SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ સઘળા સ્થાન તથા સઘળા શ્રાવકો એકસમાન છે. ધર્મજ્ઞાનની પ્રવૃત્તિ થવી આવશ્યક છે. મારી ભાવના છે, તમે લોકો ગોરવાડમાં એક મહાવિદ્યાલય સ્થાપિત કરો. ગોરવાડના પ્રત્યેક ગામમાં તેની શાખારૂપે એક એક પાઠશાળા ખોલો અને તેમાં તમારા બાળકોને ભણાવવાનું શરૂ કરો.” સાદડીના શ્રાવકો પૂજ્ય ગુરુદેવની ભાવના સમજ્યા. તેમણે પૂજ્યશ્રીજીની ભાવના પ્રમાણે વિદ્યાપ્રચારની દિશામાં નક્કર પ્રયાસ કરવાનો નિર્ધાર જાહેર કર્યો. બધા શ્રાવકો થોડીવાર માટે ઉપાશ્રયની નીચે આવ્યા. ચર્ચા-વિચારણા કરી ચિદીઓ નાખી. થોડી જ વારમાં ૬૦ હજાર રૂપિયા લખાઈગયા પછી બધા પૂજ્ય ગુરુદેવ પાસે ગયા. સવિનય વંદના કરી તેમણે કહ્યું, મહારાજ! હાલ તો આટલી રકમ જમા થઈ છે. થોડા સમયમાં જ સાદડીમાંથી એક લાખનો ફાળો થઈ જશે. ઉપરાંત આસપાસના ગામોમાંથી પણ આટલી રકમ જમા થઈ જશે. અમને આશા છે કે હવે આપ અહીંચાતુર્માસ કરી અમને લાભ આપશો.” વિઘપ્રચારસારુ તૈયાર થયેલા શ્રાવકોના ઉત્સાહ ઉમંગ તથા કાર્યશીલતાથી પ્રભાવિત થઈ પૂજ્ય ગુરુદેવે ચાતુર્માસની અનુમતિ આપી દીધી. ભક્તોની ચાહનાનો ઉપયોગ પણ | પૂજ્યશ્રીજી વિદ્યા પ્રચારના કાર્યમાં આ રીતે કરી પોતાના નિર્ધારિત લક્ષ્યને પાર પાડવાની ક્ષમતા ધરાવતા હતા. સાદડીના ચાતુર્માસ દરમ્યાન યોજાયેલ શ્વેતાંબર સભાનો સમારોહ પૂરો થયો ત્યારે | શિવગંજના અગ્રણી શેઠશ્રી ગોમરાજજીએ પૂજ્ય ગુરુદેવને કેસરિયાનાસંઘમાં સાધુ સમુદાય સાથે પધારવા વિનંતી કરી. પૂજ્યશ્રીજીએ તેમને જવાબમાં જણાવ્યું... - ‘ભાગ્યશાળી આત્મા! તીર્થયાત્રા કરવી એ શુભ કાર્ય છે. એનાથી મનની પવિત્રતા વધે છે, કર્મનિર્જરા થાય છે અને તેથી મોક્ષનો માર્ગ વધુ મોકળો થાય છે, પરંતુ અત્યારે ગોરવાડમાં | વિદ્યાપ્રચારના કાર્યમાં હું વ્યસ્ત હોવાથી આવી શકીશ નહીં. જ્યાં સુધી વિદ્યાપ્રચારના આ વિસ્તારમાં શ્રીગણેશ નહીં થાય, ત્યાં સુધી આ પ્રાંત છોડવાની મારી ભાવના નથી.”શેઠશ્રીએ ત્યારે વિદ્યાપ્રચારના કાર્યમાં દસ હજારનો ફાળો આપવાની તૈયારી પણ દાખવી, છતાં પૂજ્ય ગુરુદેવ પોતાનું કાર્યક્ષેત્ર છોડવા રાજી ન થયા. જોકે પાછળથી શેઠની ભાવભક્તિ તથા ભાવના જોઈતેમણે સંઘમાં જોડાવાની રજા આપી હતી. પોતાના વિદ્યાપ્રચારના અભિયાન પ્રત્યે પૂજ્ય ગુરુદેવ કેવા જાગૃત હતા, કેટલી નિષ્ઠાથી ધ્યેયપ્રાપ્તિને સમર્પિત હતા તેની પ્રતીતિ ઉપરોક્ત ઘટનામાં થાય છે. કાર્યારંભથી કાર્યની પૂર્ણાહુતિ સુધી તેઓ હંમેશાંગંભીરતાથી, પૂરી લગનથી એ કામ પાછળ લાગેલા રહેતા હતા. પંજાબમાં મંગલ શુભાશયથી પ્રવેશ Íપછી શ્રાવકો તેમના આરંભેલા શિક્ષણ પ્રચારના કાર્યમાં રસ લે અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ધર્મની પ્રભાવના કરે એ હેતુ સિદ્ધ કરવા પૂજ્ય ગુરુદેવે એક પ્રતિજ્ઞા લીધી હતી. જ્યાં સુધી સ્વર્ગસ્થ ગુરુદેવ શ્રી આત્મારામજી મ.સા.ની પુણ્યસ્મૃતિમાં એક વિશાળ શિક્ષણ સંસ્થા શરુનહીં થાય, ત્યાં સુધી બેન્ડવાજાં સાથે ધામધૂમથી હું કયાંય નગરપ્રવેશ નહીં કરું...!” લાહોરમાં આચાર્યપદવીથી અલંકૃત થયા પછી પૂજ્યશ્રીજી ગુજરાંવાલાશ્રીસંઘની હાર્દિક વિનંતીને માન આપી ત્યાં પધાર્યા. પૂજ્ય ગુરુદેવના નિયમ અને પ્રતિજ્ઞાથી સૌ વાકેફ હતા. ગુજરાવાલાશ્રી સંઘે પંજાબના અન્ય શ્રીસંધોના અગ્રણીઓ સાથે, - ૯૯ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy