SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ - ' સર્વ ધર્મ સમભાવી માનવતાના મહામાનવ ધર્મ વિષેનો પૂજ્ય ગુરુદેવનો દ્રષ્ટિકોણ તદ્દન ભિન્ન અને મૌલિક હતો. પૂજ્યશ્રીજીની ધર્મદ્રષ્ટિ વિશાળતાને વરેલી હતી. માનવતા જીવ માત્રના કલ્યાણની એમાં મહેંક વ્યાપેલી દ્રષ્ટિગોચર થતી હતી. પ્રાણી માત્ર પ્રત્યેની કરાગાભાવના એમાં છલકાતી હતી. જરૂરતમંદો, અકિંચન લોકો પ્રત્યેની સંવેદના એમાં જણાતી હતી. એમનો ધર્મ કર્મવાદનો ઉપાસક હતો. રાષ્ટ્રવ્યાન, સમાજનો ઉત્કર્ષ, શિક્ષણનો વ્યાપ,કુરિવાજોનીનાબુદી, સ્ત્રી શિક્ષણની હિમાયત સાથે એમના માનવતાવાદી ધર્મનો સુસંગત તાલમેલ હતો. સમાજસુધારણા એધર્મથી વિપરીત પ્રવૃત્તિ નથી. શિક્ષિત વિચારશીલ વ્યક્તિ ધર્મ વિષયક વાત સાંભળી વાંચીને ચાહે તો તેના પર મનન ચિંતન કરીને ધર્મના આલંબનથી શ્રેષ્ઠ આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે છે. પરંતુ ઋગગ વૈચારિક રીતે પછાત, અશિક્ષિત ગરીબ તિરસ્કૃત માનવીને માટે ધર્મની વાતો લગભગ નિરર્થક જસાબિત થવાની એ હકીકત છે. પૂજ્યશ્રીજીનો ધર્મ વિષેનો અભિગમ ક્રાંતિકારી હતો. ચોપાટી પર આપેલા સંદેશમાં પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું... ધર્મ પારસમણી છે. જગતમાં ધર્મ એક જ છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય તથા અપરિગ્રહ આ પાંચ નિયમો સઘળા ધર્મોમાં છે. અને આ નિયમોમાં જ જીવનનું સત્યદર્શન કરાવવાની ક્ષમતા છે. ચોર્યાસી લાખ યોનિનાફેરામાંથી બચાવનાર ધર્મ જઅમૂલ્ય અમૃત છે, પરંતુ એમાટે ધર્મનું પાલન અંતઃકરણપૂર્વક થવું આવશ્યક છે. દેખાવ ખાતરનહીં.” પૂજ્ય ગુરુદેવ સુધારાવાદી જૈનાચાર્ય હતા, પરંતુ તે સાથે સાથે તેઓ આધ્યાત્મિક વિભૂતિ પણ હતા. શરૂઆતથી જ પૂજ્ય ગુરુદેવ જપતપ, આરાધના, ઉપાસના, મનન ચિંતન કરનારા કર્મઠતપસ્વી હતા. તેમના જીવનમાં ધર્મ, સમાજ રાષ્ટ્રના વિકાસની સાથે સાથે આધ્યાત્મિક ઉન્નતિ દ્વારા આત્મકલ્યાણની ભાવનાનો સુંદર સમન્વય સધાયો હતો. પૂજ્યશ્રીજીએ અંતરદ્રષ્ટિ કેળવી હતી અને જગતના અન્ય ધર્મોના સિદ્ધાંતોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. તેના પર ચિંતન મનન કરી ધર્મરૂપીનવનીત તારવ્યું હતું અને એટલે જ જૈન, હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી સર્વ ધર્મના મહાપુરુષોના દ્રષ્ટિબિંદુ પોતાની આંતરદ્રષ્ટિથી સ્પષ્ટપણે સમજ્યા પછી, સઘળાધર્મોના સારાંશરૂપે સત્ય એક જ છે એ વાત પૂજ્યશ્રીજી પામ્યા હતા. સ્વયં જૈન ધર્મ પાળતા હોવા છતાં, તેમણે જીવનમાં કદાપિ અન્ય ધર્મના સિદ્ધાંતોની ટીકા કરી નહોતી, નિંદા કરી નહોતી, કારણ એમની દ્રષ્ટિવિશાળતાને વરેલી હતી. જગતમાં કેટલાક ધર્મના ગુરુઓ તથા અનુયાયીઓ બીજા જરૂરતમંદોની જરૂરિયાતો પૂરી કરી ધીરે ધીરે એ લોકોની મજબૂરીનો લાભ લઈ ધર્મ પરિવર્તન કરાવે છે. કેટલાકઝનૂની તત્ત્વોએ તલવારની અણી પર ધર્મ પરિવર્તન કરાવ્યા છે. પરંતુ પૂજ્ય ગુરુદેવ જેવી પ્રભાવી શક્તિશાળી ધર્માત્મા વ્યક્તિએ આવી ચેષ્ટા કદી સ્વપ્નમાં પાણકરી નહોતી. પોતે સહિષ્ણુ હતા. અન્ય ધર્મના હજારો અનુયાયીઓ તેમનાથી પ્રભાવિત થઈ તેમના પરમ ભક્ત થઈ ગયા હતા. પરંતુ તેમણે એ લોકોને કદાપિ જૈન ધર્મ અપનાવી લેવા સહેજપા ઈશારો સુદ્ધાં કર્યો નહોતો. કરુણાવશ પૂજ્ય ગુરૂદેવે જ્યારે જૈનેતર જરૂરતમંદોની મદદ કરાવી, ત્યારે પાગ ધર્મ પરિવર્તન કરાવવાની તેમણે ભાવના સેવી નહોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy