SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ વચનામૃત-વિવેચન ૩૭૫ હતી તે બધી ખુશી થઈને શૃંગાર સજીને આવી. તેને બતાવીને વારિણે તેને મિત્રને કહ્યું કે આમાંથી તને જે પસંદ પડે તે સ્ત્રીને તું લઈ જા. પુષ્પડાલને થયું કે આટલી બધી રૂપવતી સ્ત્રીઓને કુમારે ત્યાગ કર્યો છે, જ્યારે હું મારી એક કાણી સ્ત્રી ઉપર મોહિત થયે છું. તેથી બેધ પામી પાછા મહાવીર પ્રભુ પાસે આવીને ફરીથી પાંચ વ્રત અંગીકાર કર્યા. (ઉપદેશછાયા ચાલુ) શ્રી રા. આ. અગાસ, શ્રાવણ સુદ ૧૫, ૨૦૦૯ - પૂજ્યશ્રી–આ મારું વચન છે, હું સમજાવું છું એમ જ્ઞાની પુરુષને હોતું નથી. બીજાને રાજી કરવા લે છે એમ પણ નથી. બોલતાં એમને તાદામ્યપણું થતું નથી. કેવલી નિરંતર જાણે છે છતાં રાગદ્વેષ નથી. તેમ જ્ઞાની લે છે છતાં રાગદ્વેષરૂપ તાદાભ્યા સંબંધ છે એમ ન જાણવું. અત્યારે બધું શિક્ષણ એવું છે કે પિતાની મતિમાં બેસે તે સાચું, નહીં તે ખોટું. એવું થઈ ગયું છે. કેવળજ્ઞાનને બુદ્ધિથી માપે તે બુદ્ધિ જેટલું જ માપી શકે. કેટલાક કહે છે કે સર્વજ્ઞ નથી. અનેક મતવાદી જુદે જુદે ઠેકાણે ખળી રહ્યા છે. ન સમજાય તે જ્ઞાની જાણે છે એમ રાખવું. આપણને બેસતું નથી, પણ ભગવાને સાચું કહ્યું છે. સર્વજ્ઞ ભગવાને કંઈક હેતુથી કહ્યું છે. મારી બુદ્ધિથી અલ્પજ્ઞતાને લીધે સમજાતું નથી, પણ ભગવાને સાચું કહ્યું છે એમ જે રાખે તે આજ્ઞાવિય ધર્મધ્યાન છે. ધવલ જેવા ગ્રંથોમાં પણ ભગવાન જાણે છે એમ કહ્યું છે. કોઈ દિવસે ભગવાને કઈ વાત, કોઈ વખતે કોઈ વાત એમ બધું કહ્યું હોય તે બધાને બંધ બંધાય છે. ભગવાને જેવી રીતે કહ્યું તેવી રીતે બાંધે બાંધે એમ નથી. કમસર બાંધે. તીર્થકર જેટલું જાણે તેટલું કહી શકે નહીં. કહી શકે તેટલું જીને ધ્યાનમાં ન રહે. એમાં બધાં તીર્થંકરનાં જ વાકયો આવ્યાં છે એમ નથી. આશય તીર્થકરને અને શબ્દ બીજા પણ આવે. મૂળ ગ્રંથકર્તા તીર્થકર કહેવાય છે. ગણધરે બધા આગમને બાંધ બાંધે છે. જેમ આ ઉપદેશછાયાને બાંધે બાંધ્યે તેમ. બુદ્ધિ ફરે તે સવળું થાય. વ્રત લેવું સહેલું, પણ પાળવું મુશ્કેલ. બધી વખતે કમ સરખાં નથી હોતાં. કઈ વખતે મંદ ઉદય હોય છે અને કેઈ વખતે તીવ્ર ઉદય હોય છે. જ્ઞાનીની આજ્ઞારૂપી અંકુશ હોય તે પળાય. જ્ઞાનીની આજ્ઞા પાળનાર ડરે છે. નિરંકુશ થઈ જાય તે કેવા ભાવ થઈ જાય તેનું કશું કહેવાય નહીં. ક્યાંય જઈ પડે. આ ક્ષેત્ર નિવૃત્તિવાળું છે, પણ એની ગ્યતા જોઈએ. નહીં તે બેઠો બેઠો સંકલ્પવિકલ્પ કરે. રેગ્યતા હોય તેટલે જે ઉપકનિયે ન થયેલ હોય અને જંગલમાં રહ્યો હોય તે આર્તધ્યાન થાય કે કંઈ વાઘ તે ન આવી જાય, સાપ તે ન આવી જાય! એક સાધુ હતું. તેણે સાંભળ્યું કે ગિરનારના પહાડ ઉપર એક ગુફામાં ચિદાનંદજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004637
Book TitleBodhamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1971
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Rajchandra
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy