SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ચારિત્રનાયકપર અસીમ કૃપા હતી જે આ પ્રસંગ પરથી સમજાયું છે. પંજાબના જીરા નિવાસી લાલા અબ્દુમલજીના પુત્ર જેશદેવજીની આ વાત છે. તેમનું બાળક વિવિધ ઔષધિઓ તથા હકીમ, ડૉકટરો, વૈધો દ્વારા અનેક ઉપચારો કરાવ્યા છતાં સતત બીમાર રહેતું હતું. યોગાનુયોગ બાળકના પિતાશ્રીનો પૂજ્ય ગુરુદેવ સાથે મેળાપ થયો. તેમણે પૂજ્યશ્રીજીને હાદિક પ્રાર્થના કરતા જણાવ્યું મહારાજ સાહેબ! મારા બાળુડાને બચાવી લો! એજીવી જશે તો એને શાસનની સેવામાં શરણે મૂકીઈશ!' પૂજ્ય ગુરુદેવે ભાવિકને અભિમંત્રિત વાસક્ષેપ આપ્યો અને તેમના આશીર્વાદથી એ બાળકની ચમત્કારિક બચાવ પણ થયો. નિર્મળ હૃદયના, સરળ મનના, ત્યાગના રંગે રંગાયેલા સાધનાના અનુરાગી, બાની ઉપાસક, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન તથા સમ્યક ચારિત્રના સ્વામી પંજાબ કેશરી પૂજ્યાચાર્ય શ્રીમદ વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબના વ્યક્તિત્વમાં, તેમના વાણીવર્તન તથા વ્યવહારમાં અલૌકિક દિવ્યતા, ચેતનાનું અદ્ભુત સામર્થ્ય હતું, જેના પરિણામે અનેક ભક્તોના કલ્યાણ થયા તથા જૈન ધર્મની સુંદર પ્રભાવના થઈ. પૂજ્યશ્રીજી જેવી અનન્ય આધ્યાત્મિક વિભૂતિના ચમત્કારિક સાંનિધ્યથી અનેક અલૌકિક પ્રસંગો લોકોના જીવનમાં બન્યા હતા. આવાયુગવીરમહાત્માનું નામ સ્મરણ પણ શ્રદ્ધાળુ ભક્તો માટેનિસંદેહ આશીર્વાદરૂપ સિદ્ધ થતું રહેશે. બ Jain Education International Jain Education International For Priv For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy