SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - સ્વાભાવિક છે આવા પત્રથી પૂજ્ય ગુરુદેવ શિક્ષણપ્રચાર સંબંધી વધુ ગંભીરતાથી વિચારતા થઈ ગયા હોય અને કોઈપણ ભોગે જૈન સમાજને નિરક્ષરતાના કલંકથી મુક્ત કરવા કૃતનિશ્ચયી થયા હશે! શિક્ષણ સંબંધી એક સરસ યોજના મહેસાણાના શ્રાવકોએ તૈયાર કરીને પૂજ્ય ગુરુદેવ પાસે અભિપ્રાય માટે મોકલાવી હતી. પૂજ્યશ્રીએ યોજનાની તલસ્પર્શી અભ્યાસ કરી આ પ્રમાણે પ્રત્યુત્તર પાઠવ્યો હતો... ‘તમારીયોજના નિસંદેહસરસને લાભદાયી છે, પરંતુ સુંદર શિક્ષણ માટે એવા આદર્શ શિક્ષક તૈયાર કરવા જરૂરી છે, જે નાની વયના વિદ્યાર્થીઓને તમારી નિર્દિષ્ટ યોજના પ્રમાણે કેળવી શકે... શિક્ષક જો સદાચારી અને ધર્મપ્રેમી હશે, તો તે વિદ્યાર્થીઓને સંસ્કાર આપી સુંદર રીતે કેળવી શકશે, પરંતુ શિક્ષક જો લોભી અને તાધુ હશે, વીસમળતા હોય અને પચ્ચીસના પગારની લાલચમાં આવી સ્થાનાંતર કરી જવાની વૃત્તિ સેવતો હશે, સ્વચ્છંદી હશે, આંતરિક જૂથવાદફેલાવનારો, ખટપટિયો જીવ હશે, એક્તાનટકરનારો હશે તો એવા શિક્ષકથી વિદ્યાર્થી, વાલીકે સંસ્થા કોઈનું પણ કલ્યાણ કદાપિ નહીં થાય. આદર્શ શિક્ષકો વિનાતમારા ઘડેલા નિયમો નિરર્થક સિધ્ધ થશે, કારણકે વિદ્યાર્થીઓને કયા માર્ગે દોરવણી આપવી એની નિયંત્રણ દોરી શિક્ષકોના હાથમાં રહેલી છે. માટે સૌ પ્રથમ તમે લોકો સાચા અને આદર્શ શિક્ષક તૈયાર કરો.” આ વાત પરથી સ્પષ્ટ સમજાય છે કે પૂજ્યશ્રીજી શિક્ષણ પ્રચારના કાર્યમાં કેટલા ચોક્કસ હતા. માત્ર સંસ્થાઓ ઊભી કરી દેવી જ પર્યાપ્ત નથી, પરંતુ એ શિક્ષણ સંસ્થાઓ વ્યવસ્થિત | કામ કરી આદર્શ વિદ્યાર્થીઓનું ઘડતર કરે એવા વ્યવસ્થિત શિક્ષકોની ભરતી કરવા અંગે પાગ તેઓ સજાગ હતા. પૂજ્ય ગુરુદેવ કાળ ક્ષેત્ર દ્રવ્ય તથા ભાવ જોઈ કામ કરતા હતા. ધર્મના ઉત્થાનના કાર્ય સાથે સમાજ સુધારણા તથા શિક્ષણ પ્રચારના કાર્ય સારુ તેઓ સખત પરિશ્રમ કરતા હતા. તેઓ ચાતુર્માસ કરવા ખાતર કરતા નહીં, પરંતુ ચાતુર્માસ દરમ્યાન જ્યાં ધર્મ પ્રભાવનાની સાથે સાથે સમાજની હિતરક્ષાના કાર્યો થવાની સંભાવના હોય, ત્યાં જ તેઓ પોતાની અનુમતિ આપતા હતા. સાદડીના શ્રાવકોએ એક વાર પૂજ્ય ગુરુદેવ સમક્ષ ત્યાં ચોમાસું કરાવવાની મીઠી જીદ પકડી. તેમણે પૂજ્યશ્રીજીને કહ્યું, “કૃપાનિધિ!આપને શું પંજાબ અને બિકાનેરના શ્રાવકો જ પ્રિય છે? અમારી તો આપ એવી રીતે ઉપેક્ષા કરો છો, જાણે કે અમે તો શ્રાવકો જ નથી! અમને અમારાધર્મ તથા ગુરુઓ પ્રત્યે અનુરાગ જ નથી!” ત્યારે પૂજ્યશ્રીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું ‘ભાગ્યશાળીઓ! તમારો આગ્રહજ બતાવે છે કે તમે લોકો દેવગુરુના પરમ ભક્ત છો! છતાં હુંકહ્યા સિવાય રહી શકતો નથી કે તમે લોકો આજે પણ અવિદ્યાના પોષક છો. તમે લોકો જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિનથીkતા. જ્ઞાન પ્રચાર વિનાની કોઈપણ વ્યક્તિ નિરર્થક અને બિનઉપયોગી છે. પંજાબના સૌ શ્રાવકો જ્ઞાનપ્રચારની પ્રવૃત્તિ કરે છે. બિકાનેરમાં પાગ આ પ્રવૃત્તિ ચાલુ છે. મને મારી ભક્તિ કરાવવા કરતાં વિદ્યાપ્રચાર તથા ધર્મજ્ઞાનની પ્રવૃત્તિ વિશેષ ગમે છે. જો તમે લોકો પણ વિદ્યાપ્રચારની પ્રવૃત્તિ આદરતા હો, તો હું અહીં ચાતુર્માસ કરવા તૈયાર છું. મારા માટે તો (૯૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy