SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્યા હતા. પૂજ્યશ્રીજીના એ પ્રભાવી વ્યાખ્યાનોથી લોકો ભાવવિભોર થયા હતા. જૈનધર્મના એક જ્ઞાની ધ્યાની, કર્મયોગી પ્રભાવી સાધુ તરીકે પૂજ્યશ્રીજીને વિશાળ જનમેદનીએ પીછાણી તેમને વધાવી લીધા હતા. તત્કાલિન ગુજરાતી અખબારોએ પણ આ પ્રસંગના અહેવાલ પ્રસિદ્ધ કર્યા હતા. આમ જોતાં જૈન ધર્મના પ્રભાવી સાધુ તરીકે પૂજ્યશ્રીજીને મળેલી નામનાએ જૈન ધર્મની સુંદર પ્રભાવના કરી એમ માની શકાય. નવસારી પાસે કરચલિયા નામના ગામમાં જૈન શ્રાવકોના લગભગ ૩૫ જેટલાં ઘર હતાં, છતાં ગામમાં દેવપૂજા માટે એક પણ જિનાલય નહોતું. કરચલિયાથી ત્રણેક કિ.મી.ના અંતરે આવેલા વાણિયાવાડ નામના ગામમાં પરમાત્મા શ્રીસંભવનાથ દાદાનું મંદિર હતું, જેની દેખરેખ કરચલિયાનો શ્રીસંઘ રાખતો હતો. ભૂતકાળમાં કરચલિયાના શ્રાવકોએ પરમાત્મા સંભવનાથ દાદાની પ્રતિમાને ગામમાં પધરાવવાબે વાર પ્રયત્નોર્યા હતા. એકવાર એક મહાત્માની આગેવાનીમાં પ્રતિમાજીને ગામમાં લાવવા પ્રયાસ થયો, ત્યારે તે પ્રતિમાજી ઉપાડનારા લોકોના પેટમાં તીવ્રશૂળ ઉત્પન્ન થયું, પરિણામે એ પ્રયાસ મુલત્વી રહ્યો. બીજીવાર કુંવારિકાઓ પાસે ચિઠ્ઠીઓનંખાવી, પરંતુ આદેશ ન થયો. પૂજ્ય ગુરુદેવે કરચલિયામાં પધરામણી કરી. લોકો આનંદવિભોર થઈ ગયા. વર્ષો પછી ચલિયા કોઈ સાધુ ભગવંતના ચરણકમળોથી પાવન થયું હતું. પૂજ્યશ્રીજી આ ગામના શ્રાવકોના આચારવિચારથી માહિતગાર હતા. તેમણે શ્રાવકોને ડુંગળી, લસણ જેવા અભક્ષ્ય પદાર્થો ત્યાગી ધર્મની આશાતના બંધ કરવા ઉપદેશ આપ્યો. લોકોએ તેમની વાત સ્વીકારી લીધી. ત્યારબાદ વાણિયાવાડથી પરમાત્માની પ્રતિમા લાવવા પૂજ્યશ્રીજીએ વાત કરી. સૌ વાજતે ગાજતે પ્રતિમાજીને નિર્વિઘ્ને ગામમાં લઈઆવ્યા. આમ કરચલિયા ગામમાં વ્યાપેલી શિથિલતા દૂર કરાવી પૂજ્ય ગુરુદેવે લોકોને પુનઃ ધર્મમાં સ્થિત કર્યા અને પ્રતિમાજીને ગામમાં પધરાવી ગામલોકોને માટે દેવદર્શન સુલભ કરાવી ધર્મની પ્રભાવનાકરી. ખુડાલાનો ચાતુર્માસ પૂર્ણ કરી પૂજ્યશ્રીજી વિચરણ કરતા કરતા જાડણ પાસેના એક ગામમાં પધાર્યા. એ ગામમાં તેરાપંથી શ્રાવકો જ વસતા હતા. એટલે પૂજ્યશ્રીજીને આહારપાણીની થોડીક અગવડ ભોગવવી પડી. એ ગામમાં તેમણે બે વ્યાખ્યાન આપ્યા. વ્યાખ્યાન દરમ્યાન એક શ્રાવકે તેમને સવાલ પૂછ્યો ઃ ‘મહારાજ ! સ્થૂલિભદ્રજીએ કોશા વેશ્યાના ઘરમાં રહીને પણ બ્રહ્મચારી તરીકે આખું ચોમાસું કર્યું એ શીરીતે સંભવી શકે !’ પૂજ્ય ગુરુદેવે તેને જણાવ્યું કે ‘ભાઈ ! તેમણે પોતાના મન પર કાબૂ મેળવી લીધો હતો. એવા ઇન્દ્રિયજીત યોગેશ્વો માટે નવ વાડાનો પણ પ્રતિબંધ નથી. જેમ તમે ઉપવાસ કરો છો ત્યારે તમે મનથી આહાર નહીં લેવાનો નિર્ધાર કરો છો, પરંતુ વ્યંજનોથી બચવા તમે જંગલમાં કે એકાંતમાં ચાલ્યા જતા નથી, છતાં ઉપવાસ કરી શકો છો. જો એ તમારા માટે સંભવી શકે છે, તો પછી સ્થૂલિભદ્રજીનું મોંબળો અખૂટ અમાપ હતું.’ પૂજ્ય ગુરુદેવની વાતથી એ શ્રાવકની શંકાનું નિરાકરણ થઈ ગયું. આમ થવાથી તેની શ્રધ્ધા ધર્મમાં પુનઃ સ્થિત થઇ. આ પ્રસંગથી અન્ય લોકોની પણ ધર્મમાં શ્રદ્ધા વધી અને ધર્મનું જતન થયું. લોકોની પૂર્વાચાર્યેસાધુ ભગવંતો તથા ગુરુ પ્રત્યેની શ્રદ્ધામાં અભિવૃદ્ધિ થઈ હશે ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy