SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આવા ઘણાં પ્રસંગો પૂજ્ય ગુરુદેવના જીવનકાળમાં બન્યા હતા. આ બધા પ્રસંગો ઉપરથી જ સહેજે માનવું પડે કે પૂજ્યશ્રીજી તેમના તપોબળના કારણે અલૌકિક શક્તિ ધરાવતા હતા. ગજ સ્થિતપ્રજ્ઞતા જ્ઞાની સાધુસંતો, મહાપુરુષ હંમેશાં યુવાકાળમાં જ નહીં, પરંતુ સમજણ કેળવાતા જ દુન્યવી પ્રવૃત્તિઓની સાથે સાથે ભક્તિ, ઉપાસના શરૂ કરી દેવાની શિખામણ આપતા રહ્યા છે, કારણકે બીજા કામોને તો કાલ પર ઠેલવાથી જેટલીહાતિ નથી થતી એનાથી અનેકગણી હાનિ પરમાત્માની ભક્તિને વૃદ્ધાવસ્થાપરટેલવાથી થાય છે. વૃદ્ધાવસ્થામાં માણસની કાર્યશક્તિહણાય છે, માનસિક રીતે દુર્બળતા અનુભવાય છે. શારીરિક રીતે શરીર અનેક રોગોનું ભોગ બને છે, ત્યારે ભક્તિ થઈ શકતી નથી. અને ભક્તિ ભજન સત્સંગ પરમાત્માના નામ સ્મરણ વિના મુક્તિની આશા શી રીતે રાખી શકાય? સાંસારિક ઈજળથી મુક્ત થયેલા મહાપુરુષોને માટે વાર્ધક્ય અવસ્થા પણ તેમની સ્થિત પ્રજ્ઞતાના કારણે વ્યવધાનરૂપ બનતી નથી. પૂજ્યશ્રીજી પણ એવા જ સ્થિતપ્રજ્ઞમહાપુરુષ હતા. તેમનાજીવનમાં ૮૦થી૮૩નો સમયગાળોકપરોવીત્યો હતો. પરંતુ તેમની સ્થિતપ્રજ્ઞતાના કારણે એમની જીવન શૈલી, કાર્યપ્રણાલિ પર તેની કોઈ વિપરીત અસરો પડી નહોતી. પૂજ્યશ્રીજી જ્યારે સાદડી હતા, ત્યારે તેમને મોતિયા આવ્યા હતા. આના કારણે તેમની આંખોની રોશની નહીંવત થઈ ગઈ હતી. મુંબઈમાં તેમણે ઓપરેશન કરાવ્યું, ત્યારે આંખોને સારી રોશની પુનઃ પ્રાપ્ત થઈ હતી. વળી મુંબઈના રોકાણ દરમ્યાન જ તેમને પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ થઈ હતી. નવેક મહિના ચાલેલી આ બીમારીથી લાખ ઉપચારો કરાવ્યા છતાં પૂજ્યશ્રીજી મુક્ત થઈ શક્યા નહોતા. સમગ્ર ઋણાવસ્થા દરમ્યાન પૂજ્યશ્રીજી તો સ્થિતપ્રજ્ઞ જ રહ્યા હતા. કર્મ સિદ્ધાંતના જ્ઞાતા પૂજ્યશ્રીજીએ આ તકલીફને અશુભ કર્મોના ઉદયનું ફળ માની સહન કરી હતી. બીમારી દરમ્યાન પણ તેઓ શાંતિથી જપતપમાળા ચિંતન કરતા રહ્યા. આત્મજ્ઞાની વિભૂતિ શ્રીરમાણ મહર્ષિએ જીવનમાં કેન્સરની પીડા સ્થિતપ્રજ્ઞ થઈ ભોગવી હતી. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાત્મા જ્ઞાની પુરુષને પણ અંતિમ અવસ્થામાં ગળાનું કેન્સર થયું હતું, છતાં તેમણે સ્થિતપ્રજ્ઞતા કેળવીએ મહા જીવલેણ રોગની યાતના પણ હસતા મુખે સહન કરી હતી. સામાન્ય માનવી આવી બીમારીઓની પીડાથી ત્રસ્ત થઈદુઃખી થઈ,કયારેક આત્મઘાતી પગલું પણ ભરી બેસે, પરંતુ સ્થિતપ્રજ્ઞતા ધારણ કરી ચૂકેલા પૂજ્ય ગુરુદેવે આવી બીમારીઓને અશુભ કર્મોનું ફળ ગણાવી સહજતાથી સહન ક્રી હતી. સ્થિતપ્રજ્ઞતા એ પૂર્ણ સાધુતાનું લક્ષણ છે, જે આપણા ચારિત્રનાયકના જીવનમાં આત્મસાત્ થયેલું દ્રષ્ટિગોચર થાય છે. આ સર્જક સંત કવિ સુરદાસ, મીરાં, કબીર, આનંદઘન સ્વામીનાં કાવ્યો, પદો, રચનાઓમાં પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમભાવ, સમર્પણ ભાવ તથા સત્ય દ્રષ્ટિગોચર થાય છે, એવા જ હટ્યસ્પર્શ ભાવ પૂજ્યશ્રીજીએ રચેલા પદો, કાવ્યો તથા ભજનોસ્તુતિઓ ઈત્યાદિમાં થાય છે. - - --- - - - ૧૧ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy