________________
ભાષાંતર) દેશકાળ અને કાળકાળનું સ્વરૂપ.
[૨૦૧ (२७८) निद्भूमगं च गामं महिला थूमं च सुण्णयं दर्छ ।
नीयं च कागा वोलेंति जाया भिक्खस्स हरहरा ॥२०६४॥७२७।। (२७९) निम्मच्छियं महं पायडो निही खज्जगावणो सुन्नो।
जायंगणे पसुत्ता पउत्थवइया य मत्ता य ॥२०६५।।७२८॥ શુભાશુભ કાર્યનો જે વખત તેનો (હવે કહેવાશે તે) ઉપાયથી નિશ્ચય થાય, તે દેશકાળ કહેવાય છે.
દેશ-અવસર-અને થન્ક એ તેના પર્યાયો છે.
ધૂમરહિત ગામ અને પણિયારીઓના સમૂહ વિનાના કૂવા વિગેરેના તટને જોઈને તથા કાગડાઓ નીચા સ્થાન તરફ આવે છે, ઈત્યાદિ ચિન્હ જોઈને હવે “બરાબર ભિક્ષા સમય થયો.” એમ જાણે તે (પ્રશસ્ત કાર્યકાળ જણવો.) તથા મક્ષિકારહિત મધપુડો છે અને ઉઘાડો પડેલો નિધિ પ્રગટ જણાય છે. (એમ જાણીને તે મધ અને નિધિ ગ્રહણ કરવાનો અવસર જણાય છે) તથા ખાદ્યવસ્તુ વેચનારની દુકાનમાં કોઈ મનુષ્ય ન દેખાવાથી તેમની વસ્તુ લેવાનો અવસર જણાય તે, તેમ જ જેનો પતિ પરદેશ ગયેલ છે એવી સ્ત્રી મદિરાથી મત્ત થઈને આંગણામાં સૂતી છે, તે અત્યારે બહુ કામાતુર છે, એમ જાણવું ઈત્યાદિ અશુભ-અપ્રશસ્ત કાર્યનો કાળ જાણવો. ૨૦૬૩૨૦૬૪-૨૦૬૫.
હવે કાળકાળનું સ્વરૂપ કહે છે. कालोत्ति मयं मरणं जहेह मरणं गउत्ति कालगओ।
तम्हा स कालकालो जो जस्स मओ मरणकालो ॥२०६६।। (૨૮૦) વાળ ૩ ત્નિો ૩ડું સાથસાન
तो तेण हओ कालो अकाल कालं करतेण ॥२०६७॥७२९।। કાળ એટલે સમય અને બીજો કાળ એટલે લોકરૂઢિથી મરણ માનેલ છે. જેમકે મરણ પામ્યો અથવા કાળ પામ્યો (કર્યો) માટે જે પ્રાણીનો જે મરણકાળ તેને તીર્થકરોએ કાળકાળ માનેલ છે. શ્યામ કૂતરાએ (ઉપાશ્રયની નજીક) સ્વાધ્યાય કરવાના વખતે કાળ કર્યો, તેથી તેણે અકાળે કાળ કરવાથી મરણ પામવાથી અમારા સ્વાધ્યાયના કાળનો ભંગ કર્યો. (આ વાક્યમાં લોકોક્તિદ્વારા કાળકાળ કહેવાય છે.) ૨૦૬૬-૨૦૬૭. હવે પ્રમાણકાળનું સ્વરૂપ કહે છે. __ अद्धाकालविसेसो पत्थयमाणं व माणुसे खित्ते ।
सो संववहारत्थं पमाणकालो अहोरत्तं ॥२०६८।। (૨૮૨) વિશે માહાનો દિવસમાં જ 3 રાક્ ચ |
चउपोरिसिओ दिवसो रत्ती चउपोरिसी चेव ॥२०६९।७३०।।
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org