SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પળવારમાં ત્યાગી, આત્મ કલ્યાણના પંથે સંચર્યા હતા. કોઇક સંત લગ્નવેદીમાંથી સંસાર છોડી ચાલી નીકળ્યા હતા. કોઈ સાધુ પ્રવૃત્તિનો આત્મા જાનના પડાવથી ભાગી છૂટયો હતો... તપસ્વી આત્મખોજના ઉપાસકનચિકેતાને યમરાજના ધનવૈભવ, વિલાસ, સન્માન સંપતિ, રાજપાટના પ્રલોભનો પણ ચળાવી શક્યા નહોતા. ખરેખર સંતો,સાધુઓની વૈરાગ્યવૃતિ અવિચળ પર્વત જેવી સ્થિર હોય છે. કમળ જેવો નિઃસ્પૃહી હોય છે, તેમનો વૈરાગ્ય. છગનભાઈ આપણા ચારિત્ર્યનાયક પણ એવા જ વૈરાગ્ય ભાવના આરાધક, ત્યાગવૃત્તિના નિર્મોહી, તપસ્વી હતા. ત્યાગીસંતપુરુષોના જીવનમાં અપરિગ્રહીતા કેળવાયેલી દ્રષ્ટિગોચર થાય છે. હીરાઝવેરાત, ધન-દોલત, પૈસાનું મૂલ્ય તેમના જીવનમાં બે કોડીનું હોય છે. સંત કબીરના પુત્ર કમાલ પણ ઉચ્ચ કોટીના ત્યાગી સંત હતા. કાશીના નરેશે તેમના ચરણે મૂલ્યવાન હીરો ભેટરૂપે ધર્યો. કમાલે તે હીરા સામે દ્રષ્ટિપાત સુદ્ધા પણ ન કરતા કહ્યું,‘બહાર છાપરામાં અન્ય પથ્થરો છે ત્યાં એ હીરાને રાખી દો.' રાજાએ તેમની આજ્ઞા પ્રમાણે કર્યું. થોડા દિવસ પછી રાજાએ પાછા આવી હીરા વિષે પૃચ્છા કરી. સંત કમાલે કહી દીધું, ‘જુઓ રાજા! તમે એને જ્યાં રાખ્યો હતો ત્યાં જ હશે, પરંતુ કોઈ જરૂરતમંદ એને લઈગયો હશે તો મને એની ખબર નથી.’રાજાએ છાપરામાં તપાસ કરી. હીરો ત્યાં જ હતો ! કેવી નિઃસ્પૃહી ત્યાગવૃત્તિ ! આપણા ચારિત્ર્યનાયક છગનભાઈ કાળાંતરે મુનિરાજ અને તે પછી લાહોરમાં આચાર્યપદવી પામી આચાર્ય શ્રીમદ્દ વિજયવલ્લભસૂરિજી બની સાધુતાની સુવાસ ચોમેર પ્રસરાવી રહ્યા હતા. રાજસ્થાનના બિજાપુર બેડા ગામના માર્ગમાં એક વાર તેમને ચોર-ડાકુ ભેટી ગયા. તેમને આ નિર્ભય સાધુ પાસેથી એક દમડી પણ ન મળી, તો ચોરોએ તેમનાં ઉપકરણો તથા વસ્ત્રો છીનવી લીધા. વલ્લભવિજ્યજી મહારાજ તો અવિચલિત ભાવે ગામમા ચાલ્યા ગયા. સાચા ત્યાગી સાધુપુરુષ કંચન-સોનું, પૈસા કદાપિ પોતાની પાસે રાખતા નથી. આપણા ચારિત્ર્યનાયક એ દ્રષ્ટિએ સાચા ત્યાગી સાધુ હતા. લૂંટાઈ ગયા હતા, પરંતુ તેમનો સમતાભાવ જળવાઈ રહ્યો હતો. નામના, કીર્તિ, યશ પ્રતિષ્ઠા પ્રશંસાથી ગુરુ વલ્લભવિજજી મહારાજ સાહેબ હંમેશા અલિપ્ત જ રહ્યા હતા. ઘણીવાર શ્રીસંઘો જ્યારે પૂજય ગુરુદેવજીના સામાજિક, ધાર્મિક કાર્યોની પ્રશંસા કરતા, ત્યારે તેઓ વિનમ્ર ભાવે કહેતા ‘તમારે યશ આપવો હોય તો આપણા ગુરુદેવ પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબને જ આપો. હું તો એમનો અદનો નાનકડો સિપાહીછું. સાચીપ્રશંસાના હકકદાર તો આપણા પ્રાતઃ સ્મરણીય ગુરુદેવ જ છે.' સંવત ૧૯૯૦માં રાજસ્થાનના શિરોહી પાસે બામણવાવજી તીર્થ ખાતે શાંતમૂર્તિ યોગીરાજ પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રીમદ્ વિજયશાંતિસૂરિજીની નિશ્રામાં અખિલ ભારતીય પોરવાલના મળેલા સંમેલનમાં પૂજ્ય વલ્લભવિજયજી મહારાજ સાહેબને અનેક ઉપાધિઓ, પીઓથી શ્રીસંઘે સન્માનિત કરવા પ્રયાસ કર્યો, ત્યારે તેમણે એ પદવીઓ સ્વીકારવાનો ઈન્કાર કરી સાચી સાધુતાના દર્શન કરાવ્યા હતા. તેમ છતાં એ સંમેલનમાં શ્રીસંઘે મહાપરાણે પૂજ્ય ગુરુદેવને ‘કલિકાલ કલ્પતરુ’ તથા ‘અજ્ઞાન તિમિર તરણીની’ પદવીઓથી વિભૂષિત કર્યા, ત્યારે ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy