SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ લેવા માંડ્યા હતા. સંસ્કારી નગરી વડોદરાના સંસ્કૃતિ પ્રેમી મહારાજા ગાયકવાડે પૂજ્યશ્રીજીની ખ્યાતિ સાંભળી તેમની અમૃતવાણીનો લાભ લેવા સાગ્રહ તેમને વડોદરા તેડાવ્યા. અહીંયા આપણા ચારિત્ર્યનાયકના ‘સાર્વજનિક ધર્મ’ વિષય પર બે સુંદર વ્યાખ્યાન રાખવામાં આવ્યાં હતાં. તા. ૧૩ તથા ૧૬ માર્ચ ૧૯૧૩ના એ બે વ્યાખ્યાનોમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પૂજ્યશ્રીજીના હૃદયસ્પર્શી વ્યાખ્યાનોથી મહારાજા ગાયકવાડ તથા લોકો અભિભૂત થઇ ગયા હતા. અખબારોએ પણ તેમના વ્યાખ્યાનોનો સારાંશ પ્રગટ કરી તેમની વાક્છટા, જ્ઞાન તથા વિચારોની ભારે પ્રશંસા કરી હતી. નખશિષ સાધુતાની સાક્ષાત્ મૂર્તિ સમાન પૂજ્ય ગુરુદેવને જ્યારે બાલી પાસેના બિજાપુર ગામના રસ્તે અજાણ્યા લોકોએ લૂંટી લીધા, ત્યારે તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર ભારતમાં પથરાયેલા જૈન શ્રાવકો પર પડડ્યા. મુંબઇ, પંજાબ, અમદાવાદ, સૌરાષ્ટ્ર, દિલ્હી તથા ગોરવાડ સહિત અનેક સ્થાનેથી જૈન શ્રાવકો પૂજ્યશ્રીજી પાસે સુખસાતા પૂછવા ઉમટી પડડ્યા. સઘળાએ સરકારની આ ઘટનાને લઈ ટીકા કરી. ઠેર ઠેરથી તાર-ટપાલ દ્વારા ખબર અંતર પૂછવામાં આવ્યા. રાજસ્થાનના શ્રીસંઘના જાગૃત શ્રાવકોએ જોધપુરના મહારાજા સર પ્રતાપસિંહજી પર આ ઘટનાની તપાસ કરાવવા તાર ર્યાં. મહારાજા તો તારોનો ઢગલો જોઈ નવાઈ પામ્યા. તેમના વિશ્વાસુ સૂત્રોએ પૂજ્ય ગુરુદેવ વિષે મહારાજાને જાણકારી આપી, ત્યારે તેમની લોકપ્રિયતાનાં પ્રત્યક્ષ પ્રમાણરૂપ તારોના ઢગલાંની વાત તેઓ સમજ્યા. તેઓ ગંભીર થઈગયા. પોલીસ દળને કામગીરી સોંપાઈ અને ગણતરીના દિવસોમાં કસૂરવારોને પકડી તેમને સજા કરવામાં આવી. વર્તમાન એટલે કે ગત કેટલાક વર્ષોથી રાજસ્થાનના સિરોહી આસપાસના વિસ્તારમાં જૈન સાધુ-સાધ્વીઓને કેટલાક સંકુચિત ધાર્મિક મનોવૃત્તિવાળા લોકો રંજાડે છે, પરંતુ જૈન સમાજ સામાન્ય વિરોધ કરી શાંત થઈ જાય છે, કારણ ? ક્યારેક જ્યારે પ્રતિભાવાન પૂજ્ય ગુરુદેવ જેવા અત્યંત લોકપ્રિય સાધુ ભગવંત હયાત હતા, ત્યારે એમના પ્રત્યેની ઉત્કૃષ્ટ ચાહના આદર અને માનના કારણે શ્રાવકો તેમના સારુ જાન પણ આપી દેવા તૈયાર રહેતા હતા. એવી લોકપ્રિયતા આજે કેટલા સાધુઓના ભાગ્યમાં રહેવા પામી છે ? વ્યક્તિપૂજા, ત્યાગી, સાધુ-સંતો, મહાત્માના જીવનમાં વિનિપાતનું કારણ બની શકે છે. પૂજ્ય ગુરુદેવ આ વાતથી સભાન હતા. તેમના ભક્તો જ્યારે પૂજ્યશ્રીજી પ્રત્યેની અપાર ચાહનાથી પ્રેરાઈ તેમની પ્રશંસા કરતા, ત્યારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી પૂજ્યશ્રીજી એ લોકચાહનાને શિક્ષણપ્રચાર કે સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ તરફ વાળી દેતા. એકવાર સાદડીના ભક્તો મીઠી હઠ પકડીને બેઠા. પૂજ્યશ્રીજીને સાદડીમાં ચાતુર્માસ કરવા તેઓ વારંવાર ભાવભરી વિનંતી કરતા હતા. આ ભક્તો તથા પૂજ્ય ગુરુદેવ વચ્ચેના વાર્તાલાપ દરમ્યાન ફરિયાદના સૂરમાં ભાવિકો એપૂછ્યું, ‘કૃપાનિધિ ! આપને શું પંજાબ તથા બિકાનેરના શ્રાવકો જ વિશેષ વ્હાલાં છે ?’ પછી વ્યથિત અવાજે તેમણે કહયું, ‘અમારી તો આપ એવીરીતે ઉપેક્ષા કરો છો, જાણે કે અમે તો શ્રાવકો જ નથી ! અમને અમારા ધર્મ તથા ગુરુઓ પ્રત્યે અનુરાગ જ નથી!' શ્રાવકોની આ મીઠી ફરિયાદમાં શું આપણા ચારિત્રનાયક ૪ ४० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy