________________
तारानी समजण
गृहप्रकरणम्
गेहभसामिभपिंडं नवभत्तं सेस छ चउ नव सुहया ।
યાદ્દશા
मज्झिम दुग इग अट्ठा ति पंचसतहमा तारा ઘરના નક્ષત્રથી ઘરના સ્વામિના નક્ષત્ર સુધી ગણવું, જે સંખ્યા આવે તેને નવથી ભાગવી, જે શેષ રહે તે તારા જાણવી. તેમાં છઠ્ઠી ચોથી અને નવમી તારા શુભ છે. બીજી પહેલી અને આઠમી તારા મધ્યમ ફલવાળી છે. ત્રીજી પાંચમી અને સાતમી તારા અધમ છે ।।૬।।
( 38 )
आयादि जाणवानुं उदाहरण
માનો ઘર બનાવવાની ભૂમિ ૭ હાથ અને ૯ આંગળ લાંબી છે, અને ૫ હાથ અને ૭ આંગળ પહોળી છે. પ્રથમ હાથના આંગળ બનાવવા માટે હાથને ૨૪ થી ગુણા કરીને મેળવી ઘો તો ૭૪૨૪=૧૬૮+=૧૭૭ આંગળની લંબાઈ થઈ. ૫×૨૪=૧૨૦+૭=૧૨૭ આંગળની પહોળાઈ થઈ, આ બન્ને લંબાઈ પહોળાઈનો ગુણાકાર કર્યો તો ૧૭૭૪૧૨૭=૨૨૪૭૯ ક્ષેત્રફળ થયું. ક્ષેત્રફળને આઠે ભાગ આપો તો ૨૨૪૭૯૮ બાકી શેષ ૭ વધ્યા, તે સાતમો ગજ આય સમજવો.
ધરનું નક્ષત્ર લાવવા માટે ક્ષેત્રફળને આઠે ગુણ્યા તો ૨૨૪૭૯ ×૮=૧૭૯૮૩૨ આ ગુણાકાર આવ્યો, તેને ૨૭ થી ભાગ આપ્યો તો શેષ ૧૨ વધ્યા, તે માટે બારમું ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર આવ્યું.
ઘરની ભુક્તરાશિ જાણવા માટે ઉ.ફા. નક્ષત્ર ૧૨ મું છે, તેને ૪ થી ગુણ્યાં તો ૪૮ થયાં! આને ૯ થી ભાગ્યાં તો લબ્ધિ ૫ આવી, તે માટે પાંચમી સિંહ રાશિ થઈ.
વ્યય જાણવા માટે ઘરનું નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની ૧૨ મું છે, તેને આઠે ભાગ્યા તો ૧૨+૮ શેષ ૪ વધ્યા. આ આયના અંક ૭ થી ક્રમ છે, તે માટે યક્ષ વ્યય થયો.
અંશ જાણવા માટે ઘરના ક્ષેત્રફળમાં જે રાશિનું ઘર હોય તેના જેટલા અક્ષર હોય તે જોડો. માનો વિજય નામનું ધર છે, તેના વર્ણાક્ષર ત્રણ છે તે અને વ્યયનો અંક ૪ મેળવ્યાં તો ૨૨૪૭૯+૩+૪=૨૨૪૮૬ થયાં, તેને ત્રણે ભાગ્યા તો શેષ ૧ વધ્યો તે માટે ઇદ્રાંશ થયો.
Jain Education International
તારા જાણવાને માટે ધરનું નક્ષત્ર ઉત્તરાફાલ્ગુની છે, અને ઘરના માલિકનું નક્ષત્ર રેવતી છે. તો ઉ.ફા.થી રેવતી સુધી ગણતાં ૧૬ ની સંખ્યા થાય છે, તેને નવે ભાગવાથી શેષ ૭ વર્ષ છે તો સાતમી તારા જાણવી. આયાદિનો અપવાદ વિશ્વકર્મપ્રકાશમાં બતાવે છે કે"एकादशयवादूर्ध्वं यावद् द्वात्रिंशहस्तकम् । तावदायादिकं चिन्त्यं तदूर्ध्वं नैव चिन्तयेत् ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org