SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેની અગાધ ચાહના છુપાયેલી જણાતી નથી? પૂજ્ય ગુરુદેવે ત્યારે એ અપ્રતિમ ચાહનાનો ઉપયોગ કરી ગોરવાડમાં પણ પંજાબ તથા બિકાનેરની જેમ શ્રાવકોને એક મહાવિદ્યાલય સ્થાપવાની પ્રેરણા આપી. એમની લોકપ્રિયતાના કારણેશ્રાવકોએ તાત્કાલિકએ દિશામાં શુભ શરૂઆત કરી પૂજ્યશ્રીજીની ભાવનાને મૂર્તિમંત કરી અને પૂજ્યશ્રીજીએ પણ લાગાણીધેલા ભકતોની સક્રિયતા તથા ઉત્સાહ જોઈ ચાતુર્માસ માટે અનુમતિ આપી દીધી. લોકચાહના તથા લોકપ્રિયતાનો રચનાત્મકવિદ્યા પ્રચારની પ્રવૃત્તિ માટે પૂજ્યશ્રીજીએ કેવો સુંદર ઉપયોગ કર્યો? આત્મોન્નતિના ચાહક ભાવિકોના હૃદયમાંથી લોકપ્રિય પરગજુમહાત્મા પ્રત્યે હંમેશા પૂજ્યભાવ, ગુરુભક્તિ, સમર્પણ અને ત્યાગ ભાવનારેલાતાં રહે છે. દીર્ઘ સમયાવધિ પછી આપણા ચારિત્રનાયક જ્યારે લુધિયાણા પધાર્યા, ત્યારે ખૂબ શાનદાર સમારોહ સાથે તેમનો નગરપ્રવેશ થયો. એમની આત્મોદ્ધારક અમૃતવાણીનો ભરપૂર આસ્વાદ માણવા જૈનો, હિંદુઓ, મુસ્લિમો તથા શીખો ખૂબજ ઉલ્લાસ અને ઉમંગથી તેમના વ્યાખ્યાનમાં ઉમટવા લાગ્યા. ભક્તોની ભીડ એટલી વધી પડીકે તેમનો સમાવેશ કરવાવ્યાખ્યાન ખંડની દીવાલોને પણ તોડી નાંખવી પડી! પૂજ્યશ્રીજીના ઉરના ઉંડાણે નીતરતા કરુણાભાવ અને અહિંસાપૂર્ણ ઉપદેશનો એટલો જબરજસ્ત પ્રભાવ ઉત્પન્ન થયો કે વ્યાખ્યાનમાં આવેલા એક મુસ્લિમ ભાઈનું હૃદય પરિવર્તન થઈ ગયું. તેણે પોતાના પરિવારના સાત સભ્યો સાથે માંસાહાર ત્યજી દીધો! વેધકને ચોટદાર વાણીના કારણે વ્યાખ્યાનમાં આવેલા એક બ્રાહ્મણના શરાબની લતે ચઢેલાયુવાન પુત્રે વ્યાખ્યાન ખંડમાં સૌની હાજરીમાં દારૂછોડવાની પ્રતિજ્ઞા લીધી. ઉપસ્થિત ભાવિકોને તેણે એમ પણ કહ્યું કે, હવે પછી મને કોઈ મદિરાપાન કરતો જોઈ જશે અથવા નશાર્ત સ્થિતિમાં હતો એવું સિધ્ધ કરી બતાવશે, તો તેને હું પચ્ચીસ રૂપિયાનું ઈનામ આપીશ !' અને તેણે તત્પણ શરત જીતનાર માટે પચ્ચીસ રૂપિયા અલગ રખાવી દીધા. આતેનાઢ સંકલ્પની ઘોષણા હતી. શ્રોતાઓ ભકતજનોની વિશાળ સંખ્યાને સમાવિષ્ટ કરવા વ્યાખ્યાન ખંડની દીવાલો તોડી પાડવી પડે... પૂજ્યશ્રીજીના વ્યાખ્યાનથી અભિભૂત સમગ્ર મુસ્લિમ પરિવાર માંસાહારનો ત્યાગ કરી દે અને શરાબી યુવાન દારૂ છોડવાની દ્દઢ પ્રતિજ્ઞા લે એ વાત પૂજ્ય ગુરુદેવની અપાર લોકચાહનાનો જ નિર્દેશ કરે છે. એક વાર ગુજરાવાલા પધારેલા પૂજ્યશ્રીજીએ પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી પૂજ્ય આત્મારામજી મ.સા.ના સમાધિસ્થાનમાં ગુરુકુળની સ્થાપના નહીં થાય, ત્યાં સુધી ગોળ, ખાંડતથા તેમાંથી બનતા વ્યંજનો હું ગ્રહણ નહીં કરું.' - પૂજ્યશ્રીજીની આ પ્રતિજ્ઞાથી તેમના પરમ આજ્ઞાંકિત શિષ્ય પૂજ્ય ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી મ.સા.એ રાત દિન પંજાબના અંતરિયાળ ગામો ખૂંદીને ૬૮ હજારનો ફાળો એકઠો કર્યો, પરંતુ ગુરૂકુળ બનાવવા લાખ રૂપિયાની જરૂર હતી. ૪૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy