SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ( રદ્દ ). वास्तुसारे સમરાંગણસૂત્રધારમાં પણ કહ્યું છે કે – शुकनासोच्छ्रितेस्र्ध्वं न कार्या मण्डपोच्छ्रितिः।" શુકનાશની ઊંચાઈથી મંડપની ઊંચાઈ અધિક કરવી નહિ. પ્રાસાદમંડનમાં પણ કહે છે કે – शुकनाससमा घण्टा न्यूना श्रेष्ठा न चाधिका ॥ મંડપના કલશની ઊંચાઈ શુકનાસની બરાબર અથવા નીચી રાખવી તે શ્રેષ્ઠ છે અને અધિક રાખવી સારી નથી मंदिरना काममां काष्ठ कई जातना वापरवां-- सुहयं इग दारुमयं पासायं कलस-दंड-मक्कडिअं । सुहकट्ठ सुदिट्ठ कोरं सीसिमखयरंजणं महुवं ॥३॥ પ્રાસાદ (મંદિર), કલશ, ધ્વજાદંડ અને મર્કટી (ધ્વજાદંડની પાટલી) એ સર્વે એકજ જાતિના લાકડાની બનાવવામાં આવે તો સુખકારક છે. સાગ, કેગર, શીશમ, ખેર, અંજન અને મહુડો એ વૃક્ષોના લાકડા પ્રાસાદ આદિ બનાવવાને શુભદાયક છે. ૩૧. • केवा प्रकारनां मंदिर नहीं करवां-- नीरतलदलविभत्ती भद्दविणा चउरसं च पासायं । फंसायारं सिहरं करंति जे ते न नंदति ॥३२|| પાણીના તલ સુધી જે પ્રાસાદનું ખાત કરેલું હોય, એવો સમચોરસ પ્રાસાદ જો ભદ્ર રહિત હોય અથવા ફાંસીના આકારના શિખરવાળો પ્રાસાદ હોય એવો પ્રાસાદ જે કરાવે તે સુખપૂર્વક રહે નહિ કરવા નવપુરુષનું માન--- अद्धंगुलाई कमसो पायंगुलवुड्ढिकणयपुरिसो अ । कीरइ धुव पासाए इगहत्थाई खबाणते ॥३३|| એક હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં કનકપુરષ અરધા આંગળનો કરવો. પછી પ્રત્યેક હાથ દીઠ પા પા આંગળનો અધિક મોટો કરવો. જેમકે– બે હાથના પ્રાસાદમાં પોણો આગળ ત્રણ હાથના વિસ્તારવાળા પ્રાસાદમાં એક આંગળ, ચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004647
Book TitleVastusara Prakarana
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Jain
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year1989
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy