SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાશ્રીજી માટે આદર ભાવ જાગતા તેઓ સાચા ભક્ત થઈ ગયા.. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના વડીલ શ્રી દેવેન્દ્રનાથરાત્રિકાળમાં નદીમાં સરસ મોટી નાવના એક ઓરડામાં પરમાત્માની સાધના કરતા હતા. એક દિવસુધરાતે એક યુવાન નદીમાં તરી તેમની સમક્ષ ભીનાં કપડે ઉપસ્થિત થયો. સીએજ સાલાપૂછયો-“આપે પરમાત્માને જોયો છે? મને બતાવી શકો?” દેવેન્દ્રનાથ ચમર્ઝા ગયા.તત્કાળા કઈ જવાબ આપી ન શક્યા. એ યુવાન આત્મખોજી નરેન્દ્ર તત્સગપાછો વળી ગયો, પરંતુ એ જ સવાલ એણે જ્યારે દક્ષિણેશ્વરમાં બિરાજતાસ્વામી શ્રીરામકૃwણ પરમહંસને પુછ્યો ત્યારે જવાબ મળ્યો, ‘હા મેં જોયો છે, પરમાત્માને. તારે જોવો છે આજ ક્ષણે?’નરેન્દ્ર હા પાડી જ હતી, કે તેના હૃદયસ્થાને સ્વામી રામકૃષ્ણ પરમહંસે લાત મારી. નરેન્દ્ર (સ્વામી વિવેક્કનંદ) તક્ષણ સમાધિમાં ચાલ્યા ગયા. સંશયછેદી શકનાર જસમર્થ ગુરુ બની શકે. સમર્થગુરુના સાંનિધ્યમાં આવનાર ભક્તનો જબેડો પાર થઈ શકે. પૂજ્યશ્રીજી જ્ઞાની, બાની, તપસ્વીસમર્થમહાપુરુષ હતા, એટલે તેમના પરિચયમાં આવતા સંશયુક્ત, શંકાશીલ તર્કવાદી લોકોની શંકાનું તેઓ સમાધાન કરાવતા અને એ લોકો તેમના ભક્ત બની જતા. હીરાની તેજસ્વીતા, શ્વેતક્રાંતિ તથા સૌંદર્યમાં એવી સંમોહન શક્તિ હોય છે કે કોઈપણ વ્યક્તિ તેના તરફ આકર્ષાયા સિવાયરહી શકે. જગતના સામર્થશીલ સંત મહાત્માનાવ્યક્તિત્વમાં પણ એવી જ અલૌકિક દિવ્યતા તથા ચુંબકશક્તિ રહેલી હોય છે, કે ગમે તે નાત જાત સંપ્રદાયની વ્યક્તિ પણ એ મહાપુરુષના સાંનિધ્યમાંથી પ્રતિ પળ ઉઠતી શાંતિની સુવાસ, આનંદની અમીવર્ષા પામવાસઘળાદુન્યવી બંધનોફગાવી, પ્રજવલિત જ્યોત પરકના થવા જતા પતંગિયાની જેમ, તેની પાસે દોડી જતી હોય છે. પૂજ્ય ગુરુદેવ પણ એવા જ પ્રભાવશાળી શાંતિસુખ આનંદના દાતા, આદર્શ સાધુપુરુષ હતા. તેમની અમૃતસભર આત્મકલ્યાણદાયી વાગીનો આસ્વાદમાગવા જૈનો ઉપરાંત અનેક હિંદુઓ, મુસ્લિમો તથા શીખ ભક્તો પણ તેમની પાસે જતા. પૂજ્યશ્રીજીના કેટલાક મુસ્લિમ ભક્તો હતા. જે તેમને પહોંચેલા ચમત્કારિક ઓલિયામાની તેમનું માન-સન્માન કરતા. વિ.સં. ૧૯૫૫ માં પૂજ્યશ્રીજીના માલેરકોટલાના ચાતુર્માસ દરમ્યાન મુનશી અબ્દુલ લતીફ તેમના પરિચયમાં આવ્યા હતા. સમયાંતરે તેઓ પૂજ્ય ગુરુદેવના ખાસ ભક્ત થઈ ગયા હતા. એક દિવસમુનશીના મનમાં ભાવ જાગતા તેમણે વિનંતિ કરતા કહ્યું ગુરુજી! આપ મારે ત્યાં ભિક્ષા લેવા પધારો. હું આપને ગાયનું દૂધ વહોરાવીશ.” પૂજ્ય ગુરુદેવે શાંતિથી તેમને જૈન સાધુ ધર્મની વાત સમજાવી. જૈન સાધુ ભગવંતોની મર્યાદાઓની વાત જણાવી. મુનશીના ગળે વાત ઉતરી ગઈ. તેમને માઠું લાગ્યું, ન તેમના ભક્તિભાવમાં કોઈ ઓટ આવી. ગુરુ ભક્ત વચ્ચે ધર્મની મર્યાદા છતાં પ્રેમભાવ જળવાઈ રહ્યો. આ ઘટનામાં મુનશીજીનો ઊંડો ભક્તિભાવ દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્યશ્રીજીના સાધુ વ્યક્તિત્વની ઉંડી છાપ મુનશીના માનસપટ પર અંકિત થઈ હોવી જોઈએ. નહીંતરપૂજ્યશ્રીજીના ભિક્ષાચરીનાઈન્કાર પછી સામાન્ય કક્ષાની વ્યક્તિ તેના અહંકારથી પ્રેરાઈપૂજ્ય ગુરુદેવથી ૧૧૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy