SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ' એમ માની શકાય. એકવાર ભીંડામાં પૂજ્ય ગુરુદેવે વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં હ્રદય સોંસરવા ઉતરી જાય તેવા બે સાર્વજનિકપ્રભાવી વ્યાખ્યાનો આપ્યા. એ સભામાં જૈનો ઉપરાંત હિંદુઓ તથા મુસ્લિમો પણ હાજર રહ્યા હતા. તેમના અંતરમાં અહિંસા, પ્રેમ તથા કરુણાના ભાવ હિલોળા લેવા લાગ્યા. અંતરમાં સાત્વિકતા જાગી. પરિણામે કેટલાય લોકોએ તે જ ઘડીએ માંસ મદિરાને તિલાંજલિ આપી. પરસ્ત્રીંગમન નહીં કરવાની પ્રતિજ્ઞાઓ લીધી. આમ આચરણ શુદ્ધિ તથા વિવિધ વ્યસનોના ત્યાગથી જ સ્વસ્થ માનવ સમાજનું ઘડતર થાય છે અને આવો સમાજ ધર્મપાલન દ્વારા પારલૌકિક કલ્યાણ સરળતાથી સાધી શકે છે. એક વાર પૂજ્ય ગુરુદેવે રાજસ્થાનના અંતરિયાળ બીજોવા ગામમાં ચાતુર્માસ કર્યો હતો. ગુજરાતથી આવેલા એક શ્રાવકે તેમને કહ્યું કે આપે જો ગુજરાતમાં ચાતુર્માસ કર્યો હોત તો ઘણા ઉપકારક કાર્યો થયાં હોત. પૂજ્યશ્રીજીએ ત્યારે તે ભાઈને જવાબ આપ્યો. ‘અરે ભાઈ! અહીં પણ ઉપકારક કામો થયાં છે. પ્રથમ તો તમે સ્વયં અહીં આવી આ ઉજ્જડ ભૂમિનાં દર્શન કર્યાં... બીજું કામ એ થયું કે આ વેરાન ધરતી પર જૈન શિક્ષણનું સંસ્થારૂપી વૃક્ષ પાંગર્યું છે. ત્રીજું કામ અહીંના શ્રાવકોમાં વ્યાપેલા ભ્રમ, કુરિવાજો, અજ્ઞાન, દૂર કરવા જરૂરી છે. અહીં ભાગ્યે જ સાધુ-ભગવંતો પધારે છે, પરિણામે ધાર્મિક કાર્યો પણ અલ્પ સંખ્યામાં થાય છે. હું તો અહીં વ્યાપેલા અંધકારમાં જ્ઞાનનો એકાદ દીપક પ્રગટાવવા પ્રયાસ કરું છું, ભાઈ !’ રાજસ્થાનમાં ત્યારે ચોર ડાકુનો ભય રહેતો તથા નાના ગામડાઓમાંસાધુ-ભગવંતોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. એટલે સ્વાભાવિક રીતે સાધુ ભગવંતો નાના અંતરિયાળ ગામડાઓમાં ભાગ્યે જ જતા, પરંતુ પૂજ્ય ગુરુદેવ ધર્મપ્રભાવના સારુ આવા ગ્રામીણ વિસ્તારોમાં પણ વિચરણ કરતા, ચાતુર્માસ પણ કરતા. બુરહાનપુરમાં વસતા એક ઉદાર ધર્મિષ્ઠ પરિવારમાં કુસંપ ચાલતો હતો. માતા તથા પુત્ર વચ્ચે થયેલા મનદુઃ ખે મોટું સ્વરૂપ ધારણ કરતા વાત કોર્ટે ચઢી હતી. પૂજ્યશ્રીજીના ધ્યાન પર આ વાત લવાતા તેમણે એ પરિવારના સભ્યોને એકતાનો ઉપદેશ આપ્યો. માતા પુત્રનું મિલન કરાવ્યું. પૂજ્યશ્રીજીની ભાવના નિર્મળ હતી. સુખી સંપન્ન ધર્મકાર્યોમાં સદાય તત્પર રહેતા પરિવારમાં એકતા સ્થપાય તો ભવિષ્યમાં એ ગામમાં ધનારાં ધર્મપ્રભાવનાનાં કાર્યો વધુ સારી રીતે થઈ શકે એ વાતને તેમણે પ્રાધાન્ય આપ્યું હતું. વયોવૃદ્ધ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ તથા શ્રીપુણ્યવિજ્યજી મહારાજે સહિયારા પ્રયાસ કરી પાટણના જ્ઞાનભંડારોનો ઉદ્ધાર કર્યો હતો. એ સેંકડો બહુમૂલ્ય ગ્રંથોને સુરક્ષિત રાખવા સારુ એક જ્ઞાનમંદિરની જરૂર હતી. પૂજ્યશ્રીજી જ્યારે પાટણ પધાર્યા, ત્યારે તેમને આની જાણ કરાઈ. પૂજ્ય ગુરુદેવે સૌનો સહકાર લેવાની યોજના બનાવી. મહોલ્લે મહોલ્લે સભાઓ ભરી જ્ઞાન મંદિર માટે ટહેલ નાખી. લોકોએ પોતપોતાનીરીતે પૈસા,ઘરેણાં,કબાટ,નાની મોટી પુસ્તકો રાખી શકાય તેવી પેટીઓ આપી અને જોતજોતામાં જ્ઞાનમંદિરની યોજના માટે વ્યવસ્થા થઈ ગઈ. જ્ઞાનભંડારની જાળવણી માટે પૂજ્યશ્રીજીએ જ્ઞાનમંદિરની યોજના સાકાર કરાવી ધર્મપ્રભાવનાનું મહત્વપૂર્ણ કામ કર્યું હતું. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy