________________
૧૩૮]
નવમા ગણધરનો વાદ. [વિશેષાવશ્યક ભાષ્ય ભાગ. ૨ તેણે દીક્ષા લીધી એમ સાંભળીને અચલભ્રાતા નામે નવમા પંડિત ભગવંત પાસે આવે છે, (અને વિચારે છે કે, હું ભગવંત પાસે જઈને વંદન કરીશ. વંદન કરીને તેમની સેવા કરીશ (એ પ્રમાણે વિચારીને તે ત્યાં આવ્યા એટલે) જન્મ-જરા અને મરણથી મુક્ત થયેલ સર્વજ્ઞ સર્વદર્શી ભગવંતે તેમને નામ અને ગોત્રથી બોલાવ્યા. પછી કહ્યું કે હે સૌમ્ય ! તું એમ માને છે કે - “પુણ્ય-પાપ છે, કે નથી?” તને આ સંશય વિરૂદ્ધ અર્થવાળાં વેદનાં પદો સાંભળવાથી થયો છે, (તે પદો પુરુષ નિ સમ ઈત્યાદિ જે બીજા ગણધરોના વાદમાં આવ્યા છે. તે અહીં સમજવાં,) તું તે પદોનો અર્થ બરાબર નથી જાણતો, તેથી એવો સંશય થયો છે, તેનો સત્ય અર્થ તો હું કહું છું તે પ્રમાણે છે, તે તું લક્ષ્યપૂર્વક શ્રવણ કર. ૧૯૦૫ થી ૧૯૦૭. ઉપરોક્ત સંશય સ્પષ્ટ કરવા હવે ભાષ્યકાર કહે છે.
मण्णसि पुण्णं पावं साहारणमहव दोऽवि भिन्नाइं।
होज्ज न वा कम्मं चिय सभवओ भवपवंचोऽयं ॥१९०८॥ તું એમ માને છે કે પુન્ય હશે ? કે પાપ હશે? અથવા ઉભય મિશ્ર હશે ? બન્ને ભિન્ન ભિન્ન હશે ? કે કર્મ જ નહિ હોય? અને આ ભવનો પ્રપંચ સ્વભાવથી જ હશે ? ૧૯૦૮.
કેટલાક મતવાળાઓ એવું માને છે કે એકલું પુન્ય જ છે, પાપ તો છે જ નહિ. બીજાઓ વળી એથી વિપરીત કેવળ પાપ જ છે અને પુન્ય નથી-એવું માને છે, ત્રીજાઓ કહે છે કે મેચકમણિની જેમ બન્ને મિશ્ર છે, એટલે સુખ-દુઃખના હેતુભૂત પુન્ય-પાપ એક જ ઉભયરૂપવાળી વસ્તુ છે, ચોથા પક્ષવાળાઓ ઉભયને સ્વતંત્ર માને છે, અને પાંચમા પક્ષવાળાઓ મૂળથી કર્મનો જ અભાવ માનીને આ જગતનો સર્વ પ્રપંચ સ્વભાવિક માને છે, આવી પરસ્પર વિરૂદ્ધ પાંચ પ્રકારની માન્યતાઓથી તું સંશયગ્રસ્ત થયો છે, પણ તે યોગ્ય નથી. ૧૯૦૮.
એકલું પુન્ય, અથવા એકલું પાપ, અથવા ઉભયમિશ્ર એક જ વસ્તુ માનવાવાળાના મતમાં જે રીતે સુખ-દુઃખની પ્રાપ્તિ થાય છે, તે કહે છે.
पुण्णुक्करिसे सुभया तरतमजोगावगरिसओ हाणी । तरसेव नए मोक्खो पत्थाहारोवमाणाओ ॥१९०९॥ पावुक्करिसोऽहमया तरतमजोगावगरिसओ सुभया । तरसेव खए मोक्खो अपत्थभत्तोवमाणखओ ॥१९१०॥ साहारणवण्णादि व अह साहारणमहेगमत्ताए ।
उक्करिसा-वगरिसओ तरसेव य पुण्णपावक्खा ॥१९११।। પુન્યના ઉત્કર્ષમાં ઉચ્ચતા પ્રાપ્ત થાય છે, અને તેનો તરતમયોગે અપકર્ષ થવાથી હાનિ થાય છે, તથા તેનો ક્ષય થવાથી પથ્ય આહારના ઉત્કર્ષ અને અપકર્ષ ન હોય પણ સર્વથા પથ્યાહારને ન લે તો મરણ પામે, એ દષ્ટાંતે જીવનો મોક્ષ થાય છે.
જ પ્રમાણે પાપના ઉત્કર્ષમાં અધમતા થાય છે, તરતમયોગે પાપનો અપકર્ષ થવાથી ઉચ્ચતા થાય છે, અને સર્વથા પાપનો ક્ષય થવાથી અપથ્ય આહારના દેખાતે જીવનો મોક્ષ થાય છે, સંમીલિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org