SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૯૯ છતવા કરતાં વધારે બળ જોઈએ. જ્ઞાની અને તેમના વચન પર જેમ જેમ વિશ્વાસ બેસે, તેમ તેમ સંસારમાં ખાવું પીવું વગેરે છેટું લાગે. અંતરંગ ભાવ કરવા હેય તે કરાય છે. જેટલા આરંભ પરિગ્રહ ઓછા તેટલે વધારે સુખી. જેમ જેમ રુચિ વધશે તેમ તેમ વધારે કામ થશે. પરિભ્રમણ કરવું એ એને સ્વભાવ નથી, પણ કમને લઈને કરવું પડે છે. કર્મ માટે તે સ્થિર થાય છે. દ્રવ્યદષ્ટિ થાય તો બીજી દષ્ટિ ન રહે. આત્મા જેવાની દષ્ટિ કરવાની છે. દેહ જોવાની દષ્ટિ છે. તે ફેરવીને આત્મા જેવાની દષ્ટિ કરવાની છે. કમ. રહિત અવસ્થા એ જ ખરું સ્વરૂપ છે. કર્મ કૃત્રિમ છે. દ્રવ્યથી હું એક જ છું. એક અખંડ વસ્તુને સમજવા માટે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ કહેવાં પડે છે. પણ ભેદ નથી. અસંખ્યાત પ્રદેશાત્મક આત્મા છે. અનંત ગુણે આત્મામાં છે. સત્યધર્મ તે પિતાને અને પરને પણ લાભ કરે છે. જેણે સ્વરૂપ પ્રાપ્તિ કરી છે, તે જ કરાવી શકે. ધર્મ ધર્મ કહેવાય છે, પણ ધર્મ રહ્યો નથી. પિતાને અને બીજાને ઉપકાર કરે એ ધર્મ જિનેશ્વરાને છે. ધર્મની જગ્યાએ મતમતાંતર થઈ રહ્યાં છે. આજે સ્તવનમાં આવ્યું હતું કે “ગ૭ના ભેદ બહુ નયણ નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતા થકી, મેહ નડિયા કળિકાળ રાજે. ” (આ. ૧૪) આનંદઘનજીના વખતમાં પણ એવું હતું. મહાવીરને કહેલ પરમ શાંતરસમય ધર્મ રહ્યો નથી. ખંડવિખંડ થઈ ગયો છે. પ્રભાવશાળી પુરુ હોય તે એક ધર્મ કરી શકે છે. પણ આ કાળમાં તે પ્રભાવમાં ઘણા અંતરાય છે. કૃપાળુદેવે ભગવાનનું શાસન અખંડિત રહે એવા ઘણું વિચાર કરેલા છે. ભગવાને કહેલું છે કે રાગ કરશે નહીં, પણ રાગ કરે છે. ભગવાને શું કહ્યું છે? એવું મૂળ ભાન જીવને નથી. ભગવાને કહ્યું છે તે હું માનું છું એમ માને, પણ મારે ભગવાનનું કહેલું સમજવું છે એમ વિચારનારા છ થોડા છે. રાગદ્વેષી માર્ગને અનુસરે છે અને કહે છે કે વીતરાગને માનું છું. વીતરાગને લક્ષ ન હોય–સ્પશન હેય તે ધર્મ નથી. કોઈ સમાવનાર હોય તેય સમજે નહીં. કૃપાળુદેવ લખે છે કે મતમતાંતર જતા રહે, વીતરાગધર્મ બધે ફેલાય એવી નિષ્કારણ કરુણ છે. તેથી માર્ગોદ્ધાર કરવાની ઈચ્છા છે. હિ. ને. ૨–૧૦] ૩૦૦ શ્રી રા. આ. અમાસ, ચૈત્ર વદ ૯, ૨૦૦૮ પૂજ્યશ્રી–આત્માનું સહજ સ્વરૂપ છે. કમને લઈને વિભાવરૂપ છે. જેમ સ્ફટિક રત્ન કાળી વસ્તુ ઉપર પડ્યું હોય તે કાળું દેખાય છે, પણ જે ઊંચું લઈદેખીએ તે શ્વેત દેખાય છે. વિભાવથી રહિત આત્માનું સ્વરૂપ છે તે સહજસ્વરૂપ છે. આત્મામાં શુદ્ધાશુદ્ધ કલ્પના નથી, પણ કર્મના ગે એમ કહેવું પડે છે. આત્મા મનુષ્ય નથી. ઘણીવાર કીડીકેડી થયે, ઘણીવાર મનુષ્ય પણ થશે, પણ આત્મા કીડી મકોડી કે મનુષ્ય થઈ ગયે નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy