SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અભયતાના પગ દર્શન થાય છે. તેમની નિઃસ્વાર્થ ભાવના પણ આ પ્રસંગમાં દ્રષ્ટિગોચર થાય છે. પોતાના કુળના પિતૃઓની તપાગવિધિ કરાવવા માટે ભગીરથે દઢ સંકલ્પ કરી ગંગાનું પૃથ્વી પર અવતરણ કરાવ્યું હતું. ઢ નિશ્ચય કેળવીધ્રુવે દીર્ઘ તપશ્ચર્યા કરી આત્મકલ્યાણ સાધ્યું હતું. દુન્યવી રીતે તેનસિંગ હિલેરીએ કૃતનિશ્ચયી થઈ અવરેસ્ટના ઉચ્ચ શિખરનું આરોહાગ કરી બતાવ્યું હતું. તે જ પ્રમાણે પૂજ્યશ્રીજીએ પાગ જીવનમાં અડગ મનોબળ, દઢ સંકલ્પશક્તિ કેળવી જનધર્મની પ્રભાવના, શિક્ષણ પ્રચાર, સમાજસુધારણા તથા રાષ્ટ્રસેવા જેવા ઉત્તમોત્તમ કાર્યો પાર પાડ્યા હતા. આ મૌનના ઉપાસક મૌન પાળવું એ પારા એક તપશ્ચર્યા છે. મૌનથી બાહ્ય જગતની યાત્રા બંધ થાય છે. આંતરિક જગતની યાત્રા શરૂ થાય છે. અને વ્યક્તિ કાળાંતરે મહાત્મા સિદ્ધાત્માને પરમાત્મા બની જાય છે. મન શબ્દ પરથી મુનિ શબ્દ પ્રયોજાયો હોવાની સંભાવના છે. મીન કેળવવામાં પણ ગજબની સહનશીલતા, ધૈર્ય તથા સમતાભાવની જરૂર પડે છે. ભાગવતમાં એક કથા આવે છે. એકઋષિ તપશ્ચર્યાક્રતા હતા.અંતિમ ક્ષણે તેમની એક મૃગલાને બચાવવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. બીજા જન્મમાં તે મૃગયોનિમાં ગયા ત્યારપછીના જન્મમાં તેઓ મનુષ્ય યોનિમાં આવ્યા.બાળપણથી જ તેમણે મૌનવ્રત સ્વીકાર્યું હતું. તેમને પૂર્વના ભવોની સ્મૃતિ હતી. તેમના વ્યવહારથી લોકો તેમને જડભરત તરીકે ઓળખવા લાગ્યા. એકવાર ગાયો ચરાવતા જંગલમાં વૃક્ષ નીચે બેઠા હતા. કેટલાક લોકો તેમને પકડી ગયા. તેમને યજ્ઞમાં આહુતિ માટે બત્રીસ લક્ષણા પુરુષની જરૂર હતી. જડભરતને માતા મહાકાલીના મંદિર સામે ઉભા રાખી લોકો તેમને મારવા તલવાર ઉગામે છે, છતાં મૌન જડભરત નિર્લેપભાવે આ ખેલ નિહાળતા રહે છે. મૌન આવું ઉત્કૃષ્ટ પ્રકારનું હોવું જોઈએ. અરે ! શત્રુઓ જાન લેવા તૈયાર થઈ જાય તે પળે પણ મૌન જળવાઈ રહેતો એમૌનની અગાધ શક્તિથી માનવીનો બેડો પાર થઈ જાય. જડભરતની કથામાં પણ એ ક્ષણે માતાજી પ્રગટ થાય છે અને જડભરતને બચાવે છે, કાળાંતરે જડભરત મોક્ષને ઉપલબ્ધ થાય છે. પૂજ્યશ્રીજી સુધારાવાદી વલણ ધરાવતા મહાપુરુષ હતા. ધાર્મિક શિક્ષણ સાથે વ્યાવહારિક શિક્ષાગ, વ્યસનમુકિત, કન્યા શિક્ષાગ, કન્યાવિક્રય પ્રથાનો વિરોધ, સામાજિક એકતા જેવી સમાજની ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિઓની સાથે સાથે તેઓ ઘર્મપ્રચારની પ્રવૃત્તિ કરતા હતા. એમના આવા પ્રગતિશીલ દ્રષ્ટિકોણને નહીં સમજી શકનારા રૂઢિવાદી અન્ય જૈન શ્રાવકોએ ઈ.સ. ૧૯પરમાં પૂજાશ્રીજીનામુંબઈના ચાતુર્માસ દરમ્યાન તેમની વિરુદ્ધચોપાનિયાં છપાવી અપપ્રચાર કર્યો, ત્યારે પૂજ્યશ્રીજીએ આવા અપપ્રચાર ચાલી રહ્યાના સમાચાર લાવનાર દુઃખી થયેલા તેમના ભક્તને સમજાવતા કહ્યું હતું... 'તેજોષી લોકોએ પ્રકાશિત કરાવેલા સાચા ખોટા ચોપાનિયાની વિગતો પ્રત્યે ધ્યાન આપશો નહીં. પરંતુ તમે યાદ રાખો, મૌનમાં અપારશક્તિ સમાયેલી છે. મૌન અમોઘ શસ્ત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy