન્નપણું સમજી લેવું. ૨૧૦૦ થી ૨૧૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy