SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્યવલ્લભ સૂરીશ્વરજી મ.સા.નું નામ પણ સદાય અવિસ્મરણીય બની રહેશે. સૂર્યનો પ્રકાશ સામાન્ય રીતે શ્વેત દેખાય છે, પરંતુ તેના કિરણનું જો વક્રીભવન કરવામાં આવે તો તેમાં સાત રંગોનું સંમિશ્રણ દ્રષ્ટિગોચર થાય છે. પૂજ્ય ગુરુદેવનાદેદિપ્યમાન વ્યક્તિત્વનું જો બારીકાઈથી અવલોકન કરવામાં આવે તો તેમની સાધુતાના ઘડતરના આધારસ્થંભ સમાન તેમનામાં નિહિત કર્મયોગ, જ્ઞાન-ઉપાસના, દઢ સંકલ્પ, તપોબળ, સમતાભાવ, કર્તવ્યપાલન, સહનશીલતા, વિનય વિવેક તથા અભયતા જેવા વિવિધ સદ્ગણો દ્રષ્ટિગોચર થયા સિવાય રહેશે નહીં. એમની એ સાધુતાના આવા વિશિષ્ટ આભૂષણોનો આછોપાતળો ખ્યાલ એમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓથી મેળવવા પ્રયાસ કરીએ.. એક અજોડસંકલ્પશક્તિ સાગરમાં ઉઠેલા ઝંઝાવાતને ખાળી શકાતો નથી, પૂર્ણિમાની ભરતીને નાથી શકાતી નથી. જંગલના દાવાનળને રોકી શકાતો નથી, ગગનમાંથી થતીવર્યાનીધારાને અટકાવી શકાતી નથી. તે જ પ્રમાણે મુમુક્ષુ છગનભાઈના અંતરમાં દીક્ષપ્રાપ્તિની પ્રજવલિત થઈ ચૂક્લી જ્યોતને મોટાભાઈના લાખ પ્રયાસો બુઝાવી શક્યા નહીં. અંતમાં વિજયછગનભાઈનાઢ સંકલ્પનો જ થયો. વિ.સં. ૧૯૪૩ના વૈશાખ વદ ૧૩ના શુભ દિવસે પૂજ્ય આત્મારામજી મ.સા.ની પાવન નિશ્રામાં રાધનપુર મુકામે છગનભાઈની દીક્ષા થઈ. છગનભાઈ શ્રીહર્ષવિજયજી મ.સા.ના શિષ્ય ઘોષિત થયા. તેમને વિજયવલ્લભનામ આપવામાં આવ્યું. પરિવાર સાથેના લાંબા સંઘર્ષ બાદત્યાગની ઉત્કૃષ્ટ બળવત્તર ભાવનાનો, દ્રઢ નિર્ધાર, હિમાલય સમાન અડોલ મનોબળનો એ વિજય હતો. > જ્ઞાન ઉપાસના દીક્ષા પૂર્વે અલગારી છગનભાઈના જીવનમાં દુન્યવી પદાર્થો, જગતના વ્યવહારો સાથે કોઈ તાલમેલ ખેંચાણ કે લગાવન હોતાં. ચિંતનશીલ અંતર્મુખી સ્વભાવ હતો. વિજ્ય વિવેક તેમના વાણીવર્તન વ્યવહારમાં દ્રષ્ટિગોચર થતાં. સાદગીપૂર્ણ જીવનશૈલી હતી. અપરિગ્રહતાના પૂજારી હતા. દેવદર્શન, વ્યાખ્યાન શ્રવણ, ગુરુભક્તિ, પ્રતિક્રમણ, સામાયિક તેમના જીવનના આભૂષણો હતાં. મા શારદાની કૃપા પણ આવા જ વિનયી વિવેકી સાધુજન પુરઝડપથી ઉતરતી હોય છે. વિ.સં. ૧૯૪૩નો પ્રથમ ચાતુર્માસ રાધનપુરમાં જ થયો. આ ચોમાસા દરમ્યાન પૂજ્ય આત્મારામજી તથા ગુરુજીની સેવા તેમનો જીવન આદર્શ બની ગયો. ચંદ્રિકા વ્યાકરણનો અભ્યાસ શરૂ થયો. પૂજ્ય આત્મારામજીના પત્ર વ્યવહાર તથા લેખન કાર્યની જવાબદારી સહર્ષ પૂજ્યશ્રીએ ઉપાડી લીધી. વિ.સં. ૧૯૪૪ના મહેસાણાના ચોમાસા દરમ્યાન તેમની જવાબદારી વધી. રોયલ એશિયાટીક સોસાયટીના જિજ્ઞાસુ તથા ઉત્સાહી ડૉ. એ. એફ. રૂડોલ્ફ હાર્નલ જૈન ધર્મની ફિલસૂફીમાં ઊંડો રસ લેતા હતા. જૈન ધર્મના અભ્યાસ દરમ્યાન ઉદ્દભવતા પ્રશ્નોનું સમાધાન તેઓ પૂજ્ય આત્મારામજી મ.સા. પાસે માંગતા. તેમના પ્રશ્નોના ઉત્તર તથા તે સંબંધી સૂત્રોના પાઠ તથા ગાળાના સંદર્ભ તેઓ પેન્સિલથી તૈયાર કરી આપાણા ચારિત્રનાયકને આપી દેતા. ( ૨ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy