SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ જોશમાં ચાલતું હતું. સનટકાવવાની લ્હાયમાં અંગ્રેજોશમાં કોમી તોફાનોનો પલીતો ચાંપી રહ્યા હતા. પ્રજામાં બેચેની, બેકારી, બિનસલામતીની લાગણી પ્રવર્તતી હતી. એ અરસામાં જપૂજ્ય ગુરુદેવ લુધિયાણા પધાર્યા.સ્વાગતના જવાબમાં તેમણે લોકોને હિમ્મત આપતા કહ્યું હતું.... અત્યારની વિષમ પરિસ્થિતિમાં જ્યારે યુનાં રાણશિંગા ફૂંકાઈ રહ્યા છે, ત્યારે ગભરાઈને દોડાદોડી કરી મૂકવાથી શો લાભ થવાના? તમે લોકો ચાહકર્મવાદીહો, ચાહેશ્વર કે ખુદાને માનતા હો, જેની જેના પર શ્રદ્ધા હોય તે એના પર ઢ શ્રદ્ધા રાખીને ધીરજથી કામ કરે, જેથી મુસીબતોનો આસાનીથી સામનોઈ શકે. આ સમયે આપણે માત્ર આપણાકુટુંબ જ નહીં, ગામ, શહેર, જિલ્લા કે પ્રાંતનો જ નહીં, બલ્ક આખાદેશનો વિચાર કરવો જોઈએ. જેની પાસે જેટલી સંપત્તિ હોય, બુદ્ધિ કે શક્તિ હોય તેટલી સૌના કલ્યાણ માટે વાપરે. આજ સાર્થકતા છે, માનવજીવનની. આવા સમયે ડરપોકો અને સ્વાથીઓને જીવતા રહેવાનો શો અધિકાર છે?' - પૂજ્ય ગુરુદેવના આ શબ્દોમાં ઝલકે છે... વિશાળ રાષ્ટ્રપ્રેમની ભાવના, સૌના કલ્યાણની ભાવના... નિઃસ્વાર્થ માનવતાની સમજતથાસ્વકેન્દ્રી ભીરુ લોકોના અભિગમ પ્રત્યેની ટકોર!પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્ર સ્વાતંત્ર, વ્યક્તિ સ્વાતંત્ર તથા સર્વાગી મનુષ્ય જાતિના અભ્યદયનાપુરસ્કર્તાહતા. વિ. સં. ૧૯૯૭માં પૂજ્ય ગુરુદેવ અંબાલા પધાર્યા હતા. તે સમયે પૂજ્ય ગુરુદેવના એક અનુરાગી સદ્દગૃહસ્થ ભક્ત તે સમયમાં રૂપિયા ૧૦નું દાન જાહેર કર્યું હતું. એ સમય પ્રમાણે આ રકમ ઘણી મોટી ગણાય તેવી હતી. પૂજ્યશ્રીજીએ એ રકમ ગરીબોમાં કપડાં વહેંચવા માટે તત્કાલીન કોંગ્રેસ સમિતિને આપી દીધી હતી. પૂજ્ય ગુરુદેવે વિહાર દરમ્યાન ગ્રામીણ તથા શહેરી વિસ્તારોની મુલાકાત લીધી હતી. દેશમાં પ્રવર્તતી ગરીબી, નિરક્ષરતા, બેકારીતા હતાશામાં ડૂબેલી આમ જનતાની સ્થિતિથી તેઓ સારી રીતે વાકેફ હતા. આવી દરિદ્ર પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન આવે, ત્યાં સુધી સમૃદ્ધ, મજબૂત તથા સ્વતંત્ર રાષ્ટ્રની કોઈ સંભાવના નહોતી, એટલે પૂજ્ય ગુરુદેવ તેમને જ્યારે જ્યારે તક સાંપડતી, ત્યારે ત્યારે સમાજના આવા વર્ગના ઉત્થાન સારુ લોકોને હૃદયસ્પર્શી અપીલ કરતા હતા અને યથાશક્તિ આવા લોકોની મદદ કરવાના પ્રયાસો પણ કરતા રહેતા હતા. અજ્ઞાન તિમિરતારિણી, યુગવિભૂતિ પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની રાષ્ટ્રભક્તિ સદાય સ્મરણીય રહેશે. તેમણે હિંદુ, મુસ્લિમ, શીખ, જૈન, પારસી સૌ કોમના લોકો વચ્ચે ભાઈચારો, એકતા સ્થાપી સૌને રાષ્ટ્ર નિમણમાં લાગી જવા પ્રેરણા આપી હતી. વ્યસનમુક્તિ સારુ તેમણે આજીવન પ્રયાસો કર્યા હતા. શિક્ષણ પ્રચારધારા સમાજમાં જાગૃતિ આણી હતી. આઝાદીના લડવૈયાઓને તેમણે આશીર્વાદઆપ્યા અને સ્વયં ખાદીધારણ કરી સૌને સ્વદેશી આંદોલન માટે પ્રોત્સાહિત કર્યા હતા. આઝાદી પછી પણ લોકકલ્યાણને અનુરૂપ શાસન ચલાવવાનેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા, સ્વધર્મના પાલન માટે આઝાદી આવશ્યક છે, એમ માનતાપૂજ્ય ગુરુદેવે રાષ્ટ્રીય ચેતના જાગૃત કરવા આજીવન પ્રયાસો કર્યા હતા. દેશસેવામાં એમનું યોગદાન સદાય સ્મરણીય બની રહેશે. (૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy