________________
આપને વિનંતિ કરી. આપશ્રીજી પણ લાભાલાભને વિચાર કરી પાછા ખંડાલા ગામે પધાર્યા. અહીં શ્રી આમાનંદ જૈન પાઠશાળાની સ્થાપના કરી જે આજ સુધી ચાલી રહી છે. અને ચોમાસું અત્રે કર્યું સં. ૧૭૬.
ચોમાસા બાદ પંન્યાસજી મહારાજ શ્રી લલિતવિજયજી સાદડી પધાર્યા અને શ્રી આત્માનંદ જેની પાઠશાળાની સ્થાપના કરી. પાછળથી શ્રી પાર્શ્વનાથ જૈન વિદ્યાલય વરકાણાના પ્રેસીડેન્ટ શ્રીમાન મુલચંદજી છજમલજીની રૂા. ૧૦૦૦૦) ની સહાયથી મકાન બનવાથી સં. ૧૯૮૨ માં
કુમાન્ય શ્રીમાન ગુલાબચંદજી ઠઠ્ઠા સાહેબના હાથે તેનું ઉદ્દઘાટન થયું અને શ્રી આત્માનંદ જૈન વિદ્યાલય નામ રાખ્યું. મુંડારામાં પણ એક લાયબ્રેરી એવં જૈન પાઠશાળાની સ્થાપના થઈ.
વિહારના રસ્તામાં પાલી પધારી એક કન્યા પાઠશાળાની સ્થાપના કરી. રસ્તામાં દેરાસર આદિને લોકોને ધર્મોપદેશ કરતાં શ્રી કાપરડા તીર્થમાં પધાર્યા. અત્રે નયા શહેર, અજમેર, પાલી આદિના ઘણું શ્રાવક-શ્રાવિકાઓ લાભ લેવા પધાર્યા. અહીં ધર્મશાળાની અગવડતા હતી. આપે ઉપદેશદ્વારા ધર્મશાળાને પાયે નંખા. નયા શહેર, અજમેરના શ્રી સંઘની વિનંતિને સ્વીકાર કરી નયા શહેર પધારી ત્યાં જૈન પાઠશાળાને પુનરોદ્ધાર કરાવી, અજમેરના શ્રી સંઘને લાભ આપી, ફલેદીની યાત્રા કરી, નાગોર આદિ ગ્રામનગરમાં લેકેને પૂજા વિગેરેના નિયમે કરાવતાં અને ધર્મોપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org