SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - સાધુતા અંગીકાર કરવા માટેની તૈયારીઓ ચાલતી હતી. છગનભાઈ ઘરમાં રહી પોતાના સઘળાકામ જાતે કરી લેતા. સમયસર પ્રાતઃકાળે જાગવું, જપતપ કરવા, પ્રતિક્રમણ કરવું, દેવદર્શને જવું, સામાયિક કરવું તથા તદ્દન સાદગીથી ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લઈ સ્વાશ્રયી થવાની સાહજિક વૃત્તિ તેઓ કેળવી રહ્યા હતા. ભાઈની ઈચ્છાને માન આપી શાળાએ જવું, દુકાને જવું એમ દુન્યવી પ્રવૃત્તિઓ પણ અનિચ્છાએ ફરજ સમજી, વડીલોની આજ્ઞા સમજી કરી લેતા હતા. કિશોરાવસ્થામાં પણ છગનભાઈના અંતરમાં સંયમનો બોધ થઈ ચૂક્યો હતો. ભૌતિક વસ્તુઓ પ્રત્યે તેમને સહેજ પણ લગાવ રહ્યો નહોતો. અમદાવાદમાં તેઓ જ્યારે પૂજ્ય આત્મારામજીના સાંનિધ્યમાં હતા, ત્યારે નાનચંદભાઈ શેઠ તેમને પોતાના ઘરે લઈ ગયા હતા. ચતુર શેઠે છગનભાઈ સાથે વાર્તાલાપ કરતા પ્રશ્ન પૂછયો, ‘તમે સાધુ થવા શા માટે ઈચ્છો છો ?” “આત્મકલ્યાણ માટે....!' પળનો પણ વિલંબ કર્યા સિવાય ગંભીરતાથી છગનભાઈએ શેઠને પ્રત્યુત્તર પાઠવ્યો. છગનભાઈના મનમાં સ્પષ્ટ ધ્યેય હતું. દિમાગમાં જીવન સાર્થક કરવાનો સ્પષ્ટ નિર્ધારિત ખ્યાલ હતો. મક્કમ નિર્ધાર અને આત્મકલ્યાણની સમજ હતી. નાનચંદભાઈ છગનભાઈની પરીક્ષા કરવા વળી કહ્યું, આ તમારી ખાદીનીટોપી તમે મને આપી દો. હું તેને આપના સંભારણાં તરીકે મારી પાસે રાખવા માંગુ છું. તેના બદલે આપ મારી આ જરીની ટોપી લઈ લો.' - છગનભાઈને તો મકાન, કપડાં, આભૂષણો અને જગતની સઘળી ભૌતિક વસ્તુઓ જજ્યાં ભારરૂપ લાગતી હતી ત્યાં વળી જરીની ટોપીનું પ્રલોભન તેમને શી રીતે ચળાવી શકે ? એટલે છગનભાઈએ શેઠને કહ્યું, “મારે આપની જરીની ટોપીની જરૂર નથી. મારી ટોપી હું આમ પણ બદલવાનો હતો. આપને સંભારણાં પેઠે જોઈતી હોય તો ખુશીથી આપ રાખી લો નાનચંદભાઈ શેઠને ખ્યાલ આવી ગયો કે આ કિશોર છગનનો આત્મા નિર્મોહી,નિર્લોભી, પ્રલોભનમુક્ત સાધુતાપૂર્ણ છે. તેમને વિશ્વાસ આવી ગયો કે આવ્યક્તિમાં ત્યાગી સાધુના લક્ષણ વિકસી ચૂક્યાં છે. છગનભાઈની સાધુતા દિન-પ્રતિદિન વિકસતી જતી હતી. મોટાભાઈનો વિરોધ તેમની ત્યાગવૃત્તિને વધુ પ્રજવલિત કરતો હતો. તેમણે ઘરમાં હવે પોતાની અંગત વસ્તુઓનો ઉપયોગ ઘટાડવો શકર્યો. પોતાની વસ્તુઓનું તેઓ દાન કરવા લાગ્યા. એકવાર એક સંબંધીના લગ્નમાં પરાણે જવું પડ્યું. પોતાની દિન ચર્યા બરાબર પળાય તે સારુ છગનભાઈ વહેલા ઊઠી સૌથી પહેલાં જાનના ઉતારે પહોંચી ગયા અને પ્રતિકમાગ તથા અન્ય ધાર્મિક ક્રિયાઓ પૂરી કરી લીધી. રાત્રે પણ ખંડના એક ખૂણામાં ખેસ પાથરી ભોંય પર ઘસઘસાટ સૂઈ ગયા. કેવી સાદગી? ન ગાદલું લીધું ન રજાઈ માંગીન ખાટલાની ઈચ્છા રાખી. ખીમચંદભાઈએ જ્યારે ઘસઘસાટ નચિંત ભાવે પોઢેલા છગનભાઈના નિર્દોષ ચહેરા પર શાંતિ, આનંદ અને સંતોષના ભાવ નિહાળ્યા, ત્યારે જીવનમાં પ્રથમવાર તેમને લાગ્યું કે -૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy