SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પૂજ્ય ગુરુદેવની હદયસ્પર્શીવાતથી પ્રભાવિત થયેલા લોકોએદુઃખી લોકોને સહાયતા આપી હતી. એમની અલૌકિક શક્તિના કારણે ભક્તો હંમેશાં તેમનો પડ્યો બોલ ઝીલી લેવા તૈયાર રહેતા. પ્રભાવી જ્ઞાનયુકત વાણીના કારણે જસ્થાનકવાસી પરંપરાના સાધુ ભગવંતોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી પૂજ્ય ગુરુદેવ પંજાબમાં અન્ય ધર્મની પ્રભાવના કરી શક્યા હતા. સંતો મહાત્માઓની વાણીમાં સંમોહન, ખેંચાણ, હૃદય પરિવર્તન કરીશત્રુને પાર જીતી લેવાનો દિવ્ય પ્રભાવ રહેલો હોય છે. દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના અમૃતમય વચનો સાંભળી ક્રોધી ચંડકૌશિક નાગનું હૃદય પરિવર્તન થઈ ગયું હતું. નારદમુનિના વાણી પ્રભાવથી વાલિયો લૂંટારામાંથી સમયાંતરે વાલ્મીકિ ઋષિ બની ભવસાગર તરી ગયો. માનવીઓની હત્યા કરી તેમની આંગળીઓની માળા પહેરનાર અંગુલિમાલને પરમાત્મા ગૌતમ બુદ્ધની આત્મજાગૃતિ પ્રેરક વાણી આત્મકલ્યાણના માર્ગે વળી શકે છે. પૂજ્ય ગુરુદેવની વાણીમાં પણ વિરોધીઓને શાંત કરી મિત્ર બનાવી તેમને સન્માર્ગે વાળવાની ક્ષમતા હતી. એકવાર પૂજ્ય ગુરુદેવ જમ્મુથી સનખતરાબાજુ વિહાર કરતા હતા. રસ્તામાં વિશનાહ નામના ગામની એક ધર્મશાળામાં તેમણે રાત્રિ વિશ્રામ કર્યો. એ ધર્મશાળામાં રોકાયેલા એક કથાકાર ભટ્ટજીએ પૂજ્યશ્રીજીનારોકાણ વિષયક વિરોધ કર્યો. પૂજ્ય ગુરુદેવ તત્કાળ ક્રોધે ભરાયેલા ભટ્ટજીને મળે છે. તેમની સાથે પ્રેમથી વાર્તાલાપ શરૂ કરે છે. સાધુ ધર્મ વિશે ચર્ચા કરે છે. સંત તુલસીદાસજી તથા ત્યાગી ભતૃહરિના સાધુ વિશેના વિચારોની વાત કરે છે. વિશિષ્ટ સ્મૃતિમાં દર્શાવેલ બ્રહ્મચારીની ગરિમાની વાત કરે છે અને પેલા પંડિત તો પૂજ્ય ગુરુદેવની મધુર વાણી, જ્ઞાનની વિશાળતા તથા તેમના વ્યક્તિત્વ સમક્ષ અંતમાં મૂકી જાય છે અને પોતાના અવિવેકી, અશિષ્ટ વ્યવહાર બદલ ખેદ વ્યક્ત કરી ખરા અંતરથી તેમની ક્ષમા માંગે છે. - પૂજ્ય ગુરુદેવે જ્યારે પ્રથમવાર પાટણની ધરા પરપદાપણ કર્યું, ત્યારે શ્રાવકોએ ભારે ધામધૂમથી બેંડવાજા, ઢોલ-નગારા સાથે નગરપ્રવેશનો કાર્યક્રમ યોજ્યો. સૌ ભારે હર્ષોલ્લાસપૂર્વક તેમનું સ્વાગત કરી રહ્યા હતા. પૂજ્યશ્રીજીએ ત્યારે નગર શેઠને પાસે બોલાવી કહ્યું જુઓ શેઠ! મારી એક પ્રતિજ્ઞા છે. જ્યાં સુધી શત્રુંજ્યનો વિવાદ નહીં ઉકેલાય, ત્યાં સુધી હું ક્યાંય પણ ધામધૂમ પૂર્વક બેંડવાજા સાથે નગરપ્રવેશ નહીં કરું.’ તરત જનગર શેઠે વાજિંત્રો બંધ કરાવી દીધા. લોકોના આનંદોલ્લાસ પર પાણી ફરી વળ્યું. પરંતુ લોકોની ભાવના જાગી પાટણના શ્રીસંઘ સાથે આવેલા પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજે કહ્યું વાજિંત્રો આપની ખાતરનહીં, મારા માટે વાગશે.” વડીલોના આજ્ઞાકારી, વિવેકી પૂજ્ય ગુરુદેવ કંઇ . પુનઃ વાતાવરણ મધુર વાજિંત્રોના ધ્વનિથી ગુંજી ઉઠ્યું. સૌ લોકો સાથે પૂજ્યશ્રીજી ગામમાં પધાર્યા. શહેરમાં તેમને શુભ સમાચાર સાંપડ્યા. તાર દ્વારા સંદેશો આવ્યો હતો. શત્રુંજ્યના વિવાદનું સુખદ નિરાકરણ આવી ગયું છે. 'પળવારમાં એ શુભ સમાચાર સઘળે વ્યાપી ગયા. સૌના આનંદની સીમા ન રહી. આ ઘટના એક ચમત્કાર હતો. પૂજ્ય ગુરુદેવ દ્વારા લેવાયેલી નિઃસ્વાર્થ પ્રતિજ્ઞાનું ચમત્કારિક રીતે જ પાલન થયું હતું. પૂજ્ય ગુરુદેવનો જ્યારે પાટણમાં પ્રવેશ થયો અને બેન્ડવાજાનીધામધૂમ થઈ ત્યારે અને તે પહેલાં જ તેમની પ્રતિજ્ઞાને અનુરૂપ શત્રુંજ્યના વિવાદના ઉકેલના સમાચારની ઘટના બની ચૂકી હતી. શાસનદેવ તથા ગુરુદેવની આપણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy