SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિ પામવી એ આપણું પરમ લક્ષ્ય છે. વિદેશીઓ ચાલ્યા ગયા છે. તેમણે જ આપણી આબાદી તથા સંપત્તિ લૂટવા તથા શારીરિક શક્તિનો નાશ કરવા આપણા દેશમાં દારૂનાદેયના પ્રવેશ કરાવી ઉછેર્યો છે, એ તો હવે ચાલ્યા ગયા છે, પરંતુ એમની પાછળ રહી ગયેલા એ વિકરાળ દૈત્યને પણ પરાસ્ત કરી દેશમાંથી હાંકી કાઢવો એ આપણું કર્તવ્ય છે.' સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં લોકો એટલા સુખી અને નિર્ભય હતાકે એ લોકો રાત્રે ઘરને તાળાં માર્યા સિવાય નિરાંતે ઊંઘી શકતા હતા. ભારતના ઈતિહાસમાં એકાળ સુવર્ણયુગ તરીકે ઓળખાય છે. એટલે જે રાજ્ય, દેશ કે રાષ્ટ્રનો શાસક દીર્ઘદ્રષ્ટા, વિચારશીલ, ભલો પ્રજાપ્રેમી તથા કડક ન્યાયપ્રિય હોય છે, એ પ્રજાનું શોષણ થતું નથી. લોકોની સમૃદ્ધિ વધે છે અને રાષ્ટની ઉન્નતિ થાય છે. આદર્શ શાસકકેવો હોવો જોઈએ અને તેના પ્રજા માટેનાં કર્તવ્ય કેવાં હોવા જોઈએ એ વિષે પૂજ્ય ગુરુદેવ સ્પષ્ટ અભિગમ ધરાવતા હતા. ઈ.સ. ૧૯૫૩ના ભાયખલાના ચાતુર્માસ દરમ્યાન પૂજ્ય ગુરુદેવને ૧૫મી ઓગષ્ટના, સ્વતંત્રતાની ઉજવણીના પ્રસંગે નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી યશવંતરાય ચૌહાણની અધ્યક્ષતામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીના પ્રસંગને અનુલક્ષીને પૂજ્ય ગુરુદેવે પોતાના વકતવ્યમાં સમાજની હિતરક્ષા તથા એ દ્વારા રાષ્ટ્ર હિતની વાત જણાવતા કહ્યું હતું... ‘રાજ્યકર્તાઓએ પોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જેના કારણે પ્રજાની સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય. દેશમાં બેકારી ઘટાડવાના ઉપાયો થવા જોઈએ. કોઈ વ્યક્તિને ભૂખે મરવું ન પડે અને દરેકને રહેવા સારુ ઘરની વ્યવસ્થા સાંપડે તેવી વ્યવસ્થા થવી જોઈએ. હજારો લાખો લોકોને કામ ધંધો આપવાની, રોજગાર ઉપલબ્ધાવવાની મોટી મોટી યોજનાઓ ઘડવામાં આવી છે, પરંતુ પ્રજાના તમામ વર્ગનાલ્યાણ, ઉત્થાન તથા ઉત્કર્ષમાં વિલંબન થાય, એ વાતનું ધ્યાન સરકારે રાખવું જોઈએ. પ્રજા પર વધુ પડતા કરવેરા પણ નાખવા જોઈએ નહીં...” પૂજ્ય ગુરુદેવના બહુઆયામી પ્રભાવી વ્યક્તિત્વની અસર તત્કાલીન આઝાદીના આંદોલનના નેતાઓ તથા ગાંધીવાદી વિચારસરણી ધરાવતા ઘણા લોકસેવકો પર પડી હતી. પૂજ્ય ગુરુદેવની સારા શિક્ષણ પ્રચારક, સમાજ સુધારક તથા રાષ્ટ્રભક્ત સંત તરીકેની છાપ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી મોરારજીભાઈ દેસાઈ પર અંકિત થઈ હતી. એમનો એ ભાવપૂજ્ય ગુરુદેવના મહાપ્રયાણ પછી તેમણે મોકલાવેલા શોક સંદેશમાં પ્રગટ થયો હતો. શ્રી મોરારજીભાઈ દેસાઈએ લખ્યું હતું... .એમના (પૂજ્ય ગુરુદેવના) જીવન તથા કાર્ય પ્રણાલિનો મારા જીવન પર ખૂબ સરસ પ્રભાવ પડયો હતો. આચાર્યશ્રીજીએ જૈનોની દાનવૃત્તિને માત્ર ધાર્મિક સંસ્થાઓ સુધી જ મર્યાદિત ન રાખતા, તેને શિક્ષણ ક્ષેત્ર ભણી પણ વાળી હતી. (અર્થાતુ જૈનોને શિક્ષાગ પ્રચારના કાર્યા પાછળ ધનખર્ચવા પ્રેરણા આપી હતી.) વિશેષ કરીને ગરીબ વિદ્યાર્થીઓની સહાયતા કરવામાં તેમણે જાતિ અથવા ધર્મના ભેદભાવ રાખ્યા નહોતા. અન્ય સામાજિક સુધારા સંબંધી પણ તેમના વિચાર પ્રગતિશીલ રહ્યા હતા. તેમણે ખાદીધારાગકરી હતી અને દારૂબંધીના કાર્યમાં પણ પૂર્ણ સહયોગ આપ્યો હતો. આવા આચાર્યશ્રીના જીવનમાંથી અનેક લોકોએ પ્રેરણા મેળવી હતી. મને આશા છે કે તેમનાર્દેહવિલય પછી પણ એમની પ્રેરણાઓ કાર્યાન્વિત રહેશે.' વિ.સં. ૧૯૯૮ ના વર્ષમાં સ્વરાજ્યની લડત ચરમસીમા પર હતી. બીજું વિશ્વયુદ્ધ પૂર (૧૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy