SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ બેધામૃત હિ. ને. ૧-૭] ૨૯૯ શ્રીરાઆ. અગાસ, ચૈત્ર વદ ૭, ૨૦૦૮ પૂજ્યશ્રી આત્માને સાધવો હોય તે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી જાણ જોઈએ. આત્મા કે છે એ શ્રદ્ધા કરવાની છે. આત્મદ્રવ્ય હું નિશ્ચયથી એક છું. પર વસ્તુથી અસંગ છું. છ દ્રવ્યમાંનું એક હું ચેતનદ્રવ્ય છું. નિશ્ચયથી જ્ઞાનદર્શન આદિ ભેદ નથી તેથી એક છું, અખંડ છું. નિશ્ચયથી બીજા દ્રવ્યોથી અસંગ છે, બીજા સાથે સંગ નથી. સ્વભાવમાં રહે ત્યાં ભેદ નથી. રાગછેષ કરવા એ આત્માનું કામ નથી તેથી સર્વ પરભાવથી મુક્ત છું. દેહમાં રહ્યા છતાં હું દેહથી ભિન્ન છું, અસંગ છું. અસંખ્યાત પ્રદેશ એ આત્માની અવગાહના છે તેમાં આત્મા રહે છે. આખા લેકમાં વ્યાપે એવી એની શક્તિ છે. અવગાહના દેહ પ્રમાણે થઈને રહે છે. આત્મા કેટલે કાળ રહેશે? તે કે અજર અમર શાશ્વત છે. સમયે સમયે દરેક દ્રવ્ય પલટાય છે. આત્મા પણ આત્મારૂપે રહીને પલટાય છે. દ્રવ્યથી એક સમયમાં જે છે તે જ આત્મા શાશ્વત કાળ રહે છે. ભાવથી શુદ્ધચતન્યસ્વરૂપ આત્મા છે. ભાવમાં પિતાના ગુણે હોય છે. શુદ્ધચૈતન્ય, જ્ઞાનદર્શન બધા ગુણે એક આત્મામાં છે. વ્યવહારથી જ્ઞાતા દૃષ્ટા એવા ભેદ છે. નિશ્ચયથી આત્મા એક અખંડ દ્રવ્ય છે. હું અસંગ છું, બીજાની સાથે મારે કામ નથી, બીજા આત્માની સાથે મારે સંબંધ નથી, મારું સ્વરૂપ જે જ્ઞાનમાં દેખાય છે તે જ છે. આ વાત મહત્વવાળી છે. સાંભળીને જતી કરવાની નથી. કૃપાળુદેવને વારંવાર એ વિચાર આવતા. પિતાની વસ્તુ ભુલાય નહીં એવું કરવાનું છે. ઘૂંટવા જેવું છે. જીવનું લક્ષણ ચૈતન્યપણું છે. સંયોગને લઈને વિભાવ પરિણામ દેખાય છે, પણ સર્વ પરભાવથી મુક્ત જ્ઞાતા દષ્ટા છે એવી પ્રતીતિ કરવાની છે. એની પ્રતીતિ કરવાની છે. ઈશ્વરપણું મનુષ્યદેહે પ્રાપ્ત થવા ગ્ય છે. જીવને શિવ થાય છે. વ્યવહારથી જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ભેદથી ભેદરૂપ આત્મા કહેવાય છે. લકાલકને જાણે એવું આત્માનું જ્ઞાન છે. દેહમાં રહ્યા છતાં કેવલી બધું જાણે છે, જ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપક છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. પર્યાયની અપેક્ષાએ ક્ષણભંગુર છે. લકાકાશ અસંખ્યાત પ્રદેશાત્મક છે. અલકના પ્રદેશ અનંતાનંત છે. પાર ન આવે. એનું માપ નથી. તે શું હશે ? જગ્યા આપનાર છે, પણ ત્યાં કેઈ જતું નથી. કેવલીભગવાને જ્ઞાનમાં જોયું છે. પ્રશ્ન–અલકમાં કોઈ આત્મા જઈ શકે? પૂજ્યશ્રી–એવી શક્તિ ન હોય. ધર્માસ્તિકાય વિના કેઈ ગમન કરી શકે નહીં. “પુદગલઅનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત હે મિત્ત.” (દે. ૪). પુદ્ગલને અનુભવ છેડે તે આત્મસુખને અનુભવ થાય. ક્ષણ માત્ર અસંગ રહેવું એમાં ત્રણ લેકને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy