SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦] અગિયારમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ જીવ કર્મનો અનાદિ સંયોગ છતાં તેનો વિયોગ થાય, પણ જીવનો નાશ ન થાય, તે બતાવે છે. पडिवज्ज मण्डिओ इव वियोगमिह कम्म- जीवजोगस्स । तमणाइणोऽवि कंचण-धाऊण व णाण - किरियाहिं ।। १९७७ ॥ जं नारगाइभावो संसारो नारगाइभिण्णो य । को जीवो तं मन्नसि तन्नासे जीवनासोत्ति ।।१९७८।। न हि नारगाइपज्जायमेत्तनासम्म सव्वहा नासो । जीवद्दव्यस्स मओ मुद्दनासे व हेमस्स ।। १९७९ ।। कम्मकओ संसारो तन्नासे तस्स जुज्जई नासो । जीवत्तमकम्मकयं तन्नासे तरस को नासो ? ।।१९८० ।। સુવર્ણ અને માટીની જેમ જીવ-કર્મનો અનાદિ સંયોગ છતાં પણ જ્ઞાન-ક્રિયાવડે વિયોગ થાય છે. એમ તું મંડિકની જેમ અંગીકાર કર. વળી તું એમ માને છે કે નારકાદિ પર્યાય, તે જ સંસાર છે, અને એ નારકાદિ પર્યાયથી ભિન્ન બીજો કોઈ જીવ નથી, એટલે તે પર્યાયનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે. (તારી આ માન્યતા અયોગ્ય છે. કેમકે) મુદ્રાનો નાશ થયે જેમ સુવર્ણનો નાશ થતો નથી, તેમ નારકાદિ પર્યાય માત્રનો જ નાશ થવાથી જીવદ્રવ્યનો સર્વથા નાશ થતો નથી. સંસાર કર્મકૃત છે; તેથી કર્મનો નાશ થયે સંસારનો નાશ ઘટે છે, પણ જીવત્વ કર્મકૃત નથી એટલે કર્મનો નાશ થયે જીવનો નાશ કેવી રીતે થાય ? ન જ થાય. ૧૯૭૭ થી ૧૯૮૦, ભગવંત :- જેમ સુવર્ણ અને માટીનો અનાદિ સંયોગ છતાં પણ ધમન (અગ્નિ આદિ) વડે તે બેનો વિયોગ થાય છે; તેમ જીવ અને કર્મનો અનાદિ સંયોગ છતાં પણ જ્ઞાન તથા ક્રિયાવડે ઉભયનો વિયોગ થાય છે. તેથી અનાદિ સંયોગનો વિયોગ જ ન થાય, એમ એકાંતે ન કહી શકાય; માટે મંડિકની જેમ તું પણ અંગીકાર કર કે જીવ અને કર્મનો વિયોગ થાય છે. Jain Education International પ્રભાસ :- એ ગમે તેમ હો, પણ આ સંબંધમાં હું માનું છું કે જે આ નારક-તીર્યંચાદિ પર્યાય તે જ સંસાર છે અને એ પર્યાયથી ભિન્ન એવો બીજો કોઈ જીવ જણાતો નથી, એટલે નારકાદિ પર્યાયરૂપ સંસારનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે, કેમકે તે તેનાથી જુદો નથી. આ પ્રમાણે જીવનો નાશ થવાથી મોક્ષ કોનો થાય ? ભગવંત ઃ- તારી એ માન્યતા અયોગ્ય છે. કારણકે નારકાદિરૂપ જે જીવનો પર્યાય છે, તે પર્યાય માત્રનો જ નાશ થવાથી પર્યાયવાન્ જીવદ્રવ્યનો સર્વથા નાશ નથી થતો, પણ કથંચિત્ થાય છે. જેમ મુદ્રાદિ પર્યાયમાત્રનો નાશ થવાથી સુવર્ણનો સર્વથા નાશ નથી થતો, પણ કચિત્ જ નાશ થાય છે; તેમ નારકાદિરૂપ સંસારના પર્યાયો નાશ પામ્યાથી જીવનો સંસારિપણારૂપે નાશ થાય છે, પણ તે સંસારિપણાનો પર્યાય નાશ પામતાં બીજા મુક્તિરૂપ પર્યાયનો ઉત્પાદ થાય છે. ઉદાહરણ તરીકે જેમ સુવર્ણમાં મુદ્રારૂપ પર્યાયનો નાશ થયેથી કુંડળ રૂપ અન્ય પર્યાય ઉત્પન્ન થાય છે, પણ સુવર્ણનો સર્વથા નાશ નથી થતો, તેમ અહીં જીવમાં પણ સમજવું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy