SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓને જોવાકીર્તિલાલ ગયા. જોતાં જ તેમના હૃદયમાં ભાવ જાગ્યો. પૂજ્ય ગુરુદેવના ચરાગે પડી ગયા. પછી વ્યાખ્યાન સાંભળ્યું. તેમને આનંદ થયો. થોડા જ દિવસોમાં તેમનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેઓ પૂર્ણપણે આસ્તિકતાના રંગે રંગાઈ ગયા. દિવ્ય મહાત્માના સંસર્ગથી એ ભાઈ ધર્માનુરાગી થઈ ગયા! મુંબઇના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવે ચોપાટી પરયોજાયેલી જંગી સભામાં ધર્મના મહિમા પર વકતવ્ય આપતા કહ્યું હતું... ‘ભાઈઓ! આ ચોપાટીની ધરતી પરમ પવિત્ર છે. આ લહેરાતો મહાસાગર આપણને જગતમાં વિકાસ સાધી વિશાળ તથા પ્રકાશમય થવાનો મહાસંદેશ આપી રહ્યો છે. આપણને તેની વાત સાંભળવાની ફરસદનથી. આપાગે મહાલયો, બંગલા, મોટરોતથા ધનસંપત્તિ પાછળ આંધળી દોટ લગાવી રહ્યા છીએ... શું આપણી આ અનંત નિરર્થક દોડક્યારેય પૂર્ણ થવાની છે ? ધર્મ પારસમાગી છે. તેનો સ્પર્શ કરી પાવન થાઓ. ભૌતિક દોડઅધોગતિ તરફ લઈ જશે. એ અધર્મ છે. ધર્મ એક જ છે- સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય તથા અપરિગ્રહ આ પાંચ નિયમો સઘળા ધર્મોમાં છે. ધર્મ જ ચોર્યાસી લાખ યોનિના ફેરામાંથી બચાવનાર અમૃત છે. દેખાવ ખાતર નહીં, ધર્મનું પાલન અંતઃકરણપૂર્વક થવું જોઈએ.’ ઉપરોક્ત પ્રવચનમાં પૂજ્ય ગુરુદેવે સાધમ ભાઇઓના ઉત્થાન, તેમની રોજીરોટી સારુ અપીલ પણ કરી હતી. એમનો એ દિવ્ય સંદેશ સૌના માટે પ્રેરણાદાયી પુરવાર થયો હતો. પૂજ્યશ્રીજી મુંબઇમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં લાંબી માંદગી ભોગવી રહ્યા હતા. ત્યારે (મદ્રાસ) ચેન્નાઈના તેમના ભક્ત ત્રશષભદાસજી તેમની સેવામાં હતા. એક દિવસ તેમણે પૂછયું, કૃપાનિધિ ! વર્તમાનના સંઘર્ષકાળમાં જૈન સમાજની ઉન્નતિ કેવી રીતે થશે?” ‘ભાગ્યશાળી!'પૂજ્યશ્રીજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું હતું, ‘સેવા... સ્વાવલંબન.. સંગઠન... શિક્ષણ.. અને જૈન સાહિત્યનું પ્રકાશન તથા પ્રચારઆ પાંચ વાતો પર જ જૈન સમાજની ઉન્નતિ નિર્ભર છે. પૂજ્યશ્રીજીની એ વાત આજે પણ એટલી જ સાચી લાગે છે. ભારતના જન્મ પ્રાંતના વિક્ટપ્રદેશમાં પણ પૂજ્યશ્રીજીએ વિહાર કરી વિ.સં. ૧૯૫૩માં ત્યાં એક મહિનો રોકાઈ ધર્મપ્રભાવના કરી હતી. ગુજરાતના પાછિયાપુર સિનોર વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા શ્રાવકોને તેમણે ધર્મ, સાધુ ભગવંતોની ભક્તિ, દેવદર્શન ઈત્યાદિ બાબતોનું જ્ઞાન આપી ધર્મસંવર્ધનની પ્રવૃત્તિ કરી હતી. સાધુ ભગવંતોથી અસ્પૃશ્ય અંતરિયાળ ક્ષેત્રોમાં, વિકટ ખડકાળ વિસ્તારોમાં, નાના ગામડાઓમાં, શહેરોમાં વિદેશમાં ચોમેર પૂજ્યશ્રીજીએ અવિરત પ્રયાસો કરી લોકોની અંધશ્રદ્ધા વહેમ મિટાવી ધર્મના સંસ્કારોનું સિંચન કર્યું હતું. જૈન સાહિત્યના જ્ઞાન ભંડારોની રક્ષા કરી હતી. જૈન ધર્મને વિશ્વ ધર્મ બનાવવાની તેમની અભિલાષા હતી. દીર્ઘદ્રષ્ટિ વાપરી અંતિમ દિવસોમાં તેમણે જૈન વિશ્વ વિદ્યાલયની સ્થાપનાનું સ્વપ્ન જોયું હતું. આ ભગીરથ કામ દ્વારા ધર્મની ભારે પ્રભાવના કરાવવાની પૂજ્ય ગુરુદેવની અભીપ્સા હતી, પરંતુ કર્મયોગી પ્રભાવી ધર્મ પ્રચારક પંજાબકેશરી આચાર્ય શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની આ અભીપ્સા આજે પણ અધૂરી જ રહી ગઈ છે. પ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy