SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાતંત્ર પ્રાપ્તિ માટે આત્મ બલિદાન તથા સંસહન કરવાની પ્રેરણા લેશે તો ભારત સંસારમાં ) સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કરી શકશે.’ પૂજ્ય ગુરુદેવ કહેતા ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે સ્વધર્મ પાલન માટે આઝાદી આવશ્યક છે.’ એમના આ દ્રષ્ટિબિંદુથી વિચારતા શિવાજીએ ધર્મઝનૂની ઔરંગઝેબ સામે જે સંગ્રામ છેડ્યો હતો, એ સંસ્કૃતિની ધર્મની રક્ષાની લડાઈ હતી અને એટલે રવાતંત્ર સંગ્રામ દરમ્યાન તેઓ પોતાના પ્રવચનોમાં શિવાજી જેવા બહાદુર બનવાની યુવાનોને ઉપદેશ આપતા હતા. મુંબઇમાંગવાલિયાટેકથી પૂજ્ય ગુરુદેવના સન્માનમાં નીકળેલી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં રંગબેરંગી વસ્ત્રોમાં સજ ઉલ્લાસિત નર-નારીઓ, ભકતો તથા પંજાબથી આવેલા ખાસ ગુરુભક્તોની મંડળીઓના ગાયન વાદન મુંબઈના લોકો માટે અવિસ્મરણીય આકર્ષણ બની ગયાં હતાં. આવા કોઈધર્મગુરુના સન્માનમાં નીકળેલી આવીશાનદાર શોભાયાત્રા જોવાનું મુંબઇવાસીઓને યાદ નહોતું. પૂજ્ય મહાત્મા ગાંધીજી દ્વારા પ્રેરિત સ્વદેશી અપનાવો આંદોલન અંતર્ગત તે સમયે ભારતમાં ખાદી ધારણકરવી એરાષ્ટ્રભક્તિની નિશાની ગણાતી હતી. આજના ખાદીધારી પાખંડી રાજકારણીઓના કારણે જે ખાદી આજની તારીખમાં વગોવાઈરહીછે, એજખાદીની ત્યારે ભારે બોલબાલા હતી. તે સમયે ખાદીધારી રાષ્ટ્રભક્ત તરીકે લોકાર પામતા હતા. મૂળજીવદયાથી પ્રેરાઈ અહિંસાના નિયમનું ચુસ્તપાલન ક્રતાપૂજ્ય ગુરુદેવ તથા સાધુવંદને ખાદીની ચાદરોધારણ કરી શાંત મુદ્રામાં ચાલતા જોઈ રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાયેલા મુંબઈવાસીઓ તેમને રાષ્ટ્રીય આંદોલનના પુરસ્કર્તામાની તેમનો જય જ્યકારકરતા હતા. રાષ્ટ્રભક્તોતરીકે તેમને સન્માન આપી દિલથી બિરદાવતા હતા. આવા લોકો પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન સાંભળી સ્વદેશી વસ્તુઓ વાપરતા થયા હતા. ઘણા લોકોએ જીવનમાં ખાદી અપનાવી હતી. પૂજ્ય ગુરુદેવ શરૂઆતથી જ સાદગીના ઉપાસક હતા. તેમને ઝાઝમાળ, બેડવાજાં ભવ્ય શોભાયાત્રાઓ પ્રત્યે વિશેષ રૂચિ નહોતી. તેમની નજર સમક્ષ ભારતના ભૂખ, ગરીબી, બેકારી, અજ્ઞાનતાથી બેહાલ થઈમરવાના વાંકે જીવતા હજારો ભારતવાસીઓની દારુણદુર્દશા રહેતી હતી. એ લોકોના ઉત્થાન સારુ પ્રયત્નો થાય એમાં પૂજ્ય ગુરુદેવને વિશેષ રસ હતો. આવા સાદગીના પૂજારી, માનવતાના ઉપાસક પૂજ્ય ગુરુદેવ તે સમયની આઝાદીની લડતના સમાચારોથી વાકેફ રહેતા હતા. જ્યારે જ્યારે અંગ્રેજ સરકાર ગાંધીજી, જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલની કે અન્ય રાષ્ટ્રીય નેતાઓની કોઈ ચળવળ, સત્યાગ્રહકે આંદોલન વખતે ધરપકડકરતી, ત્યારે ત્યારે પૂજ્ય ગુરુદેવ એ રાષ્ટ્રીય નેતાઓના સન્માનમાં રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ જે તે નગરકે શહેરમાં પ્રવેશ ટાણે ધામધુમ થવા દેતા નહીં અને અત્યંત સાદગીથી પ્રવેશ કરી પોતાની સહાનુભૂતિની ભાવના પ્રગટ કરતા હતા. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા પછી પૂજ્ય ગુરુદેવ જ્યારે ૨૫ જેટલા શ્રાવકો તથા સાધુવૃંદ સાથે અમૃતસર પધાર્યા, ત્યારે પાકિસ્તાનથી બેઘર થઈબેકારીનો ભોગ બનેલા ઘણા વિસ્થાપિતો ભારતમાં મરવાના વાંકે લાચારીમાં જીવતા હતા. આવી પરિસ્થિતિ નિહાળી ૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy