________________
શિવગંજ નિવાસી શેઠ ગોમરાજજી ફતેચંદજીએ આપશ્રીજીને શ્રી કેસરી આજીના સંઘમાં સાથે પધારવા વિનંતિ કરી. આપે ઉત્તર આપ્યું કે “જ્યાં સુધી વિદ્યાપ્રચારનું કામ હાથમાં લીધેલું છે તે પુરૂં ન થાય ત્યાં સુધી હું મારવાડ છોડવા નથી ચાહતે.” આથી શેઠે વિદ્યાપ્રચારમાં દશ હજાર રૂપીઆ આપવાની ઉદારતા બતાવી. શિવગંજ પધારી સંઘનું પ્રયાણ કરાવ્યું. જે દિવસે પ્રયાણ થયું તે જ દિવસે રંગુનથી એક તાર સંઘવીજ ઉપર આ કે વેપારમાં ખૂબ નફે થયે છે. શેઠ ગોમરાજજીએ શ્રી ગુરૂમહારાજને અર્જ કરી કે “ આપ ગુરૂદેવના પ્રતાપે પ્રયાણના દિવસે આ શુભ સમાચાર મળ્યા છે માટે આ બધો નફે હું ધર્મકાર્યમાં ખરચીશ.” સંઘ સાથે વિચરતાં શ્રી રાણકપુર તીર્થની યાત્રા કરી દેવસુરી પધાર્યા. અહીંના શ્રાવકે દ્વેષના કારણે કેર્ટમાં લડતા હતા. આપે બન્ને પક્ષને બહુ જ સમજાવ્યા, પરંતુ એકે પક્ષ સમયે નહીં. છેવટે આપે શ્રી સંઘમાં પધારેલ સાધુ–સાદવીઓને ફરમાવ્યું કે દેવસુરી ગામના શ્રાવકોને ત્યાં કેઈએ વહેરવા જવું નહીં. આથી શ્રી સંઘમાં એકદમ સનસનાટી ફેલાઈ ગઈ. અંતે સમાધાની થઈ ત્યારે આપે, સંઘે તેમજ ગામના લોકેએ સાંજના ભેજન કર્યું. અત્રેથી નાળ ચઢવાની શરૂઆત થાય છે. નાળ ચઢીને રાજનગર પધાર્યા. અત્રે પહાડ ઉપર ત્રણ મજલી વિશાલ જૈન મંદિરની યાત્રા કરી અપૂર્વ આનંદ અનુભવ્યું. અત્રેથી શ્રી સંઘની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org