SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ હીરસિંહજીના ખાસ નિમંત્રણને માન આપી પૂજ્ય ગુરુદેવ તેમના દરબારમાં પધાર્યા. ત્યાં રસપ્રદ ધર્મચર્ચા થઈ. પૂજ્યશ્રીજીએ જેન ધર્મના અહિંસાના સિદ્ધાંતને ઉડાગથી રાજાને સમજાવ્યો. નાબાના રાજા પ્રભાવિત થયા. તે સમયે રાજાના પરમ મિત્ર લાલાજીવારામ અગ્રવાલ પારણ સભામાં ઉપસ્થિત હતા. તેઓ વૈષગવ પંથી હતા અને જ્ઞાનપિપાસુ પાગ હતા. પૂજ્ય ગુરુદેવની જ્ઞાનચર્ચાથી તેઓ ખૂબ પ્રસન્ન થયા. લાલાજી તો પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન નિયમિત સાંભળવા જવા લાગ્યા. સમયાંતરે તેઓ પૂજ્યશ્રીજીના આત્મીય ભકત થઈ ગયા. સંવત ૧૯૬૧નો ૧૯મો ચાતુર્માસ જીરામાં થયો. સમગ્ર ચાતુર્માસ દરમ્યાન વિવિધ આરાધના સાથે પૂજ્યશ્રીજીની પ્રભાવક વ્યાખ્યાનમાળા ચાલી. ઘણા જૈન જૈનેતર ભક્તોએ તેમની ધર્મવાણીનો લાભ લીધો. જીરામાં જ ફારસીના વિદ્વાન અધ્યાપકમાઘરામજી રહેતા હતા. તેઓ તત્વજ્ઞાનના શોખીન હતા. લોકો તેમને પ્રેમથી ખલીફાજી' કહી બોલાવતા. માળીરામજી તો પૂજ્યશ્રીજીના વ્યાખ્યાન સાંભળી એટલા ખુશ થઈ ગયાકે તેમાગે તો પૂજ્ય ગુરુદેવ પર એક સુંદર પ્રશસ્તિગીત લખી નાખ્યું. આ ગીતમાં તેમણે પૂજ્યશ્રીજીને અદ્વિતીય ગુણોના ભંડારી, ભક્તોના તારણહાર, પરમ ઉપકારી ગુરુદેવ તરીકે ઓળખાવ્યા હતા. વિ. સં. ૧૯૯૯ના પટ્ટીના ચાતુર્માસ દરમ્યાન પૂજ્યશ્રીજીની ૭૩મી જન્મજયંતિની શાનદાર ઉજવણી થઈ. આ પ્રસંગે ગુજરાવાલા નિવાસી બાબુ ગૌરીશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાઈ એકદમનાસ્તિક થઈગયા હતા. પૂજ્ય ગુરુદેવના અગાધ જ્ઞાનની કીર્તિ સાંભળી તેઓ પોતાના પ્રશ્નોના સમાધાન ખાતર તેમના એક જૈન મિત્રના આગ્રહથી પટ્ટી આવ્યા હતા. સાનુકૂળ સમયે તે ભાઈપૂજ્યશ્રીજીને મળ્યા. ધર્મ વિષયક પરમાત્મા સંબંધી ચર્ચા થઈ. પૂજ્ય ગુરુદેવે શાંતિથી તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું. ગૌરીશંકરનું હૃદય પરિવર્તન થયું. તેમની નાસ્તિકતા નષ્ટ થઈ અને તેઓ ધર્મ, દેવગુરુ પ્રત્યે શ્રદ્ધાવાન થયા. પૂજ્યશ્રીજીના પરમ ભક્ત થઈ ગયા. પરમાત્માના ખારા વિવિધ ધર્મસંપ્રદાયનાનાસ્તિક, તકવાદી, આસ્તિક, જ્ઞાનપિપાસુ, શિક્ષિત, નિરક્ષર, અમીર-ગરીબ, નરરત્નો જ્યારે પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યમાં આવ્યા, ત્યારે તપોમૂર્તિ કર્મયોગી જ્ઞાની-ધ્યાની પૂજ્યશ્રીજીએ એ તમામ જીવાત્માઓ પ્રત્યે કરુણાભાવ, મૈત્રીભાવ કેળવી તેમના અંતરનાં અંધારા ઉલેચી, તેમના દિલમાં ધર્મના, જ્ઞાનના પ્રભુભક્તિના દીપક જલાવી સૌને આત્મખોજના પંથે વાળ્યા હતા. સંસારમાં જ્યારે જ્યારે પૂજ્ય ગુરુદેવ જેવી વિરલ વ્યક્તિનો પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે ત્યારે માનવજીવનમાં આત્મ કલ્યાણની વસંત પાંગરે છે, પરમાત્માની ભક્તિના મધુર સ્વરો ગુંજી ઉઠે છે. આહલાદક શીતળતાથી અનેક માનવના આત્મા શીતળતા પામે છે. ખરેખર પરમ ઉપકારી પંજાબ કેસરી પૂજ્યાચાર્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજસાહેબના જીવનકાળમાં જેનોની સાથે સાથે અનેક જૈનેતર ભકતોનાં કલ્યાગ થયાં છે. આવા ગુરુદેવ સૌના માટે સદાય આદરણીય રહેશે. એમની જીવનશૈલી અનેક લોકોને યુગો સુધી અદ્યાત્મજીવનની પ્રેરણા આપતી રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy