SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ | બહુમુખી પ્રતિભા કોઈ સુંદર શાંતિદાયક જિનાલયની રચના વિષે કદી વિચાર કર્યો છે? એક સુંદર ચૈત્ય બનાવવા સારુ જાગૃત શુદ્ધભૂમિ હોવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રીનું માર્ગદર્શન જોઈએ. આર્કિટેક્ટની સરસ ડિઝાઈન જોઈએ. સારી ખાણમાંથી નીકળેલી આરસપહાણની શિલાને માપસર તોડી તેમાંથી નાના નાના ચોરસ, લંબચોરસ ટુકડા બનાવી તેમને પોલીશ કરવા પડે. ત્યારબાદ ડિઝાઈન પ્રમાર્ગ ખાતમુહૂર્ત કરી પાયાનું ચણતર કરવું પડે અને પછી ક્રમશઃ મંદિરનું બાંધકામ કરી શકાય. સારા નિષ્ણાત શિલ્પીઓ રાત દિવસકોતરકામ કરી મંદિરને સુંદરતા બક્ષે છે. પછી પરમાત્માની પ્રતિમાની પધરામણી કરાય છે. ટૂંકમાં એક મંદિર બનાવવા સારી ભૂમિ, સારી આરસપહાણ તેને ઘડનારા નિષણાત કારીગરો તથા અનેક નાના મોટા પદાર્થોનું સુચારુ ઢંગ આયોજન કરવું પડે છે. એક વૈભવશાળી, સુખદાયી મકાન બનાવવામાં પણ સારી જમીન, ડિઝાઈનર, ઇટ, રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ખીલાસરી, લાકડું, આરસપહાણ, રંગ, કારીગર તથા સુપરવાઈઝરના માર્ગદર્શનની જરૂર પડે છે. આ બધા પદાર્થોનો જ્યારે આયોજનપૂર્વક ચોકકસ માત્રામાં ઉપયોગ થાય છે, ત્યારે એક સુંદર ભવનનું નિર્માણ થાય છે. ઈંટ, ગારા, માટી, ચુનો, પથ્થર ઈત્યાદિ પદાર્થોથી પર જ્યારે કોઈ અલગારી આત્મા નિજદર્શનની ખોજમાં નીકળે છે અને પરમાત્માનું નિવાસસ્થાન પોતાના હૃદયમાં નિર્માણ કરવા પ્રયાસ કરે છે, ત્યારે પણ તેને સખત પુરુષાર્થ કરવો પડે છે. પોતાના આત્મા મંદિરના નિર્માણ સારુ દિવ્ય સાધન સામગ્રીની આવશ્યકતા ઉભી થાય છે. આ અલૌકિક અપાર્થિવ કાર્યમાં ભાવનાત્મક ગુણોની જરૂર પડે છે. ત્યાગ, સ્વાશ્રય, દ્રઢ સંકલ્પ, અભીપ્સા, સહનશીલતા, તપ, સાદગી, સંયમ, અતૂટ શ્રદ્ધા, અભયતા, સ્થિતપ્રજ્ઞતા, સમતાભાવ, ઉપાસના, દયા, પ્રેમ તથા સમર્પણ ભાવ અને આજ્ઞાપાલન જેવા સદ્ગાર્ગી જ્યારે વ્યક્તિ કેળવી લે છે અને તેના આધારે ઉપાસના, સાધના, આરાધના શરૂ કરે છે, ત્યારે સમયાંતરે સદ્દગુરુ તથા પરમાત્માની કૃપા મેળવી એક સાધુ,એક સંત, એક સંન્યાસી કે આત્મજ્ઞાની મુનિરાજનો માનવદેહમાં બીજો જન્મ થાય છે. આવા સાધુ સંત જીવહિતકારી તથા પરહિતકારી પ્રવૃત્તિઓ કરીયં તો ભવસાગર તરી જાય છે, તો સાથે સાથે બીજા અનેક ભાવિક આત્માઓનીનૈયા પાર લગાવવામાં પણ સહાયભૂત થતા હોય છે. એટલે સાધુ બનવું, સાધુજીવન વ્યતીત કરવું અને સ્વતથા પરના કલ્યાણનું કામ કરવું અત્યંત વિકટ છે. પતુ બહુરત્ના આવસુંધરા પરદેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામી, શ્રી પાર્શ્વનાથ દાદા, શ્રી આદીનાથ પરમાત્મા, રામ, શ્રીકૃષગ, ગૌતમ બુદ્ધ, મહંમદ પયગંબર સાહેબ, ઈશ પ્રિત જેવા પરમ જ્ઞાનીઓ, બાની પેદા થયા છે. ગુરુનાનક, કબીર, નરસિંહ, ભીખા, પલ, દાદુ જેવા સંતા પેદા થયા છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, શ્રી આત્મારામજી જેવા શ્રેષ્ઠ ગુરુવરી જન્મ્યા છે. આવા દિવ્ય મહાત્માઓની શૃંખલામાં કલિકાલ કલ્પતરુ પંજાબ કેસરી આચાર્ય શ્રીમદ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy