SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દભવેલી સમસ્યાઓ સુલઝાવવામાં પોતાનો યથાશક્તિ ફાળો આપી પોતાની દેશભક્તિનો પરિચય આપ્યો હતો. વિચક્ષણ બુદ્ધિના ચાલાક અંગ્રેજો ભારતને સદાય ગુલામીની બેડીઓમાં જકડી રાખવા માગતા હતા. મહાત્મા ગાંધી પ્રેરિત સત્યાગ્રહ, અસહકારના આંદોલને જ્યારે દેશમાં વેગ પકડ્યો ત્યારે આ શાસકોએ પોતાની ભાગલા પાડો અને રાજકરી’ નીતિને વેગવંન્ને બનાવી હતી. જો ભારતના હિંદુ-મુસ્લિમોને ધર્મના નામે અંદરો અંદર લડાવવામાં આવે તો આંતરિક કલહમાં જ આ લોકો અટવાઈ જાય અને એકતાના અભાવમાં ગાંધીજીના આંદોલનને સફળતા ન મળે. આવા મલિન ઈરાદાઓ સેવી અંગ્રેજો મુસ્લિમોને ભરમાવતા હતા અને આઝાદી પછી મુસ્લિમોને દેશમાં કોઈ સ્થાન નહીં મળે એવી અપપ્રચાર પણ કરતા હતા. મુસ્લિમો પણ ઓછી સંખ્યાના કારણે એમની વાતથી ભોળવાઈ જતા હતા. આવા એકતા તોડવાના પ્રયાસો સામે પૂજ્ય ગુરુદેવે ઠેર ઠેર આ બન્ને કોમો વચ્ચે એકતા કેળવાય, ભાઈચારો સ્થાપિત થાય એવા પ્રયાસો કર્યા હતા. તેમણે પોતાના પ્રવચનોમાં પણ રાષ્ટ્રની સ્વતંત્રતા સારુ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. એક વાર પૂજ્ય ગુરુદેવ માલેર કોટલા પધાર્યા. અહીં તેમણે પોતાના હિંદુ-મુસ્લિમ ભક્તોને જે ઉપદેશ આપ્યો, એમાં તેમની રાષ્ટ્રીય ઉત્થાનની ભાવનાનાં દર્શન થાય છે. પૂજ્યશ્રીજીએ પોતાનાં વકતવ્યમાં જણાવ્યું હતું.. ભારતની આઝાદીમાંજઆપણા સૌનુંલ્યાણરહેલું છે... અને આઝાદીત્યારે જ પ્રાપ્ત થાય, જ્યારે હિંદ મુસ્લિમ, શીખ સૌકોમમાં સંપ, એકતા સ્થાપિત થાય. આંતરિક વિખવાસ્નાઅંત વિનાએક્તાની સંભાવના નથી. એક્તાનું જતનરવા આપણેરેક પ્રકારનું બલિદાન આપવું પડશે. જો પ્રત્યેક ગામ તથા શહેરમાં એકતા સ્થપાશે, ભાઈચારોકેળવાશે તો ભારત વર્ષનું વિશ્વ શાંતિના ક્ષેત્રમાં પોતાનું આગવું યોગદાન નોંધાશે, એકઅલાયસ્થાન બની જશે. જન્મટાણે નતો હિંદુચોટલી સાથે અવતરે છે, નમુસલમાન સુન્નત સાથે, શીખનું બાળકપણ મસ્તક પર પંચકેશીસાથે જન્મતું નથી. જન્મ પછી બાળક જેતે સમાજમાં ધર્મના સંસ્કારથી રંગાઈ જગતમાં પોતાની અલગ અલગ ઓળખપેદા કરી ભિન્ન ભિન્ન જાતિના માનવી તરીકે જીવન વ્યતીત કરે છે. ભૂલી જાઓ એ સઘળીદુન્યવી ભિન્નતા.! મિટાવી દો અવરોધક ધર્મના વાડા..! દિલમાં આજે કેળવી લો એક ઉદાર ભાવના. આપણે સૌએ હળી મળીને રહેવું છે. આપણામાં જ્યારે આપણા પડોશીના દુઃખે દુઃખી અને તેના સુખે સુખી થવાની ભાવનાનો જન્મ થશે, ત્યારે જ આપણે ખુદાના સાચા બંદા, ઇશ્વરના સાચા ભક્ત થઈ શકીશું. એક વાત સદાય રસ્મરણમાં રાખજો આપણે સૌ ભાઈ ભાઈ છીએ. આનવાબીરાજ છે. પરંતુ અહીંયા હિંદુ-મુસ્લિમ સૌ એકસમાન છે. મને યાદ છે જ્યારે સ્વર્ગસ્થ ગુરુ મહારાજ પૂજય આત્મારામજી અહીંયા પધારતા અને ઉપાશ્રયમાં રોકાતા, ત્યારે જો નવાબસાહેબ પણ હાથી પર સવાર થઈ આ માર્ગે પસાર થતા, તો તેઓ ઉપાશ્રય પાસે સવારી રોકાવતા અને કોઈની સાથે બાબાજીને મારી સલામ’ની શુભકામના અવશ્ય મોકલાવતા. નવાબસાહેબની એ ભાવનાને તમે લોકો જીવનમાં ઉતારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy