SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬ ) તે તે કર્મને પરાભવ કરવાને સમર્થ જેમની વાણી છે, ભવ્ય પ્રાણરૂપ કમ લમાં જે સૂર્ય સમાન છે, જે જગતમાં માનવા ચગ્ય છે, સત્પરૂ ના વાંછિતને જે આપનારા છે, જે સવ ચારિતના નિધિરૂપ છે, પોતાના પ્રભાવથી જેમણે અરિષ્ટઅંતરાયને નાશ કરે છે, જે પાપ રહિત છે, આ સંસાર રૂપ હતીમાં જે સિંહ સમાન છે, જેમને સમતાને રંગ પસંદ કરવા યોગ્ય છે અને જેમનું પરાક્રમ દંભ રહિત છે એવા અચિરા માતાના પુત્ર શ્રી શાંતિનાથ પ્રભુનેહું વંદના કરૂછું,”૧ આ ગ્રંથનું ભાષાંતર કરવામાં માત્ર અક્ષરાર્થને આધાર લીધેલ છે. પ્રથમ ભાવાર્થ આપી વિશેષાર્થમાં વ્યાકરણ પક્ષનાં રૂપ દર્શાવવા પ્રયત્ન કરેલો છે. આવા શિક્ષણ કાવ્યને ગ્રંથ ઉપર ટીકા હેત અભ્યાસીઓને વિશેષ લાભ થાત અને ભાષાંતર કરવામાં વિશેષાર્થની અંદર વધારે ખુલાસે આપી શકાય પણ તેવી કોઈ ટકા ઊપલબ્ધ થઈ નથી, તેથી માત્ર ભૂલને આધારે આ ભાષાંતર કરવામાં આવ્યું છે. વળી બીજી મુકેલી એ આવી કે, આ ગ્રંથની કોઈ શુદ્ધ પ્રત મળી શકી નહીં, માત્ર એક જ પ્રતને આધારે ભાષાંતર કરવામાં આવ્યું છે. તે પ્રત ઘણું અશુદ્ધ હેવાથી કઈ કઈ સ્થલે શંકા રહી છે. તથાપિ બનતા પ્રયત્ન શુદ્ધ કરવા પ્રયાસ - કરેલો છે. તે છતાં દ્રષ્ટિદેષ કે બુદ્ધિદોષને લીધે રહી ગયેલી અશુદ્ધિને માટે વાચકવર્ગ ક્ષમા કરશે અને જે કઈ સાક્ષરવર્ય અમને સૂચના આપશે તે અમે તેમને અંતઃકરણથી ઉપકાર માનીશું એજ. કરછ કોઠારાના રહીશ સ્વર્ગસ્થ શેઠ કેશવજી શામજીના સ્મર્ણાર્થે આ ગ્રંથ તેમના સુપુએ છપાવ્યો છે અને તેની છપામણું વિગેરેના ખરચના રૂા. ૪૦૦) ચારસો શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગને આપ્યા છે. સપુત્રો પિતાના વડીલ પ્રતિ પિતાની પૂજ્ય બુદ્ધિ કેવી ઉત્તમ રીતે બતાવી શકે તેનું ઉત્તમ દષ્ટાંત સ્વર્ગવાસી શેઠ કેશવજી શામજીના પુત્રએ પુરૂં પાડ્યું છે. બીજા ગૃહસ્થના પુત્ર પણ આવી જ રીતે પોતાના વડીલેનું સ્મારક કરવામાં પોતાનું કર્તવ્ય બજાવશે તો તેઓ લેકેના ખરેખર ધન્યવાદને પાત્ર થશે. છેવટે પ્રસિદ્ધ કર્તા અભિલાષા રાખે છે કે ઉક્ત પ્રતિના સ્મારકે કરનારા સપુત્ર જૈનમમાં સંખ્યાબંધ ઉભ, અસ્તુ, વીર સંવત ર૪૩ર. વિક્રમ સંવત્ ૧૧, ભાદ્રપદ કૃષ્ણ એકાદશીનું પ્રસિદ્ધ કર્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004639
Book TitleShrenik Charitam
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, Story, & Literature
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy