SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ માનવમાત્રના હિતેચ્છુ કલ્યાણકારી યુગપુરુષ હતા. ઈ.સ. ૧૮૯૩ માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં ન્યાયાભાનિધિ પૂજ્યાચાર્ય શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તેમનું માર્ગદર્શન પામી શ્રી વીરચંદભાઈરાઘવજી ગાંધીએ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે જન્મ ધર્મના અહિંસા, જીવદયા, અપરિગ્રહ, કરુણા, મૈત્રી, સમતા ભાવના ઉમદા સિદ્ધાંતો રજૂ કરતું વક્તવ્ય આપી પશ્ચિમના વિદ્વાનોનું વિશેષ ધ્યાન દોર્યું હતું. જેના પરિણામે વિદેશના જ્ઞાનપિપાસુ વિદ્વાનો વિશ્વશાંતિની ખોજના ઉપાય તરીકે જૈન ધર્મનું અધ્યયન કરવા લાગ્યા હતા. પૂજ્ય આત્મારામજીના મહાપ્રયાણ પછી તેમના જ્ઞાની બાની, અભ્યાસુ અધ્યયન શીલ ચિંતક, મનનશીલતેજસ્વી તેમના પટ્ટધર કલિકાલલ્પતરુપંજાબશરીપૂક્યાચાર્યશ્રીમવિજયવલ્લભ સૂરીશ્વરજી મ.સા.ના પ્રયાસોના કારણે અમેરિકા તથા યુરોપના કેટલાક જિજ્ઞાસુ વિદ્વાનો પૂજ્યશ્રીજી પાસે જૈન ધર્મના સિદ્ધાંતોની સમજ પ્રાપ્ત કરવા, ચર્ચા-વિચારણા કરવા આવતા. પૂજ્ય ગુરુદેવના વ્યક્તિત્વ, કતૃત્વ, વાણી, આચાર-વિચાર તથા તલસ્પર્શી જ્ઞાન અને સરળ સ્વભાવથી અભિભૂત થયેલા એ વિદેશી વિદ્વાનો તેમના અનન્ય ભક્ત થઈ ગયા હતાં. તા. ૨૨-૦૨-૧૯૫૩ના રવિવારે મુંબઈની ધનજી સ્ટ્રીટની પારસી ગલીમાં સાડા ત્રણના સુમારે શ્રીધનજી સ્ટ્રીટસેવા મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં જૈન ધર્મના સિદ્ધાંતોનો યુરોપ તથા અન્ય પશ્ચિમી દેશોમાં પ્રચારક્રનારા હંગેરીના વતની ડૉક્ટર ફિલિપ્સ વાલિયા તથા જર્મનીના ડૉકટરઈન્ડનના જૈન ધર્મની વિશેષતા પર ઉત્તમ પ્રવચન અપાયાં હતાં. પૂજ્યશ્રીજીએ ત્યારે આ વિદ્વાન ભક્તોના પ્રચારની કામગીરીને સાધુવાદપાઠવી અંતરના શુભાશિષ આપ્યા હતા. કાશ!દરિયાપાર જવાની તથા અન્ય સાધુ ધર્મની મર્યાદાઓ અસ્તિત્વમાં ન હોત, તો કદાચ યુગપ્રવર્તકનખશિખકર્મયોગીપૂજ્ય ગુરુદેવે વિશ્વના કેટલાય દેશમાં વિહાર કરી જૈન ધર્મની અદ્વિતીય પ્રભાવના કરી હોત. અને આમ બન્યું હોત તો આજે જૈન ધર્મની ધવલકીર્તિ વિશ્વમાં ચોમેર સુવાસ ફેલાવતી હોત. પૂજ્યશ્રીજીના જૈનેતર ભક્તો પણ કદાચ બેસુમાર થયા ન હોત? વિ.સં. ૧૯૫૩માં પૂજયશ્રીજી પપખાના ગામમાં રોકાયા હતા. આ ગામની શાળામાં એક શિક્ષક હતા. તેમનું ધર્મ વિષયક જ્ઞાન સારું હતું. શક્તિ અજોડ હતી. એટલે સ્વાભાવિક રીતે જ્ઞાનપ્રેરિત અહંકારથી તેઓ ઘણીવારસાધુ-સંતોના જ્ઞાનનું ઉડાણ માપવાનો પ્રયાસ કરતા. ગામમાં જે કોઈ સાધુ-સંત, મહાત્મા કે પંડિત આવતા, તેની પાસે જઈ આ ભાઈ પોતાની શંકાઓ વિશે પ્રચ્છા કરતા. પોતાની તર્કશક્તિ તથા જ્ઞાનના કારણે જ્ઞાનની ચર્ચામાં તેઓ હંમેશા વિજયી થતા. સમયાંતરે આમ વિવાદકરવાનો તેમને શોખ થઈ ગયો હતો. - પૂજ્ય ગુરુદેવના આગમનની જાણ થઈ એટલે આ શિક્ષક મહોદય તો આદત મુજબ પોતાના પ્રશ્નો લઈ તક મળતાં જ તેમની પાસે પહોંચી ગયા. તેમણે પૂજ્યશ્રીજી સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા. પૂજ્યશ્રીએ તેમના પ્રશ્નોના યથાયોગ્ય સચોટ જવાબો આપ્યા. હૃદયના ઊંડાગેથી નીકળેલા શુદ્ધનવનીત સમાન, જ્ઞાનયુકત, તર્કસભર ઉત્તરોએ શિક્ષક-ભાઈને નિરુત્તર કરી દીધા. સત્યપૂર્ણ નિખાલસ એ વાર્તાલાપ પછી શિક્ષકનો અહંકાર ગળી ગયો અને તેમના દિલમાં (૧૧૦ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy