SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ સ્પષ્ટ છે. અંતરદ્રષ્ટિથી તેમણે નિહાળ્યું હતું,કે જગતમાં સત્ય એક જ છે. પરમાત્મા એક જ છે. હા, તેના સુધી પહોંચવાના,તેને પામવાના અલગ અલગ માર્ગો છે, જે વિવિધ ધર્મોના નામે ઓળખાય છે. પોતાની જીવનભરનીસાધના, આરાધના તથા તપશ્ચર્યાનાં અંતે પૂજ્ય ગુરુદેવને જે સત્ય લાધ્યું હતું તેની ઝાંખી તેમણે ભાયખલાના ચાતુર્માસ દરમ્યાન વિ.સં. ૨૦૧૦માં બનેલા એક પ્રસંગમાં પ્રગટ કરી હતી. કારતક માસમાં મુંબઇની ૭૩સંસ્થાઓ દ્વારા એસ.કે.પાટિલનીરાહબરીનીચે ચોપાટી પર એક સાર્વજનિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સભામાં વક્તાઓએ પૂજ્ય ગુરુદેવના સેવાકાર્યો, ધર્મભાવના તથા વિશ્વશાંતિની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી તેમને મુક્તકંઠે બિરદાવ્યા હતા. આ સભામાં પૂજ્યશ્રીજીએ પોતાના અંતરના મનોભાવ વ્યક્ત કરતા કહ્યું હતું... ‘ન તો હું જૈન છું, બૌદ્ધ છું, ન વૈષ્ણવ છું કે નથી હું શિવપંથી...! હું મુસલમાન પણ નથી ! હું તો વીતરાગ દેવ પરમાત્માને ખોજવા નીકળી પડેલો એક પથિક છું.... યાત્રી છું...!’ વધુમાં તેમણે જણાવ્યું હતું... ‘જગતમાં આજે પ્રત્યેક વ્યક્તિ શાંતિની શોધ કરીરહી છે, પરંતુ શાંતિ અપ્રાપ્ય બની છે, તેનાં દર્શન દુર્લભ થયાં છે. કારણ ? શાંતિની શોધની દિશા તેમણે ખોટી પકડી છે ! બાહ્ય જગતના ભૌતિક ઉપકરણોની દિશામાં અટવાતી વ્યક્તિને શાંતિના દર્શન ક્યાંથી થાય ? શાંતિની શોધ તો સૌ પ્રથમ પોતાના મનથી થવી ઘટે !’ પૂજ્યશ્રીજીની આ વાતમાં ઊંડી આધ્યાત્મિકતા છુપાયેલી છે. કોઈપણ ધર્મની ઉપલબ્ધિતો વ્યક્તિના જીવનમાં નિરંતર શાંતિ, આનંદ અને સંતોષની પ્રાપ્તિ જ હોય અને ત્યારે જ આત્માની પરમાત્મા સાથે સંવાદિતા સધાય છે. કોઈપણ શાંતિ ઝંખતી વ્યક્તિ ચાહે ગમે તે ધર્મની હોય,તેણે અંતર્યાત્રાકરવી અનિવાર્ય છે. અહીંયા પોતાના આત્માને ઓળખવાની વ્યક્તિગત વાત આવે છે. આવી અંતર્યાત્રામાં જે તે ધર્માવલંબીને તેના ધર્મના સિધ્ધાંતો મદદરૂપ થઈ શકે છે. જગતના જીવમાત્રનું આત્મ કલ્યાણ થાય એવી શુભભાવના પૂજ્યશ્રીજી સેવતા હતા. ધર્મરૂપી સાધનોના વિવાદમાં તેમને રસ નહોતો. જીવ માત્રમાં પરમાત્માનો વાસ છે એ વાત પૂજ્યશ્રીજીએ જાણી હતી. એટલે પોતાના કે અન્યના વાણી વ્યવહાર, વર્તન, આચાર-વિચારથી અન્ય કોઈ વ્યક્તિનું દિલ ન દુભાય એ વિષે તેઓ હંમેશા જાગૃત રહેતા હતા. પંજાબના સમાના ગામમાં સ્થાનકવાસી પરંપરાના સુરજનમલના કારણે સત્યધર્મ પર શાસ્ત્રાર્થ કરવાની પૂજ્યશ્રીજીને ફરજ પડી હતી. શ્રીસોહનલાલજીના શિષ્ય કર્મચંદજી એક સાધુ સાથે સભામાં પહોંચ્યા. તેમના માટે ફાળવાયેલી અલાયદી જગ્યાએ ન જતા એક બાજુ ઊભા રહી તેઓ બોલવા લાગ્યા. લોકોએ તેમને તેમનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી કરી, પરંતુ તેઓ ત્યાં જ ઊભા રહ્યા. ત્યારે લોકોએ પૂજ્યશ્રીજીને કર્મચંદજી પાસે વાર્તાલાપ કરવા જવા વિનંતી કરી. પૂજ્યશ્રીજીએ વ્યાખ્યાન બંધ કર્યું અને કર્મચંદજી પાસે ગયા. તેમણે પૂછ્યું, ‘શું આપ શાસ્ત્રાર્થ કરશો ?’ Jain Education International ૫૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy