SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજ સાહેબને ઉપાધયાય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા, અને તે જ દિવસે સાડા નવ વાગે શ્રી શાંતિનાથ પ્રભુને આપશ્રીજીના કરકમલોથી ગાદીનશીન કરવામાં આવ્યા. આ વખતના મહોત્સવના ઠાઠમાઠનું વર્ણન આંખે જેનાર પણ સંપૂર્ણતયા કહી શકે નહીં તે બીજાની શક્તિની તે વાત જ શી કરવી ? આ ખુશાલીના અનેક તારો તેમજ પત્રો આપશ્રીજીના ઉપર આવ્યા, જેમાંના શ્રી. પ્રવર્તકજી મહારાજ સાહેબ આદિને પત્ર ઘણું જ બેધદાયક એવું મનનીય હતે. બાદમાં કેને અમૃતપાન કરાવતાં તેમજ અનેક જીને અહિંસા આદિને ઉપદેશ કરતાં ગુજરાંવાલા પધાયાં. કદીએ પણ નહીં થએલું એવું અપૂર્વ સામૈયું થયું. આપશ્રીજીની અમૃતમય વાગધારાથી કેનાં હદય પીગળી ગયાં. અહીં શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળની સ્થાપના કરી તેમજ શ્રી આત્માનંદ જેન મહાસભાનું અધિવેશન થયું. ચોમાસું અહીંજ થયું. અત્રે આપશ્રીજીના એક સુગ્ય શિષ્ય ઉપાધ્યાયજી શ્રી સેહનવિજયજી મહારાજને સ્વર્ગ. વાસ થયો, આથી આપના કાર્યમાં મેટી ખેટ પડી. - આ ચોમાસામાં પંન્યાસજી મહારાજ શ્રી લલિતવિજયજી કે જેઓ મુંબઈમાં ચોમાસું રહ્યા હતા તેઓના * આ કાર્યમાં મહૂમ ઉપાધ્યાયજી શ્રી સોહનવિજયજી મ. અને પંન્યાસજી (આચાર્ય ) મહારાજ શ્રી લલિતવિજયજીની સહાય હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004646
Book TitleVijay Vallabhsurijinu Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorParshvanath Jain Vidyalaya Varkana
PublisherParshwanath Jain Vidyalaya Varkana
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy