SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ અલૌકિક આધ્યાત્મિક વિભૂતિ દેવ, પરમાત્મા શક્તિશાળી હોય છે. એટલે સામાન્ય માનવીની કલ્પના પ્રમાણે દેવ, પરમાત્માના સ્વરૂપ તેમનાં વાણીવર્તનમાં વિશિષ્ટતાની અપેક્ષા સેવાય છે. તેમનામાં અસામાન્ય કાર્યો કરવાની ક્ષમતા હોવી જોઈએ, એવી આપણી સામાન્ય અપેક્ષા રહે છે. કબીરજીના પદ પ્રમાણે ગોવિંદ, પરમાત્મા સુધી પહોંચાડવાની ક્ષમતા સદ્ગમાં હોય છે. સદ્ગુરુ પરમાત્મા તથા આપણી વચ્ચે સેતુનું કામ કરે છે, એટલે ગુરુ પાસેથી પણ અલૌકિક શક્તિ સામર્થની આપણે અપેક્ષા રાખતા હોઈએ છીએ. તેથી જ આપણને મહાપુરુષના સહજ ભાવથી થતા કાર્યોમાં ચમત્કારનાં તથાઅલૌકિકતાના દર્શન થાય છે. ખરેખર આત્માની ઓળખથી, તેની અગાધ શક્તિથી આજે પણ વિશ્વ માનવ સમુદાય અજ્ઞાત છે. વીસમી સદીના મહાન તત્વચિંતક ઓશોએ દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી અધ્યાત્મ વિભૂતિ ગણાવ્યા છે. તેમના મતાનુસાર ભવિષ્યમાં વિજ્ઞાન આત્મતત્વની શોધ સુધી પ્રગતિ કરી શકશે. જ્યારે વ્યક્તિનો આત્મવિકાસ થાય છે, ત્યારે તેનામાં અસામાન્ય ઊર્જા જન્મે છે. વિકાસની પૂર્ણ કક્ષાએ તે અષ્ટ સિદ્ધિનો સ્વામી બને છે અને ત્યારે તેના નિર્મળ હૃદયમાંથી ઉઠતા ભાવ પણ બીજાનું કલ્યાણ કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. આવા સિદ્ધાત્માના મુખેથી કરુણાવશ નીકળેલા આશીર્વચનથી પણ દુઃખી જીવોનું કલ્યાણ થઈ જતું હોય છે અને આવી ઘટનાને આપણે ચમત્કાર કહીએ છીએ. ચમત્કાર ઘટવામાં સમર્થમહાપુરુષની સંકલ્પશક્તિ, તેનાં શક્તિ સામર્થની સાથે સાથે જે તે વ્યક્તિની પરમ ઊંડી શ્રદ્ધા તથા એ મહાપુરુષ સાથેના ઋણાનુબંધનો પણ કારણભૂત બનતા હોવા જોઈએ. મહાપુરુષો કદી ચમત્કાર કરતા નથી. ચમત્કાર એમના થકી એમના યોગબળથી કણાના કારણે બની જતા હોય છે. ચમત્કાર થવા એ પણ સિદ્ધ મહાત્માની ઉચ્ચ કક્ષાની આત્મસ્થિતિ જ દર્શાવે છે. પંજાબ કેસરી પૂજ્યાચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા. પણ વચનસિદ્ધિને વરેલા મહાત્મા હતા. સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રને વરેલા પૂજ્ય ગુરુદેવ અધ્યાત્મ પંથના પ્રવાસી હતા. મંત્રજાપ, વ્રત નિયમો તથા આરાધના ઉપાસના ધ્યાનયોગના કારણે તેમની આત્મશક્તિ દિવ્યતા પામી હતી. એમની એ અદ્દભુત અલૌકિક ઊર્જાના કારણે જ તેમને વચનસિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેમના સમગ્ર જીવનમાં એવા ઘણા પ્રસંગો બન્યા છે, જે તેમની આ ચમત્કારિક શક્તિને ઉજાગર કરે છે. મહાપુરુષો નિર્લેપ નિઃસ્પૃહી હોય છે અને પૂજ્યશ્રીજી એ કક્ષાના મહાત્મા હતા, એટલે એમને પ્રાપ્ત થયેલી એ વિશિષ્ટ અદ્દભુત શક્તિનો ઉપયોગ તેમણે કદાપિસ્વયંના સ્વાર્થ ખાતર કર્યો નથી. જલકમલવતુ સાધુ મહાત્માઓ આવી સિદ્ધિઓનો ઉપયોગ બીજાઓના કલ્યાગ ખાતરજકરતા હોય છે. આવી અલૌકિક સિદ્ધિ તેમની પાસે સદાકાળ જળવાઈ રહેતી હોય છે. આવી અલૌકિક શક્તિના સ્વામી બન્યા પછી પણ તેમનામાં કદી પણ અહંકાર, અભિમાન કે ઘમંડ આવ્યાં નહોતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy